SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ આત્મ-ઉત્થાનની પાયા અહીં દ્રવ્ય એટલે ખાહ્ય અને ભાવ એટલે અભ્ય‘તર એમ સમજવુ'. દ્રવ્યતીથ એટલે નદી, દ્રુહ આદિને ઊતરવાના આરા. ભાવતી એટલે સ’સારનદી, માહદ્રેષ, ભવસમુદ્ર આદિને પાર પામવાનાં સ્થાના. દ્રવ્યતીથ પણ બે પ્રકારનાં છે, એક અપ્રધાન દ્રવ્યતી કે જે ભાવનુ` કારણુ બનતા નથી અને જેનાં દૃષ્ટાન્ત ઉપર આપવામાં આવ્યાં છે. બીજા પ્રધાન દ્રવ્યતી કે જે ભાવનાં કારણુ બને છે અને જેનાં દૃષ્ટાન્ત શ્રી શત્રુ...જય, સમ્મેતશિખર આદિ શાસ્ત્રપ્રસિદ્ધ છે. સમસ્ત કર્મથી મુક્તિ અપાવે તેવા નિર્મળ ભાવ સમસ્ત જીવાની રક્ષાના ઉદાત્ત પિરણામમાંથી સંભવે છે. તે પરિણામ લેાકેાત્તર દ્રવ્યતીના સેવક એવા પવિત્ર અતકરણમાં પ્રગટ થતાં દેખવામાં આવે છે. તેથી શ્રી જૈનશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા શ્રી શત્રુ જયાદિ તીર્થં સ્થળાને જ લેાકેાત્તર દ્રવ્યતીર્થ તરીકે સ ંભાળ્યાં છે. એવાં તીર્થોનું સેવન આજે પણ ભાગ્યવાન આત્માઓ નિર્મળ ભાવથી કરે છે અને તેના પિરણામે સમગ્ર માઁથી આત્માને મુક્તિ અપાવનાર પરિણામની ધારાને પાળવાના અધિકારી બનતા દેખાય છે. તે કારણે શ્રી જૈન-આગમામાં ભાવના કારણરૂપ દ્રવ્યતીર્થોના મહિમા પણ ઘણા ગવાયેા છે. તીથ મહિમા આ અવસર્પિણીમાં ધર્મના આદિ કાળથી આજ પર્યં ́ત શ્રી શત્રુંજય, શ્રી રૈવતાચલ (ગિરનારજી) અને શ્રી અષ્ટાપદ આદિ તીર્થોના મહિમા સુંદરમાં સુંદર રીતે ગવાયા છે. અને તે તીર્થંથી યાત્રાએ તથા તે તે તીર્થાંમાં શ્રી તીથ કરદેવાના ચૈત્યેા અને બિમ્બે તથા તેની પ્રતિષ્ઠા અને પૂજાએ ઘણા ઊંચા ભાવથી અને મહાત્સવથી થાય છે. બધાં તીર્થાંમાં શ્રી શત્રુ...જય તીથ ઘણું પ્રસિદ્ધ છે. ત્યાંની યાત્રાએ, પૂજાએ, રચનાઓ, સૌથી વધારે પ્રમાણમાં થાય છે તથા ત્યાં જવા માટેના સ`ઘા સૌથી વધારે સંખ્યામાં નીકળે છે. શ્રી શત્રુ ંજય તીર્થનું યાન છ મહિના સુધી પ્રાતઃકાળે એકાગ્ર ચિત્તથી કરવામાં આવે, તેા કવિપ્રવર શ્રી વીરવિજયજી મહારાજના શબ્દોમાં— વિમલાચલ પરમેષ્ઠિનું' ધ્યાન ધરે ષટ્ માસ, તેજ પૂરવ વિસ્તરે, પૂરે સઘળી આશ.' આવુ. અનુપમ શ્રી શત્રુંજય તીર્થ કે જે વિમલાચલ ગિરિરાજના નામે પણ સુપ્રસિદ્ધ છે તેના પ્રભાવ છે. આ વિમલાચલ ગિરિરાજનું છ મહિના સુધી ધ્યાન ધરનારની આશા પૂર્ણ થાય છે અને તે ધ્યાનના બળે તેનામાં અપૂર્વ જ્ઞાનરૂપી તેજ વિસ્તાર પામે છે. આ ગિરિરાજના ધ્યાનથી ત્રીજે ભવે સિદ્ધિ મળે છે. ઉત્કૃષ્ટ પરિણામથી 'તમુહૂત માત્રમાં મુક્તિ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy