SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનના પાયા સ્વકૃત દુષ્કૃતની અતિ કટુ આલેચના અને ગાઁ જ્યારે રગરગ વ્યાપી બને છે, ત્યારે ત્યાં-ત્યાં બધે જ સુતની ભૂખ જાગે છે અને સહુના સુતાની વારવાર ત્રિવિધે અનુમાદના થતી રહે છે. ૬૪૪ દુષ્કૃતની થથાય ગાંથી પાપના અનુબંધ તૂટે છે. સુકૃતની જીવંત અનુમેાદનાથી પુણ્યના અનુબંધ પુષ્ટ થાય છે તે પછી સુકૃત સાગર એવા પંચ પરમેષ્ટિએ વહાલા લાગે છે. તેમના સ્મરણુ સિવાયના શ્વાસમાં પણ કટાળા આવે છે, ભાર લાગે છે, તેમના સ્મરણમાં વધતી જતી રમણતા ચતુઃશરણુરૂપ છે. આ તારક ત્રિવેણીમાં નિત્ય ઉમ’ગથી સ્નાન કરતા સાધક, સાધ્ય સાથે અભેદ સાધતા, સવ કર્મોના ક્ષય કરીને અક્ષય પદને વરે છે. માટે ખર્ચા પાપ અને તેના અનુબંધથી! સેવા સુકૃતને, વારંવાર કરો સહુનાં સુકૃતાની અનુમાઇના! અને શરણુ ગ્રહણુ કરા શ્રી અરિહ'તાત્તુિ ચારનું! પછી ઉદ્ધારના ભાર તમારે વહેવા નહિ પડે. 5 ઉપકાર સ્નાન मणसा गुणपरिणामो, वायाए गुणभाषणं च पंचव्हं । कारण संपमाणो एस पयत्थो नमुक्का ||१|| આ શ્લામાં ગુણના અથ ઉપકાર છે. પાંચ પરમેષ્ઠિના ઉપકારાનું મનથી ચિંતન-ભાવન-પરિણમન; વચનથી તે ઉપકારોનું જ ભાષણ, કથન-પ્રવચન અને કાયાથી ચાગમુદ્રાદિ વડે વિધિપૂર્વક પ્રણમન– નમનાદિ નમસ્કારપદના અ-ભાવાથ -રહસ્યાય છે. કાયાથી પ્રણમન તે અથ છે. વચનથી થન તે ભાવાથ છે. મનથી ભાવન તે રહસ્યાથ છે. આત્માનું તદ્રુપ પરિણમન તે ઐ'પર્યાય છે. આમ પુ`ચ—નમસ્કાર વડે, જીવ પરમ ઉપકારી શ્રી પ’ચપરમેષ્ઠી ભગવ‘તાના ઉપકારની ગંગામાં સ્નાન કરીને પાવન થાય છે. ચિત્તને ચાંદની જેવુ ચળકતું બનાવીને સ્નેહ સુધાકર બની શકે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy