SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ટી સિવાય બીજી સુ'દર વસ્તુ મળતી નહિ હાવાથી તેના ઉભેળ કરી શકતા નથી. તેથી તેઓ ત્યાગી કહેવાતા નથી, કારણ કે મળે તા ભાગવવાની ઇચ્છા રહેલી છે. જેની પાસે બધી સામગ્રી હાય અને ત્યાગ કરે તે તેને સાચા ત્યાગી કહેવાય છે. ગૌતમ સ્વામી પૂછે છે કે નારકીના જીવા ઘણાં દુઃખા ભાગવે છે, ત્યારે થાડા કમ ખપાવે છે, અને મનુષ્ય આટલા બધા કર્મો ખપાવે છે તેનું કારણ શુ? તેને ખુલાસ કરતાં ભગવાને ભગવતીજીમાં કહ્યું છે કે એક ઘરડા માણસ જેને આંખથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, પગથી ચાલી શકાતું નથી, એવા વૃદ્ધ પુરૂષને બુઠો કુહાડા આપી ગુદીની ચીકણી ગાંઠ કાપવાનું કહેવામાં આવે તે એ પુરૂષ સવારથી સાંજ સુધી પ્રયત્ન કરે છતાં તે ગાંઠ કાપી શકતા નથી. તેમ નારકીના જીવાએ ગુંદીની ગાંડ જેવા ચીકણાં કમ બાંધ્યા છે અને તેને કાપવા અવિરતિના ખુઠો કુડાડા તેની પાસે છે. એક યુવાન પુરૂષ છે. જેના વજ્રના હાડકાં. એની ઉપર વજ્રના પાટો અને વાના ખીલાં મારેલા છે. તેવા પુરૂષ પર થઈ ને ગાડા તથા મેટર ચાલ્યા જાય તે પશુ એક હાડકુ ખસે નહિ, તેવા બલિષ્ઠ અને યુવાન પુરૂષને ખાખરાનું સૂકું લાકડું કાપવા માટે તીક્ષ્ણ કુહાડા આપવામાં આવે તે કુહાડાના એક જ ઘાએ તેના ટુકડે ટુકડા થઈ જાય છે તેમ મનુષ્યના કમ ખાખરાના ઝાડ જેવા છે, ને વિશ્તીના તિક્ષ્ણ કુહાડો તેની પાસે છે. પછી ક્રમ ભેદવામાં એને કેટલી વાર લાગે? પણ આ સુંદર માનવ અવતારમાં વિરતી માગે આવી દુષ્ટ વૃત્તિને ત્યાગવી જોઈ એ. તપ માગે આવવા માટે આડાર સંજ્ઞા પર કાપ મૂકી. આ જીવે અનતાનત ભામાં ખાવા પીવામાં કાંઈ બાકી રાખી નથી. સાયરના નીરથી ઘણાંયે, મેં પીધા માયના થાન; તૃપ્તિ ન પામ્યા આતમાજી, અધિક આરાગ્યા ધાન હા, માવડી ! ક્ષણ લાખેણી રે જાય... આ જીવે અસંખ્યાતા સમુદ્રના પાણી કરતાં માનું દૂધ વધારે પીધુ છે, છતાં તૃપ્તિ થઈ નથી. મનુષ્યના કેટલા ભવ કર્યાં ! “ અનંતા” કેટલા ઈષ્ટ, મિષ્ટ ભેાજન આાગ્યા ? છતાં તૃપ્તિ લાધી ? હવે આ વીરના શાસનમાં આવ્યા છે તે તપનું ખમીર પ્રગટાવા. વીરના પુત્ર વીર હાય કે કાયર? તમે કેાના પુત્રા છે? વીરના કે કાયરનાં ? “ વીરના.” આ વીરના માર્ગ છે, કાયર નહિ. તપનું લક્ષણ છે ઇચ્છાના નિધિ. આહાર કરવા એ આત્માના સ્વભાવ નથી. માટે વિચારા કે મારે મારા અલ્પાહારિક સ્વભાવમાં ટકવુ છે. ઉપવાસ તપને કેટલે મહિમા છે? એક ઉપવાસ પર પારસી કરે તા એ ઉપવાસનું ફળ મળે. એ ઉપવાસ એટલે કરે તેા પાંચનું, અક્રમ કરે તે પચીસનું, ચાર કરે તે એકસો પચીસ, પાંચ કરે તે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy