SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈને વધ કરતાં નથી પણ આડકતરી રીતે ઘણીવાર પાપનાં ભાગીદાર બની જાય છે, કોઈની આજીવિકા તેડાવનારને પણ આ અતિચાર લાગે છે. છગ્નિ છે” આ ત્રીજે અતિચાર છે. કોઈ પણ પ્રાણીઓના નાક-કાન આરિ છેઠવા, કઈ અંગે પાંગ છેડવા તેને છવિ છેદ કહે છે. - “અતિભાર” એ પ્રથમ વતન ચે અતિચાર છે. મજુ, બળદ, ઘેડા, ઊંટ આદિ પર ગજા ઉપરાંત ભાર ભરે તે અતિભાર કહેવાય છે. તેમની શક્તિ ઉપરાંત કરચાકર, દાસ-દાસી પાસેથી કામ લેવું તે પણ અતિભાર છે. પાંચ અતિચાર છે “ભત્તપાવે છે” તેને અર્થ એ છે કે અન્ન-પાનને નિરાધ કરે. જમવા સમયે નેકરને ખાવા જવા ન દે. પિતાને કામ કરવું પડે. ઘાટીઓના ખાડા પડે અને ઘણું બાઈઓ રવા બેસે છે, અને મુંઝાય છે. એ પણ માણસ છે અને રજા માગે. તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવનાર કેટલા ? હું પગ ઉપર પગ ચડાવીને બેસું છું, લાવ સાથે એને હું મદદગાર બનું એમ કેમ થતું નથી ? જે કામ તને એક દિવસ માટે પણ ભારે પડે છે. તે તેનાથી ત્રીસ દિવસ કેમ થતું હશે ? તેનું કામ ઓછું કરાવવાની ઈચ્છા થાય ખરી? નેકરને ખાવાનું પણ ટાઈમસર આપવાની કાળજી ખરી? શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્ર, ઢંઢણું રાણુને અંગજાત ઢઢણ કુમાર ભગવાન પાસે દિક્ષા ગ્રહણ કરે છે. જે દિવસે દિક્ષા લીધી તે જ દિવસે અભિગ્રહ ધારણ કરે છે કે મને મારી લબ્ધિને આહાર મળે તે લે. દરરોજ ગોચરી માટે નીકળે છે, પણ કઈ જગ્યાએ અસુઝતું થઈ જાય છે. કોઈ જગ્યાએ વસ્તુ તૈયાર જ નથી હોતી. આમ છ મહિના વિતી ગયા, પણ આહારપાણીને જેગ થતો જ નથી. એક દિવસ કૃષ્ણ મહારાજ પ્રભુને વંદન કરવા આવ્યા છે. વાંદી, નમસ્કાર કરી પૂછે છે હે પ્રભુ, આપના ૧૮૦૦૦ સાધુ–મહાત્માઓમાં સૌથી ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરનાર કોણ છે? ત્યારે પ્રભુ કહે છે, તારે પુત્ર ઢઢણમુનિ ઉગ્ર તપ કરનાર છે. આ સાંભળી કૃષ્ણ મહારાજા ઢઢણમુનિના દર્શન કરવાની ઈચ્છા પ્રદર્શિત કરે છે. પણ તેઓ ગોચરી પધાર્યા છે. તેથી ભગવાનને વાંદી શ્રીકૃષ્ણ પિતાના રાજ્યમાં જવા રવાના થાય છે. રસ્તામાં ઢઢણમુનિ મળે છે. કૃષ્ણ મહારાજા હાથી પરથી નીચે ઉતરી મુનિને નમસ્કાર કરે છે. આ દશ્ય એક કંદોઈએ જોયું. એને થયું, એ મુનિને હું આહાર આપું તે કૃષ્ણ મહારાજાની કૃપાદૃષ્ટિ મારા પર ઉતરશે. તે જલદી મુનિ પાસે ગયે. અને પિતાની દુકાને લઈ આવ્યા અને ચાર લાડવા ભાવપૂર્વક મુનિને વહેરાવ્યા. મુનિ આહાર લઈ પ્રભુ પાસે આવે છે, છ મહીના થયા છે તે પણ ધીરજ તે જુઓ. લાડુ મળે છે પણ જલદી ખાવાની ઉતાવળ નથી. પણ પિતાની લબ્ધિના છે કે નહીં તેની ખાતરી કરવી છે. તેથી ભગવાનને પૂછે છે, “આ લાડવા એક ફઈએ વહેરાવેલ છે, પ્રભુ! એ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy