SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ રાજાને રૂબરૂ કેવી રીતે કહેવું એટલે રાત્રીનાં વખતે રાજાનાં શયનગૃહમાં જઈ ભીંત ૧૨ એક વાક્ય લખે છે, “બાપાથે ધન ક્ષેત”હે રાજન ! આપ દાન આપે છે તે સારી વાત છે પણ જ્યારે રાજ્ય પર આપત્તિ આવી પડશે તે ખબર નથી. માટે તેનું રક્ષણ કરવું જોઈએ. જેથી આપત્તિમાં કામ આવે. રાજાએ વાકય વાંચ્યું. રાજા પણ ખૂબ જ વિદ્વાન હતું એટલે તેણે એની નીચે બીજું વાક્ય લખ્યું, “મળે જવ બાપ”? રાજા લખે છે, “ધમીને આપદા કયાંથી ?” ધમીને એના ધમપ્રભાવે ક્યાંય પણ વાંધો આવતો નથી. બીજા દિવસે પ્રધાને આ વાંચ્યું. એટલે તેણે તે વાક્ય નીચે લખ્યું. “if જોરેકદાચિત દેવ કોપાયમાન થાય તે શું કરશે? તે વાંચી. રાજાએ લખ્યું, નંતિ ડપ વિનરથતિ” નસીબ પલ્ટી ખાય છે ત્યારે સંચિત કરેલું દ્રવ્ય પણ ચાલ્યું જાય છે. ધનના ચરૂ દાટેલા હોય તે પણ કાં તે કેલસા થઈ જાય છે. અથવા તે ભમરા થઈ ઉડી જાય છે. તમને તમારા ભાગ્ય પર આવો વિશ્વાસ છે?” રાજા કહે છે કે જે સત્કર્મમાં વાપરેલું છે તે સાથે આવશે. નહિં તે લક્ષમીને મેહ માર ખવડાવે છે. જેમ મદીરા પીવાથી નશો ચડે છે, તેમ છવને પૈસાથી મદને નશો ચડે છે પણ જે વિવેકી છે તેને કાંઈ વાંધે આવતું નથી. પેલા શિક્ષક કહે છે, આ પૈસે મારે જોઈએ નહીં અને પિતા બે મિત્રો કહે છે અમારે એ જોઈએ નહીં. માસ્તર કહે છે, આ પૈસો મને કાળા નાગ જે દેખાય છે માટે મારે ન જોઈએ, પેલા મિત્રે કહે છે અમે અમારા હજાર હજાર લઈ લઈએ. બાકીના તમે લઈ લો તે પણ માસ્તર ના પાડે છે. આ પૈસા મારે જોઈએ જ નહીં. કોઈ માણસ સાણસામાં નાગ પકડીને તમારે ઘેર મુકવા આવે તે તમે મુકવા દેશે? નહિ, કેમકે તમને તેની ભયંકરતા સમજાઈ છે. એમ આ પરિગ્રહ એ કાળો નાગ છે. શું તમને નથી લાગતું કે પરિગ્રહ કેટલી ઉપાધિ કરાવે છે? માસ્તર તે પેલા પૈસા લેવાની ચોક્ખી ના પાડે છે. પરિગ્રહ પવને બહુ લાવનાર અને લલચાવનાર છે. આ વાત માસ્તર સાહેબને બરાબર સમજાઈ ગઈ છે, તેથી હાથ પણ લગાડતાં નથી. પિલાઓએ રૂપિયા પાછા ભરવા માંડયા. ત્યારે માસ્તરની પત્ની જે આ વાર્તાલાપ સાંભળી રહી છે તે બેલે છે. તમારી બુદ્ધિ છે કે નહીં? “સાઠે બુદ્ધિ નાઠી છે!” આમાંથી થોડાં રૂપિયા તે રાખે. આ દાણાવાલાનું બીલ આવ્યું છે. કેલસાવાળાને પૈસા દેવાના છે. જુઓ, આ ધર્મપત્ની કે કર્મ પત્ની? માસ્તર કહે છે, હું બધાને પહોંચી વળીશ તું તારે ઘરનું કામ કર. જીવણલાલ અને જોરાવરસિંહ તે આ સાંભળીને આભા જ બની ગયા. તેઓ વિચારે છે કે કોઈને ય ન જોઈએ તે હવે શું કરવું? પછી બંને મિત્રે વિચારે છે કે આ રૂપિયા દાનમાં આપી દઈએ. માસ્તર કહે છે,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy