SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પહે થાય છે. ધર્મને જીવનમાં કેટલે પચાવ્યું છે તે ખાટલે પડે ત્યારે ખબર પડે. આત્મા અને દેહ ભિન્ન છે, એમ બોલવું સહેલું છે, પણ જીવનમાં વણવું મુશ્કેલ છે. કમને ઉદય જ્ઞાનને ઉદય કરાવવા આવે છે. રર દિવસ પથારીમાં રહેવું પડયું તે અનેક બાહ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મળી એમ સમજી ભેદ વિજ્ઞાન કરવાને અપૂર્વ અવસર મળે છે એમ માની આત્મામાં ડુબકી મારે. આત્માના ગુણરૂપી રન્નેને પ્રાપ્ત કરવા માટે અહીં આપણું આગમન થયું છે. કોઈ ઝવેરી રત્ન કમાવવા માટે રત્નદ્વીપમાં જાય છે, ત્યાં રહેવા નાની એવી ઝુંપડી બનાવી રહે છે. મરજીવાએ દરિયામાંથી રત્ન કાઢી શેઠને આપે છે. શેઠ તે ખરીદી લે છે. એક વખત એ ઝુંપીને આગ લાગી. ઝવેરી રને લઈ પિતાને દેશ ચાલ્યા જાય છે અને ત્યાં કિંમતી રત્નને વેપાર કરી સુખી થાય છે. તેવી જ રીતે આ આત્મા એ ઝવેરી છે. મનુષ્ય ભવરૂપી રનદ્વીપ છે. જ્ઞાન-દર્શન ચારિત્રરૂપી રને છે અને કાયા એ કામચલાઉ ઝુંપડી છે. આ ઝુંપડીને નુકસાન થાય એટલે કે દેહમાં દઈ આવે અથવા મરણરૂપી આગ લાગે તેથી આત્માને શું? તેને તે રત્નનું રક્ષણ કરવાનું. વખત આવે રત્નને લઈ ચાલતી પકડવાની. ખજાને પાસે છે એટલે જ્યાં જશે ત્યાં સુખી અને સમૃદ્ધ બની શકાશે. કર્મ છે તે શરીર છે અને શરીર છે તે દઈ છે. શરીર ધારણ ન કરવા પડે તેવું કરા તે દઈ નહિ આવે. રેગ વખતે આકુળતા વ્યાકુળતા, રાગ જલ્દી મટે એવી ચિંતવાણા કરવી તે આર્તધ્યાન છે. અને નિયાણું કરવું તે પણ આર્તધ્યાન છે. નિયાણું કરવું એટલે લાખ રૂ.ના હીરાને કડીમાં વેચ. આર્તધ્યાનથી જે મુક્ત થાય તે અનર્થદંડને ત્યાગ કરી શકે . આઠમા વ્રતનું વિશેષ સ્વરૂપ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં ૮૬ આસો વદ ૮ સેમવાર તા. ૧૧-૧૦-૭૧ અનંતજ્ઞાની ભગવાન મહાવીર સવામીએ ભવ્ય છને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલ વસ્તુ. ભગવાન નેમનાથ નિષષકુમારને તેની સમજુતી આપે છે. વ્રત-પ્રત્યાખ્યાનથી આસ્રવ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy