SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ છતાં “સ સુા , તુમ મેરા” આ દશા જવાની છે. જ્ઞાન કરનાર, જ્ઞાન વધારનાર આત્મા પિત, પણ તેને હુકમ ચાલે નહીં. રિસીવર વડીલે પાજીત મિલ્કત ઉપર નિમાય. સોપાર્જીત મિલ્કત હોય તે ન નિમાય. પણ અહીં તે બધું રિસીવરેએ કબજે કરી લીધું છે. કર્મ જીવને જેમ ભમાડે તેમ ભમ્યા કરવાનું. જે ગતિમાં ફેંકે ત્યાં જવાનું ! કર્મ બીજી ગતિમાં ચાલ્યા જવાને હુકમ કરે છે એમ કહી શકાય ખરૂં કે અત્યારે પત્ની-પુત્ર-પરિવાર-સ્વજન કોઈ પાસે નથી. બધાને મેળાપ થઈ જાય પછી વાત. અમુક ઉઘરાણી બાકી છે, તે કરી લઉં, પછી જઈશ. એમ કહી શકાય ખરું? અરે! કમને હુકમ થયા પછી એક ડગલું પણ ભરી શકાય નહીં. આ શું ઓછી પરાધીનતા છે? વળી કમ રાજાનું રાજ્ય કેટલું જમ્બર છે! જગતનાં બધા રાજ્ય તપાસે. એવું જુલમી રાજ્ય એકેય નહિ મળે કે જ્યાં રિયત કરતાં લશ્કર વધારે હોય. અહીં આત્માના એક એક પ્રદેશે અનંતાનંત કર્મવગણના પુદગલે છે. એક પ્રજા પાછળ એક સીપાઈ રાખવામાં આવે તે પણ પ્રજા ઉચુ માથું ન કરી શકે. પણ અહીં તે એક જીવની પાછળ અનંતા સીપાઈઓ બેઠા છે. આટલી જીવની પરાધીનતા હોવા છતાં જીવ જે જાગૃત થાય, ધર્મરૂપી શમશેર લઈ યુદ્ધ મચાવે તે કર્મો ઉભી પૂંછડીએ ભાગે. તલવાર મળ્યા પછી ખેલાડી બનવું જોઈએ તે કાર્ય થાય. એક વણિક અને ગરાસિયા વચ્ચે મિત્રતા હતી. અવારનવાર બંને મળે, એકવખત ગરાસિયે બહાર ગામ જઈ રહ્યો છે. તે વખતે પેલે વાણિયે તેને મળે. ગરાસીયાએ કેડે તલવાર બાંધી છે. એ જોઈ વણિકે કહ્યું, અલ્યા! આ શું છે? ગરાસિયાએ જવાબ આપ્યો. “અરે ! આ તે તલવાર છે. આનાથી ચેર લુંટારા પાસે ન આવી શકે. ધાડપાડુઓ ભાગી જાય. અને શત્રુ શરમાઈ જાય”. આ સાંભળી શેઠને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું.” “મને એ આપને ?” ગરાસીયાએ જવાબ આપે “શેઠ! હું બહારગામ જઈ આવું પછી આપને આપીશ” તે પછી થોડા દિવસે ગરાસીયાએ તલવાર વણિકને આપી. આ વણિકને ઉઘરાણી કરવા ઘણીવાર જવું પડે. તેથી તલવાર લઈ લીધી અને એક દિવસ ઉપડયા બહાર ગામ. પણ પેલા ગરાસીયાને વિચાર આવ્યું. મારા નામવાળી તલવાર વાણીયાને આપી છે. જે તે કોઈને મારશે તે વાંક મારો નીકળશે, માટે મારે કાંઈક કરવું જોઈએ, આમ વિચારી પોતે બહારવટીયાને વેશ પહેરી બુકાને બાંધી શેઠ ગયા છે તે તરફ ગયો અને જંગલમાં શેઠને મળે. બહારવટીયાને જોતાં શેઠને થયું “આને ખબર લાગતી નથી કે મારી પાસે તલવાર છે.” બહારવટીયાએ તે શેઠને પડકાર કર્યો, ત્યારે શેઠે તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને ભોંય પર મૂકીને, તલવારને કહ્યું તલવાર“તારા માલિકને ત્યાં કરતી હોય તેમ કર.” આ સાંભળી ગરાસીયાને
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy