SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ આત્મ-ઉત્થાનના પાયા જીતવામાં પ્રાયઃ સફળ નથી થઈ શકતા, પણ તે મેહને મહાત કરવા માટે તેને મહામાહજેતા શ્રી અરિહંત પરમાત્મા અને તેમની આજ્ઞા અનુસાર સર્વાંનિરતિપક્ષુ અંગીકાર કરનારા સાધુ ભગવંતારૂપી ગુરુ તત્ત્વનું શરણું સ્વીકારવુ પડે છે. એટલે સાચા વિરાગી, દેવ-ગુરુના મહારાગી હાય, હોવા જોઈએ. દેવ-ગુરુના રાગી બનનાર જ વિષયેના વિરાગી બની શકે. નિવિષયી એવા દેવ-ગુરુની રતિ જ વિષયાની રતિને ખાળી શકે. જેના જીવનમાં દેવ-ગુરુની રતિ નથી, તેની વિરતિમાં વિષયની રતિ હશે. વિષચાની રતિને દેવ-ગુરુ સ્વરૂપ મહાવિષયા-શ્રેષ્ઠ વિષયાની રતિ જ નિવારી શકે. જેએને નમસ્કાર કરવા માત્રથી જ અગણિત પાપ–રાશિ, પાપવાસના, વિષયાની રતિ અને કષાયાના મહાદાવાનળા શાંત થઈ જતા હોય છે તે નિર્વાસન નિર'જન દેવ-ગુરુ આપણા સૌથી મોટા હિતચિંતક છે. એમાં વિવાદ ન જ હોઈ શકે. મતલબ કે, એ નિર્વિવાદ હકીકત છે. અન`તકાળના આપણા અનંત દારિદ્રયને દફનાવી દેનાર દેવ-ગુરુ જ હોય અને બીજુ કાઈ ન હોય તે તેમના ઉપર મહારતિ ઉત્પન્ન કેમ ન કરવી ? જીવના ખરા સ્નેહી કાણુ ? દેવ, ગુરુ કે દુનિયા ? પરમ હિતસ્ત્રી જે દેવ-ગુરુ જ છે, તા તેમના પર સર્વાધિક સ્નેહ થવા જોઈએ અને જો ન થતા હાય, તા દેવગુરુની કિંમત કરતાં બીજા સ્નેહીઓની ક્રિમત અંતરમાં વધારે આંકી છે; એમ સિદ્ધ થાય છે. એ મિથ્યાત્વ જ જીવને અન તત્કાળ ભવસાગરમાં ભટકાવનાર થાય છે. વિષચાની વિરક્તિને ટકાવવા માટે દેવગુરુ રૂપી મહાવિષય પર રતિ કેળવવી જ પડશે. જે નહિ કેળવાય તા વિષયરતિ (વિષય પ્રત્યેના રાગ–સ્નેહ) કેડો મૂલ્યે જ નહિ. વિષયામાં રતિના અર્થ જ વિષયાની કિંમત વધુ કવી એ છે. બધાં વિષચક્રમાં પ્રધાન વિષય દેવ-ગુરુ છે. તેનું કારણ સાથી વધુ હિતૈષી તેઓ છે. તેનુ' નામસ્મરણ કરતાં જ જીવાની પાપરાશિ, અજ્ઞાન અને માહની રાશિ પળ માત્રમાં વિલીન થઈ જાય છે. આત્માનુ હિત કરે તે જ હિતેષી કહેવાય. આત્માનુ' હિત, દેવ-ગુરુના આલંબને જ થાય છે, તેથી અન્ય વિષયાની રતિને દૂર કરી દેવ-ગુરુને વિષે મહારતિ કેળવવી, એ જ વિરક્તિને મેળવવાનો, ટકાવવાના, વધારવાના અને પરમ વિરક્તિને ધારણ કરનારા વીતરાગ પદની પ્રાપ્તિના અનન્ય ઉપાય છે. 5
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy