SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ચિઠ્ઠી વાંચીને ભાભીએ કહ્યું-ભાઈ ! હું તમને જરૂર જમાડતા પણ આજે અમારા ઘરના બધાને જમવા જવાનું છે, એટલે રડું બંધ છે, તેથી તમને કેવી રીતે જમાડું: દિયરે કહ્યું–ભાભી ! કંઈ નહિ. મારે જમવું નથી પણ નીચે મારા ભાઈએ લખ્યું છે એ તે વાંચે. ભાઈએ તે રૂ. ૫૦૦૦) આપવાનું લખ્યું છે પણ મારે પાંચ હજાર નથી જોઈતા. મને ૧૦૦) રૂ. આપે. તે પણ હું કામ કરીને મને મળશે એટલે તરત પાછા આપી જઈશ, પણ હાલ મારા બૈરી-છોકરા ત્રણ દિવસના ભૂખ્યા છે, એમને માટે હું કંઈક લઈને જાઉં ને એમની ભૂખ મટાડું, ત્યારે ભાભી કહે છે દિયરજી! તમારી વાત સાચી છે પણ વાત એવી બની છે કે અત્યારે ઘરમાં સિલકમાં સવા રૂપિયો પણ રેકો નથી. કાલે પૈસાની જરૂર પડી હતી એટલે તમારા ભાઈ ઘરમાંથી બધા પૈસા લઈ ગયા છે, તેથી હું તમને સે રૂપિયા પણ ક્યાંથી આપી શકું? દિયરને કંપાઉન્ડ બહાર કાઢતી ભાભી” :- દિયર સમજી ગયો કે ભાભીને આપવાની દાનત નથી. તે ખૂબ હતાશ બનીને ઘરની બહાર નીકળે. એના મનમાં થયું કે મારા ભાઈએ મને બેસવાનું કહ્યું છે તે બહાર એટલે બેસું. હમણાં મારે ભાઈ આવશે. આમ વિચાર કરીને એટલે જઈને બેઠે. ભાભી સમજી ગઈ કે એના ભાઈની રાહ જેતે હશે, એટલે બહાર આવીને કહે છે ભાઈ ! આ દિવાળીના દિવસે છે. મારે બહાર જવાને ગ્રિામ છે માટે તમે ઉભા થઈ જાઓ. દિયરે કહ્યું-ભાભી ! તમે ખુશીથી ઘર બંધ કરીને જાઓ. હું તે ઓટલે બેઠો છું, ત્યારે ભાભી કહે છે મારે કંપાઉન્ડને દરવાજો પણ બંધ કરે છે. જે ખુલે મૂકીને જાઉં તે કૂતરા બગાડી જાય. લોકોના છોકરા પણ આવીને કચરે નાંખે છે માટે તમે અહીંથી ઉભા થઈ જાઓ. બીજે ગમે ત્યાં જઈને બેસે. ભાભીએ દિયરને એટલે પણ ન બેસવા દીધે. દિયર સમજી ગયો કે મારા જમ્બર પાપકર્મને ઉદય છે. હવે જે થવું હશે તે થશે પણ અહીં બેસવામાં સાર નથી. સગી ભાભી પણ આવી દુઃખી સ્થિતિમાં મને દાદ દેતી નથી તે બીજે ક્યાં જાઉં ! એ તે ઉઠીને ચાલતો થય ને ઘર ભેગે થયે. ભૂખથી ટળવળતા બાલુડા રાહ જોતા હતા કે મારા બાપુજી મીઠાઈ લેવા ગયા છે. ત્યાં પિતાને આવતા જોઇને એંટી પડયા. બાપુજી! અમારે માટે બરફી પેંડા લાવ્યા? ત્યારે બાપ પિતાના બાળકને બાથમાં લઈને કહે છે બેટા ! હમણાં જ બાપુજી તમારે માટે ઘણી બધી મીઠાઈ અને સારા સારા કપડા લઈને આવે છે. તમે સૂઈ જાઓ. આવશે એટલે તમને ઉઠાડીશ. એમ કહી સમજાવીને બાળકને સૂવાડી દીધા. દાખના માય આણેલે જીવનને અંતઃ- પછી પતનીને બધી વાત કરી. પત્ની કહે છે હવે આ છોકરાના મુખ સામું જોવાતું નથી. આના કરતા મરી જવું સારું છે. આવું જીવન જીવવાને શું અર્થ છે? બંને માણસોએ કૂવામાં પડીને મરી જવાનો નિશ્ચય કર્યો. બાળકોને ભૂખ્યાને તરસ્યા ભરનિદ્રામાં ઊંઘતા મૂકી બંને માણસે ઘરમાંથી બહાર નીકળ્યા. છોકરાઓના પુણ્ય હશે તે કઈ હરિને લાલ મળી જશે ને નહિ મળે તે આપણી પાછળ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy