SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ તે ધ્યાનસ્થ દશામાં છે, શ્રેણિક મહારાજા સાથે કાંઈ વાત કરી નથી છતાં તે કહે છે કે મુનિની ક્ષમા કેટલી છે? આ કયાંથી જાણ્યું? મુનિનાં મૌન ચારિત્રે એને ઉપદેશ આપ્યો. સંત ઔર પારસમેં બડે આંતરે જાણું, વે લોહા કંચન કરે કરે આપ સમાન, * પારસ લેઢાને બીજા રૂપમાં ફેરવે છે. એટલે સોનું બનાવે છે. પણ સંતની પાસે આવનારને સંત પિતાના જેવા બનાવે છે. આજ સુધી જીવે રખડપટી ઘણી કરી છે. પણ સંતને સમાગમ કર્યો નથી. અને ભકિતથી દિલ રંગાવું જોઈએ એ રંગાયું નથી. હવે જે રખડપટ્ટીને અંત લાવે હોય તે દિલથી રંગાઈ જાવ. દિલને ધર્મમય બને અને નિખાલસ બનાવે જેથી તમે તત્વને પામે. તમારી પાસે આવનાર પણ કંઈક પામી જાય. ધાર્મિક ક્રિયાને નિષ્ક્રિય ન બનાવે. સક્રિય બનાવે. જે રૂપિયાની અંદર રસ છે, વૈભવ મેળવવાની જેવી આસક્તિ છે, ઉલાસ છે, એ ઉલ્લાસ આત્માની રૂદ્ધિ મેળવવા માટે નથી. એક સાધક મહાત્મા પાસે આવે છે અને કહે છે, “મને ભગવાન મળતા નથી. આપ બતાવો” મહાત્મા કહે છે. “તારી પાસે રૂપિયે છે?” “હા, પછી સંતે એક કાગળ ઉપર પ્રભુનું નામ લખી કહ્યું. “આના ઉપર તારે રૂપિયે મૂક” પેલા સાધકે તેમ કર્યું પછી સંતે કહ્યું “બેલ, ભાઈ, હવે તને પ્રભુનું નામ વંચાય છે?” “ના” સાધકે ટૂંકમાં જવાબ આપે. “પૈસાથી પ્રભુ ઢંકાઈ ગયે છે તેથી દેખાતા નથી.” સંતે પ્રયોગ કરી સાધકને બતાવ્યું. ઈશ્વરનું દર્શન કરવા માટે રૂપિયાનું વિસર્જન કરવું પડે છે. આ વાત પેલા સાધકના હૈયામાં બરાબર જચી ગઈ. આત્મા પરમાત્મા અવશ્ય બની શકે છે. પિતે પિતાને નિહાળી શકે છે, પણ તેને માટે પ્રયત્ન કરી જોઈએ. અહંને ઓગાળી નાખ જોઈએ. રૂદ્ધિ-સમૃદ્ધિ-સત્તા આદિના મોહથી વિરક્ત બનવું જોઈએ. એક મહાત્મા પાસે ત્રણ સાધકો આવે છે. તેમાં એક રાજાને કુંવર છે, એક પ્રધાનને પુત્ર છે, અને એક નગરશેઠને દિકરો છે. ત્રણેય નમન કરી વિનયપૂર્વક મહાત્મા પાસે બેસે છે. અને કહે છે કે આમાની સાધના કરવા માટે અમે આપની પાસે આવ્યા છીએ, આપ યંગ્ય માર્ગદર્શન આપે. મહાત્માએ સૌથી પ્રથમ ત્રણેયને પ્રશ્ન કર્યો. “આપ કેણ છે?” રાજકુમારે કહ્યું.” હું રાજકુમાર છું. વીસ ગામને સ્વામી છું, અમારે ત્યાં રૂદ્ધિ-સમૃદ્ધિ અપાર છે.” વણિક પુત્રે કહ્યું. “મહાપુરૂષ! હું નગરશેઠને પુત્ર છું. એક કરોડ રૂપિયા મારા પિતા પાસે છે. અને છેલ્લે પ્રધાનપુત્રે કહ્યું – પ્રભો! હું કોણ છું એ હું જાણું હેત તે આપની પાસે આવત શા માટે? આપ જ મને બતાવે કે હું કોણ છું”? આ સાંભળી સંતે કહ્યું. “તમે ત્રણમાં એકને પિતાની સત્તાનેપ્રતિષ્ઠાને મિહ છે, બીજાને પૈસાનો અહં છે. સ્વયંને પામવા આ એક જ આવે છે.” પદવી અને પ્રતિષ્ઠામાં જ પ્રસન્નતા માનતે પ્રભુતાને કેમ પામી શકે? સત્તા તારી પાસે રહેવાની નથી. કંચન અને માટીને ટુકડો જ્ઞાનીની દૃષ્ટિએ સમાન છે. શાશ્વત
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy