SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ છીએ. કયાં ભગવાનની પ્રભુતા અને જ્યાં આપણું પામરતા? અનંતા વીરપુરૂષે સિદ્ધગતિને પામી ગયા અને તેમાં આપણે નંબર ન લાગે. કેટલી અફસોસની વાત છે! ભગવાને ઉગ્ર તપ કરી કર્મોને ખપાવ્યા, જ્યારે આપણે કર્મના તાપથી તપાઈ ગયાં. સેકાઈ ગયા. સંસારના તાપથી બેચેન બની ગયાં. પ્રભુએ અપ્રમત્ત દશા કેળવી. જ્યારે આપણે પ્રમાદમાં પડી શારીરિક સુખને મહત્વ આપ્યું. માનસિક વ્યથાથી ધર્મરૂપી ધન લૂંટાવી દીધું. ક્રોધથી ક્ષમારૂપી ધન ખલાસ કર્યું. નમ્રતા નસાડી, માયા પાછળ શાન–ભાન ખાયું. પારસમણ જેવા પ્રભુ મળ્યા, છતાં આપણે કેવી દુર્દશા થઈ! માનવને જન્મ તે મળે પણ જીવનની સુધારણા કરી શક્યા નહીં. જન્મ થે એ એક સામાન્ય વાત છે. પણ જન્મ થયા પછી જન્મને સફળ બનાવે એ ખૂબ મહત્વ પૂર્ણ વાત છે. જન્મ પાછળ મૃત્યુ તે દરેકને અનિવાર્ય છે. પણ ધન્ય જીવન કોનું? જે મમતાને મૂકીને સમતાને આરાધીને, આત્મ કલ્યાણ તરફ લક્ષ આપે છે, તેનું જીવન ધન્ય છે. “લેખા વિનાના પ્રાણીઓ પહોંચી ગયા છે કાળને, લેખા વિનાના જાય છે મૂકી સર્વ જાજાળને, લેખા વિનાના જશે વળી આદિ અનાદિ ન્યાય છે, જન જાણીએ મન માણીએ, નવ કાળ મૂકે :ઈને.” કાળ પાસે કોઈનું ચાલતું નથી. જન્મ એનું મૃત્યુ એ અનાદિથી ચાલ્યું જ આવે છે. પણ મૃત્યુ થયા પછી જન્મ ન લેવું પડે એવું જીવન બને. સિદ્ધપદને પામેલા અનંતા જ મૃત્યુ લેકમાંથી નિર્વાણ પામ્યા. પણ હવે ફરી એમને સંસારના દદ ભેગવવા આવવાનું નથી. જેને ફરી જન્મ લેવાને નથી. એને જન્મ પણ ધન્યવાદને પાત્ર છે. નિષધ કુમારને જન્મ થાય છે. તેનાં જન્માક્ષર અને કુંડળી તિષિ કહે છે. ભગવાન સૂયગડાંગ સૂત્રમાં કહે છે. " केई निमित्ता तहिया भवन्ति कसि चि त विपकिण्इ नाण __ ते विज्जभाव अणहिज्जमाणा आहेसु विज्जा परिमोक्खमेव ॥१०॥ “કેટલાંક નિમિત્તને જેનારા સાચા પણ પડે છે. કેટલાક બિટા પડે છે, જ્યારે રાણકદેવીને જન્મ થયે ત્યારે તેમના પિતાશ્રીએ જોષીએ તેડાવ્યા. તેઓએ કુંડળી કાઢી પણું ભાવિ અનિષ્ટ દેખાણું એટલે રાજાને કહ્યું હે રાજન ! કુંવરી સાહેબનું ભાવિ જાણવા ગ્ય નથી. માટે અમે કહી શકશું નહીં.” રૂપરૂપના અંબાર જેવી અને ચાંદીના ટુકડા જેવી તેજસ્વી, નમણી એ બાળકી છે, છતાં ભાવિ કેટલું ભયંકર લઈને આવી હશે કે જેથી કરી શકતા નથી,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy