SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનના પાયા જૈન દૃષ્ટિની વિશેષતા સ્યાદ્વાદ સિદ્ધાન્તના નિરૂપણમાં રહેલી છે. એવી સમજણુ પ્રાપ્ત થવી એ ભાવસમ્યગ્દર્શન છે. અહીં દ્રવ્ય એટલે સત્યની રુચિ અને ભાવ એટલે સત્યના પરીક્ષાપૂર્વક સ્વીકાર અભિપ્રેત છે. તેથી ભાવસમ્યગ્દન, સ્વપરશાસ્ત્રવેત્તા ગીતાર્થ મહાત્માઓને જ માનેલું છે. તેમની નિશ્રાએ વનાર તત્ત્વરુચિવાન જીવાને ભાવના કારણરૂપ દ્રવ્ય-સમ્યગ્ ક્રેશન સ્વીકાર્ય છે. ૪૩૪ ખીજી રીતે સમ્યગ્દર્શનના બે ભેદ છે, તે નિશ્ચય અને વ્યવહાર, વ્યવહાર સમ્યગ્દશન દેવપૂજન અને ધર્મારાધના આદિ ધર્મક્રિયાઓ કરનારમાં માનેલું છે અને નિશ્ચય સમ્યગ્દશ ન, સાતમે ગુણુસ્થાનકે અને તેની ઉપર રહેલા અપ્રમત્ત મુનિવરોને સંભવે છે, કે જયાં જ્ઞાન-દશન-ચારિત્રની એકતા અર્થાત્ જેવું જ્ઞાન તેવી જ શ્રદ્ધા અને જેવાં જ્ઞાન અને શ્રદ્ધા તેવાં જ પ્રકારની પરિણતિ, આત્મસ્થિતિ હોય છે. એ સ્થિતિએ પહેાંચવા માટે સ્યાદ્વાદના આશ્રય અનિવાય છે. સ્યાદ્વાદની આવશ્યકતા સ્યાદ્વાદ એ એક એવા પ્રકારની ન્યાયમુદ્ધિ છે કે જ્યાં સત્યના કોઈ પણ અંશના અસ્વીકાર અને અસત્યના કાઈ પણુ અંશના સ્વીકાર સ`ભવી શકતા નથી. માર્ગોનુસારી ન્યાયસંપન્ન વૈભવ આદિથી માંડીને, અ'તર`ગ ષરિપુએના ત્યાગ પ "તના સઘળા નિયમાનું ભાવપૂર્વક પાલન એ સ્યાદ્વાદ સિદ્ધાન્તને પચાવવાની અને પામવાની પૂર્વ લાયકાત છે. વસ્તુમાત્ર અન ́ત ધર્માત્મક છે. અથવા એક જ સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રિધર્માત્મક છે તથા કાર્ય માત્ર અનેક કારણ્ણાના એકત્ર મળવાનું પરિણામ છે. જયારે છદ્મસ્થનું જ્ઞાન કોઈ એક ધર્મ કે કોઈ એક કારણુને આગળ કરીને જ થઈ શકે છે. તેથી જો તે એક જ ધર્મ કે એક જ કારણ વસ્તુનું સ્વરૂપ કે કાના હેતુ મનાઈ જાય તેા વસ્તુને જ અન્યાય થાય છે. બુદ્ધિના દ્રોહ થાય છે. સકળ કાર્યના પ્રચાજનભૂત કાય જે આત્મમુક્તિ, અસ'વિત બની જાય છે. માટે પ્રત્યેક વાકય, જે સ્યાદ્ પદ્મલાંછિત હોય તા જ પ્રમાણ છે. પ્રત્યેક વિચાર, કાઇ એક અપેક્ષાને આગળ કરીને જ હોય છે, તે પૂર્ણ સત્ય ત્યારે જ મને કે જયારે અન્ય અપેક્ષાએ તેમાં ભળે છે અને વસ્તુના સમગ્ર રૂપને સ્વીકારવા તત્પર હોય છે. પ્રત્યેક પ્રવૃત્તિ મેાક્ષગામી ત્યારે જ બની શકે કે જ્યારે તેની પાછળ પૂર્ણતાની પ્રાપ્તિના હેતુ હોય. પૂર્ણતાના સાધનરૂપ માનીને તેને અપનાવવામાં આવે છે, કિન્તુ તે પેાતે કદી પૂર્ણ રૂપ હોઈ શકતી નથી. પૂર્ણુતા તરફ લઈ જનારી અપૂણ પ્રવૃત્તિઓ પણ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy