SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સારથીને કહે છે. ઊઠ, ઊભે થા. આ પશુઓ કતલ કરવા ગ્ય નથી. જલ્દીઆ પિંજરાના બારણું ખેલી નાખ અને આ ઇવેને અભયદાન આપ.” સારથી બારણું ખેલે છે. મૂંગા પ્રાણીઓ આશીષ આપતાં તત્કાળ વનમાં નાસી જાય છે. અને ઊડી શકે તેવા પંખીઓ આકાશમાં ઊડી જાય છે. “રથને પાછો વાળ. સારથી, રથને પાછો વાળ.” સાથીને રથ પાછો વાળવાનું સૂચન કરી નેમકુમાર બધા દાગીના સારથીને આપી દે છે. કોઈ જીવને તમે જાન આપી શકે છે? “ના” તે કોઈને જીવ લેવાને તમને શે અધિકાર છે? જાન પાછી વળે છે. “અરે નેમકુમાર પાછા કેમ જાય છે? “શ્રી કૃષ્ણ પૂછે છે. જે આમ બને તે યાદવોનું નાક કપાઈ જાય. આવા બનાવ ક્યાંય બન્યા નથી. રાજુલ વિનવે છે. હે નાથ! તમે પાછા ન જશે. રાજુલ ધ્રુસકે ધ્રુસકે રડે છે. તે બેભાન થઇ જાય છે. કન્યા લીધા વિના જાન જાય નહિ, જાદવકુળની આ રીત નથી. પણ નેમકુમારે જે નિર્ણય લીધો એમાં ફેરફાર થાય નહીં. ઉગ્રસેન આદિ કહે છે. કન્યાને તે પરણે, કલ નહીં કરાવીએ. કેમકુમારને તે એક જ જવાબ છે. “હવે એ નહિં બને. અમે શિવરમણને વરીશું.” રાજુલની માતા કહે છે “રાજુલ! ઈ-રાઈને શા માટે અડધી થાય છે? દુનિયામાં વરરાજાનાં કયાં તેટા છે? આપણે તારા માટે નેમકુમારથી અધિક શેભીતે એવો વર શોધશું.” માતાનાં વચને સાંભળી રાજુલ કહે છે. “તને વિનવું છું માડી તારા પગમાં પડી, હવે નહીં રે ઓઢું હું બીજાની ચુંદડી, બીજાનાં મીઢાળ મારે નથી બાંધવા, બીજા કૈઈ દેવને નથી રે આરાધવા, નવલી દુનિયાની મને કેડી જડી, હવે નહીં રે ઓઢું હું બીજાની ચૂંદડી. રાજુલ દેવી માતાને કહે છે, “મારે અંગે તે તેની પીઠી ચડી છે. પતિનાં પગલે ચાલવું એ સતીને ધર્મ છે. પતિવ્રતાને તે એક જ પતિ હય. શરીરથી લગ્ન થાય એ લગ્ન નથી પણ હૃદયનાં લગ્ન થાય એ સાચા લગ્ન છે. હવે કેમકુમારને પગલે જાવું છે અને જેની પાસે જેગણ થઈ રહેવું છે” આજે હજારો વર્ષોથી આપણે તેમ-રાજુલને યાદ કરીએ છીએ. તે એ કેવા બ્રહ્મચારી હતા. જગતમાં જેની જેડ જડે નહિં. નેમે દિક્ષા લીધી. પછી રાજુલે દિક્ષા લીધી. નેમનાથ ભગવાનને દીક્ષા લીધા પછી ચપનમે દિવસે કેવળજ્ઞાન થયું. દીક્ષા લીધા પછી નેમનાથ ભગવાન દ્વારિકામાં પધાર્યા છે. નિષકુમાર પ્રભુની વાણી સાંભળે છે. તેનામાં કેવું પરિવર્તન થશે તે અવસરે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy