SearchBrowseAboutContactDonate
Page Preview
Page 998
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ વ્યાખ્યાન નં. ૧૦૧ કારતક સુદ ૧૧ ને શુક્રવાર તા. ૧૦-૧૧-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત કરૂણાસાગર, વિશ્વવત્સલ, અનંતજ્ઞાની ભગવતે જગતના જીના એકાંત હિત માટે ઉપદેશ આપતા ફરમાવે છે કે હે ભવ્ય છે ! તમને આત્મસાધના કરવાને અમૂલ્ય અવસર માનવભવ મળે છે તેને તમે વધાવી લે, કારણ કે દેવલેકમાં આત્મસાધના કરી શકાતી નથી. નરક તથા તિર્યંચના ભાવ એ તે અંધારી રાત્રી જેવા છે, કારણ કે ત્યાં જીવને તત્વને પ્રકાશ મળતું નથી. માત્ર મનુષ્યભવમાં તત્વજ્ઞાનને પ્રકાશ મળે છે. માટે વિચાર કરે કે હું નરક-તિર્યંચાદિ અંધકારના ભવે વટાવીને કે સરસ અજવાળાને અવતાર પામે છું. હવે જે હું અહીં ભાન ભૂલું તે મારી કેવી દુર્દશા થાય? કહેવાય છે ને કે રવિને ભૂલેલે માનવી દિવસ ઉગતા ઠેકાણે આવે પણ દિવસના ભૂલેલા માનવીને તે રાત્રિ પડતા અંધારે અથડાવવાનું જ થાય ને? એમ નરક તિર્યંચના ભવ અમાસની અંધારી રાત્રિ જેવા મળ્યા હતા. ત્યાં ભલે અથડા પણ દિવસ સમાન મનુષ્યભવ મળે છતાં જે ભાન ભૂલીને મેહમાં પડીશ તે પછી ભભવમાં અથડાયા સિવાય બીજું શું થશે? કદાચ કયારેક મનુષ્યભવ મને મળ્યો હશે તે વીતરાગ પ્રભુનું શાસન નહિ મળ્યું હોય તેથી ધર્મારાધના નહિ કરી હેય. બસ, ખાવું, પીવું, ખેલવું ને પરિગ્રહના પિટલા ભેગા કરવા આ બધું કર્યું હશે તેથી હું ભાવમાં ભમું છું, પણ આ ભવમાં તે મને વીતરાગ પ્રભુનું શાસન મળ્યું છે. અહીં ખાવાને બદલે તપ કર્યું, પરિગ્રહના પિટલ ભેગા કરવાને બદલે દાન દઉં', ભેગ ભેગવવાને બદલે બ્રહ્મચર્યનું પાલન કરું, બીજા વ્રત નિયમ અંગીકાર કરું, મેહનિદ્રામાં પિઢવાને બદલે અનિત્ય, અશરણ વિગેરે બાર ભાવનાઓ, મૈત્રી આદિ ચાર ભાવનાઓ તેમજ સવેગ અને વૈરાગ્યની ભાવનામાં રમણતા કરું, પાપસંજ્ઞાઓ ઉપર કાપ મૂકી ધર્મારાધના કરવાને મને કે સુંદર અવસર મળે છે તેને હું સાર્થક કરી લઉં. માનવભવના ઘેરા અવસર માટે એ ઉચિત છે કે કષાય ન કરું, ધર્મ ન પણ ધર્મ વિશેષ કરું, કારણ કે પૂર્વભવમાં ધર્મ નથી કર્યો તેથી જ દુખ આવ્યું છે. હવે આ ભવમાં ધર્મની વિશેષ આરાધના કરવાને સેનેરી સુઅવસર કહેવાય, તે પછી મારે ધર્મ શા માટે છેડે જઈએ? અહીં તે ધર્મની વિશેષ આરાધના કરી લેવી જોઈએ. દુર્ગતિઓમાંથી માંડ માંડ મારો છૂટકારો થયો ને માનવભવ મળ્યો છે તે આ ભવમાં ક્રોધ, માન, માયા, લેભ વિગેરે કષાયને નિગ્રહ કરીને ક્ષમા, નમ્રતા, લઘુતા, સરળતા અને નિસ્પૃહતા વિગેરે ગુણે કેળવવાના છે. અધમ ભમાં જે કર્યું તે અહીં કરવાનું હોય? ના. આવા ઉંચા ભવમાં તે ઊંચા કર્તવ્ય જ કરાય ને ? માટે ક્રોધાદિ પર કાપ મૂકી ક્ષમાદિ ઉંચા કર્તવ્યો બજાવું. વાતવાતમાં ક્રોધ આવે છે તેના બદલે વાતવાતમાં ક્ષમા લાવું. વાતે વાતે માન આવે છે એના બદલે નમ્રતા,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy