SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ શારદા સુવાસ રાજ્યવર્ધને કહ્યુ. વીરા પિતાજીએ વિદાય લીધી એ વેદનાના ઘા શુ હજુ રૂઝાયા નથી ? નગરીમાં આનંદ કેમ નથી ? પિતાજીને ગયા આટલા દિવસ થયા છતાં હજુ આ સિંહાસન સૂકાની વિનાનું કેમ છે ? મેાટાભાઇની ચરણરજને મસ્તકે ચઢાવીને હ વને કહ્યું-મેટાભાઈ ! સિંહાસન આપની પ્રતીક્ષા કરી રહ્યું છે. આપ આ સ્થાનેશ્વરનુ સુકાન હાથ ધરી પછી જુએ કે અહીં ચાર ચાંદ ખીલી ઉઠે છે કે નહિ ? પછી આપ મને કહેશે. મેટાભાઈ એ કહ્યું વીશ ! તું ભાગ્યવાન છે કે પિતાજીની સેવામાં હાજર થયા. તને પિતાજીના દન થયા. હું કમભાગી છું કે પિતાજીના અંતિમ સમયે પણ હાજર ન થઈ શકયા. મને જાણુવા મળ્યું છે કે પિતાજીએ રાજ્યના તાજ તને આપ્યા છે, માટે મારા વહાલાભાઈ ! સ્થાનેશ્વરના રાજ્યનું સુકાન તારે જ સભાળવાનું છે. ના...ના....મોટાભાઇ ! તમે આ શુ માલ્યા ! વીરા ! આ રાજપાટ બધુ સાથે આવનાર નથી. પિતાજી જે માગે ગયા તે માગે આપણે બધાને જવાનુ છે. પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારથી મારુ. મન સ`સાર ઉપરથી ઉઠી ગયુ છે, એટલે હું કઇ સિહાસન અને સત્તના દાર સભાળવા માટે નથી આવ્યેા. મારી ઈચ્છા તા સંસાર ત્યાગીને સાધુ બનવાની છે, માટે તું ખુશીથી રજિસ હ્રાસને બેસી સ્થાનેશ્વરની ગાદી સ ́ભાળ. મોટાભાઇની વાત સાંભળીને હવનની આંખમાં આંસુ આવી ગયા. અંતે બધાના કહેવાથી હવનને રાજ્યનું સુકાન સંભાળવુ' પડ્યું' અને મોટાભાઇએ દીક્ષા લીધી, ટૂંકમાં આ દૃષ્ટાંતથી આપણે એ સમજવાનું છે કે આગળના ભાઈ ભાઈ વચ્ચે કેવી સ્નેહની સગાઈ હતી ! આજે તે ભાઈ ભાઈ વચ્ચેની સ્નેહ સગાઈ એક જાતની ભવાઇ અની ગઈ છે. એ સમયમાં ભાઇ-ભાઈ વચ્ચે ક્ષીર નીર જેવા પ્રેમ હતા. કૃષ્ણવાસુદેવને પણ નેમકુમાર પ્રત્યે એટલા જ પ્રેમ છે તેથી સમુદ્રવિજય રાજાને કહ્યું તેમકુમાર માટે રાજેમતી કન્યાનું માંગુ કરવા માટે હું જાતે જ ઉગ્રસેન રાજા પાસે જઈશ, કારણ કે ખીજી કોઈ વ્યકિતને આપણે માકલીએ અને માની લે કે ઉગ્રસેન રાજા કે રાજેમતીની ઈચ્છા ન હોય તે કાઈ બીજે જવાબ આપે તે વિદ્યાબ થાય. તેના કરતાં મારા ભાઈ માટે હું જાતે જ યાચક બનીને ઉગ્રસેન રાજા પાસે જાઉ. તે એમાં કંઈ અયુકત નહિ લાગે, કારણ કે ઉગ્રસેન રાજા મારા સસરા થાય છે. તે સિવાય મેં કંસને મારીને તેમને કેદખાનામાંથી છેડાવેલા છે એટલે તેઓ મારા ઉપકારથી નખાયેલા છે, તેથી હુ યાચક બનીને જઈશ એટલે ઉગ્રસેન રાજાને મારી યાચના પૂરી કરવી જ પડશે. કૃષ્ણની વાત સાંભળીને સમુદ્રવિજય રાજા, બળદેવ શિવાદેવી રાણી દરેકને લાગ્યુ` કે કૃષ્ણની વાત સાચી છે. ભલે, આપ જ પધારે, સત્યભામાને પણ ખૂબ આનંદ થયા. “ઉગ્રસેનના દરબારમાં કૃષ્ણજીનું આગમન” :- ખીજે દિવસે જ કૃષ્ણજી ઉગ્રસેન રાજાને ત્યાં પહોંચ્યા. ઉગ્રસેન રાજા પોતાના જમાઇ ત્રિખ ́ડુ અધિપતિ કૃષ્ણવાસુદેવને પેાતાને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy