SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સેવા ન કરે તે મરતાં મરતાં રે છે, કારણ કે સાથે લઈ જવાતું નથી. એ હાઈ જવાનું હેત તે પિતા એના પુત્ર માટે એક પાઈ પણ મુકીને જાત ખરે? - પરભવની અંદર સાથે આવે એ એક માત્ર ધર્મ છે. કરવું સતકર્મ સાથે આવે છે ઈન્દ્રિય પર વિજય મેળ હશે, જીવનમાં અનાસક્ત યોગને કેન્યા હશે તે દેવગતિમાં ઉત્પન્ન થતાં દેવાંગનાઓ, ધન, માલ, ખજાને વિ. યાદ નહીં આવે, પણ તિર્થંકર ન કયાં બિરાજે છે તે યાદ આવશે. અહીં ને અનારકત ચાર ત્યાં વધુ પુષ્ટ બનશે, માટે જ્ઞાની પુરૂષ કહે છે કે તમે તમારા અવનને ધર્મમય બનાવે. “ધર્મ રિલેકે હાલ છે, ધર્મ જ સાચે માલ છે, ધર્મ વિનાની અંદગી, ભવભયને સવાલ છે. (૨) ઠોને ખબર છે કાલની, દેહ તણી દિવાલની...(૨) યુદ્ધના મેદાનમાં જતાં પેઢાને ઢાલ એ રક્ષણ કરનાર ધર્મ છે. ધર્મ વિનાની અંદગી ભવાટવીમાં ભટકાવનાર છે. ધર્મ દુર્ગતિમાં પડતાં એને ધારી રાખે છે. તમે સ્ત્રી-પુત્ર -પરિવાર-વૈભવને સારભૂત પદાર્થ માનેલા છે, પણ ધર્મ જ સાચે સાર છે, સાચો માલ છે. ૫ર ૫દાર્થ ગમે તેટલા મેળવશે પણ કાયમી શાંતિ મળવાની નથી. ઈન્દ્રિયનાં તર્પણમાં ઇધન જેમ જેમ નાખતા જશે તેમ તેમ છવ વધુને વધુ અતૃપ્ત બનતે જશે. ઈન્દ્રિયને સ્વભાવ જ એ છે કે એને અનુકુળ વિષયે પ્રાપ્ત થતાં જાય તેમ-તેમ એ અનુકુળ વિષયેની અધિક ને અધિક સ્પૃહા કરતી જાય. ઈન્દ્રિયને સામાન્ય ન માનશો. દેખાવમાં સીધી-સાદી લાગતી હોય તો પણ એ આત્માને વફાદાર નથી, મોહ સમ્રાટની એ આજ્ઞાંકિત સેવિકા છે. વિષયાભિલાષ એ ઈન્દ્રિયોને જાદુઈ પાશ છે. ઈન્દ્રિયનું ઉદર સાગર જેવું અતલ ઊંડાણવાળું છે. અનંતકાળથી જીવ ઈન્દ્રિયને તૃપ્ત કરવા મથામણ કરી રહે છે. છતાં ઈન્દ્રિયે તૃપ્ત થઈ જ નથી. ગઈ કાલે-ગયા મહિને-આ મહિને ઇન્દ્રિયને મને હર શબ્દ-અનુપમ રૂ૫-મજેદાર રસ -ગંધ-સ્પર્શ નહોતાં આપ્યા, આ મહિને પાછી ઈન્દ્રિયે એવી ને એવી જ ભૂખી. રડિયા પર કેટલાં ગીતે, કેટલી કોમેન્ટ્રી સાંભળી? છતાં ફરી-ફરીને એ ગીતે રસપૂર્વક સાંભળવા ગમે છે ને? વિષયેનાં ક્ષણિક આનંદથી ઈન્દ્રિયે ઉન્મત્ત બની નાચ કરવા માંડે છે પણ એ નાચમાં એવા મચકડાઈ જાય છે કે હાડવૈદ્ય પણ એ ભાંગેલા પગને સાંધી શકતાં નથી. ઈન્દ્રિયાસત આત્મા મહારાજાને વશ થાય, પછી જ્યાં સુખ નથી ત્યાં સુખ માને છે અને શાશ્વત સુખ છે તેને જે તે નથી. જે પિતાની અંદર છે તેની શોધ બહાર ચલાવે છે. વનવને કંદરા ડુંગરા શોધતાં, મૂર્ખ કુરંગ કસ્તુરી કાજે, વાસ એને ભમાવે બહુ થાનમાં, વરતુ નિજ નાભિ મધ્યે બિરાજે, - ૧૭
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy