SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ GK આનદઘનજી મહારાજ કહે છે કે, હું ખાવરા! કયાં સુધી સૂતા રહીશ ? ધ્રુવે ઊઠે, ઊભા થા. હથેળીમાં લીધેલું પાણી ટપકીને પડી જાય છે. એમ આયુષ્ય ટપકી રહ્યું છે. દરેક ક્ષણે, દરેક મિનિટે, કલાકે, દિવસે તારૂ' આયુષ્ય ઘટતું જાય છે. તારી ક્ષણેા વ્યર્થ જાય છે. હાથમાં માગર લઇ પહેરેગીર આંટા મારે છે. ડંકા વગાડે છે. ઘડીયાળ પણ ડંકા વગાડે છે. ઘઉંટા વગાડીને બધાંને ઉઠાડે છે, તથા સંદેશ આપે છે કે બધાને ચાલ્યા જવાનુ છે. કાઈ અમર નથી. આયુરૂપી હથેળીમાં ખાખામાંથી પાણી ટપકતાં ટપકતાં હવે થાડું પાણી રહ્યું છે. થાડી જીઈંગી ખાકી રહી છે તેા કાંઈ કરી લે. આત્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરવા લાગી જાવ. સ્વભાવ દશામાં જાગૃત થાવ. જેણે ધનુ' ભાથુ' માંધ્યુ છે એક હિત થઈ જાય છે, અને મેાક્ષ માર્ગના અધિકારી બને છે. ખાટાં લાડવાને ખાવા કરતાં સાચા લાડવા ખાઓ તા તેના સ્વાદ આવશે, એમ જીંદગીને માણવી હશે તેા ઉપાધિ ટાળી ધર્મની આરાધના કરશેા તા અવશ્ય ધમ તમને બંધનથી મુક્ત કરશે. સાચી વિદ્યા ખંધનથી મુક્ત કરાવશે. જ્ઞાનીએ સાચે માચી'ધે છે. જો તે માગે નહી. ચાલીએ તા આપણે દુઃખી થવુ પડશે. જ્ઞાની પુરૂષા સામાન્ય ઋદ્ધિ, સંતતિ કે સ્ત્રીમાં આસક્ત થયેલાં જીવાને સમજાવે છે કે તારાથી પ્રમળ ઋદ્ધિવાળા પણ આખરે ચાલ્યા ગયા છે. જેના નામનિશાન પણ રહ્યા નથી. માટે ભગવદ્ ભક્તિમાં લીન થઈ મનુષ્ય-ભવને સાર્થક બનાવ. જ્ઞાનીઓએ કહેવામાં કાંઈ ખાકી રાખ્યુ` નથી. નિષકુમાર ભણીગણીને તૈયાર થઈ જાય છે. પછી તેમના આચાય રાજાને કહેવડાવે છે કે નિષકુમાર ભણીને ખરાખર તૈયાર થયેલ છે. તમે બીજા પડિત પાસે પરીક્ષા લેવડાવા તે ખબર પડશે કે મે' કેવા અભ્યાસ કરાવ્યા છે. તમારી પરીક્ષા જીવનને અંતે લેવાશે કે તમે આખી જીંદગીમાં અનાસક્ત યાગને કેવા કેળવ્યા છે? પાઘડીને વળ છેડે નીકળશે. દુનિયા તમારી પાછળ આંસુ પાડે પણ તમારૂ મેહું હસતુ રહે તેવી તૈયારી કરો. હવે નિષકુમારની પરીક્ષા કેવી રીતે લેવાશે, એ અધિકાર અવસરે કહેવાશે. વ્યાખ્યાન ન...૩૦ શ્રાવણ સુદ ૪ મગળવાર તા. ૧૦-૮-૦૧ ન'તજ્ઞાની ત્રૈલેાકય પ્રકાશક, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાંતથી સમજાવ્યું છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત, ખારમા ઉપાંગમાં (વર્હિદશા) નિષકુમારના અધિકાર ચાલે છે. નિષકુમાર ભણી-ગણીને તૈયાર થયા છે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy