SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ સ કરે છે. અને તે બધી વાત કરે છે. તે વાત સાંભળી વિવેકાન' જવાબ આપે છે, તમારા દેશમાં માનવતાનું મૂલ્ય કપડાથી થાય છે. હિન્દુસ્તાનમાં માનવતાનાં મૂલ્યા સદાચારથી થાય છે. જીવનની અંદર જેણે સદાચારની સુવાસ ફેલાવી છે, તે મહાન છે. વીટામીન ૰ જીવન માટે ખુબ ઉપયોગી છે. જો વીટામીન - તાત્કાલિક લેવામાં આવે ત અવશ્ય તમારા ઉદ્ધાર થશે. વીટામીન D એટલે ડીસીપ્લીન. જ્યારે માણુસના જીવનમાં શીસ્ત આવે છે, ત્યારે જીવન ઊ'ચુ' અને સારૂં' અને છે. હિન્દુસ્તાનમાં શીસ્તને ખૂબ અભાવ છે. જ્યારે ખ્રીસ્તીના ચચાઁ કે પારસીની અગ્યારી પાસેથી નીકળશું તા ત્યાં ખુમ શાંતિમય વાતાવરણ એવા મળશે. ત્યાં પીન, ટાંચણી પડશે તે પણ અવાજ થાય એવી શાંતિ હોય છે. નાનું બાળક પણ સમજે છે કે અગ્યારીમાં મૌન રાખવું જોઈ એ સૈનિકાને પરેડ કરતાં જોયા હશે. તેઓ જ્યારે ચાલશે ત્યારે એકી સાથે ચાલશે. અને ઉભા પણ એકી સાથે રહેશે. કદી અવ્યવસ્થા નહી' લાગે. અહી' ગુરૂ મહારાજ ઉત્તમ તત્ત્વ સમજાવી રહ્યા હાય ત્યારેશ્રોતાએ વાતા કરશે અને અવાજ કરશે. ભલે ગમે તે સમાજ હાય પણ શિસ્ત દરેકને માટે અનિવાય છે. શિસ્ત એ ખૂબ ઉપયાગી છે. જીવનના જંગની અંદર કે આધ્યાત્મિક વિકાસની અન્દર શિસ્ત હશે તેા અવનવા પ્રકાશને પ્રાપ્ત કરી શકીશું. વિટામીન E એટલે એજ્યુકેશન-જ્ઞાન. જ્ઞાનના એ પ્રકાર છે. (૧) બૌદ્ધિક જ્ઞાન. (૨) આત્મિક જ્ઞાન. માત્ર જાણી લેવું એ એક પ્રકારનું જ્ઞાન છે. બૌદ્ધિક જ્ઞાન ખૂબ વધ્યું. ભણતર સાથે ગણતર જોઈએ ને ચણતર જોઈ એ, એ નથી. વિદ્યાથી જ્ઞાન મેળવશે. પણુ ગુરૂ સાથે અસત્ય વન કરશે. માત્ર ડીગ્રીના બન્ને મગજમાં વધારશે. પણ વત શુક નહિ સુધારે. જ્ઞાન એ ખરૂ ત્યારે કહેવાય જ્યારે જીવનની અ ંદર ઉતરે. એ જ્ઞાન તમારા આત્માની અનુભૂતિ કરાવે. એકવાર જ્ઞાન પ્રાપ્ત થાય પછી જડ અને ચેતનનું ભેદ વિજ્ઞાન થઈ જાય. જીવનની અંદર જ્યાં સુધી અજ્ઞાનતા હૈાય ત્યાં સુધી પર વસ્તુ મારી છે એમ જીવ કહે છે. જીવ પારકા ઘરમાં ડહાપણ કરવા જાય છે. તેથી હેરાન થાય છે. પેાતાનુ છે તેમાં ભલે લાખાના ખર્ચે કરે તેા કોઈ કાંઈ કહે નહુિં પણ પારકાની પેટીમાંથી જે પાંચ રૂપિયાની નેટ લે તે ચારી કડૅવાશે. જગતના જે જે પાર્યાં છે તે પરપદાર્થા છે. એ તારા થવાના નથી. થશે પણ નહીં. આની અંદર તરુ ડહાપણ ડાળીશ તા પણ નકામુ છે. અને ઉપરથી તમાચા ખાવા પડશે. તારા જ્ઞાન ચારિત્રમાં તારી શક્તિ વાપર, જ્ઞાન એ અમૃત છે. સમુદ્રનું મથન કરવાથી અમૃત નીકળ્યું પણ જ્ઞાન તા સમુદ્ર વગર ઉત્પન્ન થયેલ અમૃત છે. આ જ્ઞાન મૃત્યુજય બનાવવાની શક્તિ ધરાવે છે. આત્માની સ્વચ્છતા ઉભી કરે છે. સ્વચ્છ પદ્માની તેજસ્વી સપાટી પર સવ સત્ય આપેાઆપ પ્રતિષિ'બિત થાય છે, આ અમૃતનું પાન કરનાર અમર બની જાય છે. જ્ઞાન એ રસાયણ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy