SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ આવ્યા પછી કદી જતું નથી. આવું સુખ કયાંથી અને કેવી રીતે મળે? તેને કદી વિચાર કર્યો છે? આવું સુખ શાસ્ત્ર-સિદ્ધાંતનું વાંચન કરી, શ્રવણ, મનન કરી તેનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવાથી મળે છે. આપણે ત્યાં ભગવાનની અંતિમ વાણું ઉત્તરાધ્યયન સૂત્રનું બાવીસમું અધ્યયન જે રહનેમીય નામનું છે તેમાં રહનેમી, નેમનાથ ભગવાન અને રાજેમતીને અધિકાર ચાલે છે. પર્યુષણમાં આપણે વિષયે ઉપર વ્યાખ્યાન હવાથી ચાલુ અધિકાર મૂકાઈ ગયે હતું તે હવે શરૂ કરીએ છીએ. વસુદેવને નહિ જેવાથી સમુદ્રવિજય રાજા ખૂબ કપાત કરવા લાગ્યા કે મેં પ્રજાની ફરિયાદ સાંભળીને મારા ભાઈને નજરકેદમાં રાખે. મેં એને સાચી વાત ન જણાવી ત્યારે આમ બન્યું ને? તેમને કયાંય ચેન પડતું નથી. ખૂબ ઉદાસ બની ગયા, ત્યારે કેઈ તિષીએ તેમને કહ્યું તમે રડશે કે ગૂરશો નહિ. તમારે ભાઈ જીવતે છે, ત્યારે સમુદ્રવિજયે પૂછ્યું, એ મને કયાંથી મળશે? હાલ કયાં છે? જવાબમાં તિષીએ કહ્યું હાલ કયાં છે તે હું જાણું શકતે નથી પણ તમને મળતાં સમય લાગશે. જ્યારે દેવકીના લગ્નને સ્વંયવર રચાશે ત્યારે દેવકી જેના ગળામાં વરમાળા પહેરાવશે છે. તે તમારે ભાઈ વસુદેવ હશે. આ સાંભળીને સમુદ્રવિજય રાજાને ખૂબ આનંદ થયે અને પિતાના ભાઈના મિલનના અવસરની રાહ જેવા લાગ્યા. આ તરફ વસુદેવકુમાર ચાલતા ચાલતા મથુરા નગરીમાં આવ્યા. આ સમયે મથુરા નગરીમાં કંસ નામે રાજા રાજ્ય કરતા હતા. કંસ ખૂબ અભિમાની હતે. એણે ખુદ એના પિતાજીને પણ કેદમાં પૂર્યા હતા, કારણ કે કંસ માતાના ગર્ભમાં આવ્યું ત્યારે તેને તેના પિતા ઉગ્રસેન રાજાનું માંસ ખાવાની ઈચ્છા થઈ હતી, તેથી તેને જન્મ થતાં તેની માતાએ તેને પેટીમાં પૂરીને વહેતી મૂકી હતી. તે પેટી એક વણિકના હ થમાં આવી. તેમણે તેને ઉછેરીને માટે કર્યો. પછી સમય જતાં તે રાજા થયે. આ વસુદેવની સાથે કંસને પરિચય થયે. એક વખત જરાસંઘ નામના પ્રતિવાસુદેવ રાજાએ દાંડી પીટાવી કે જે કઈ સિંહરથ રાજાને પકડી લાવશે તેને પિતાની કુંવરી જીવયશાને પરણાવશે. આથી વસુદેવે પિતાના પરાક્રમથી સિંહરથ રાજાને પકડે એટલે જીવયશા તેને મળે તેમ હતી પણ વસુદેવ એ વાત જાણતાં હતાં કે જયશા જેને પરણશે તેના બાપ અને સસ બંને કુળને નાશ કરશે. એટલે વસુદેવે કંસને કહ્યું મારે જીવયશા સાથે પરણવું નથી, તમે પરણે. કંસને તે એ જોઈતું જ હતું, તેથી તેની સાથે લગ્ન કર્યા. જે કંસ અભિમાની હો તેવી તેની પત્ની આયશા પણ અભિમાની હતી. જીવયાના પિતાજી જરાસંઘની મદદથી જ કસે તેના પિતા ઉગ્રસેન રાજાને કેદમાં પૂર્યા હતા. સમય જતાં કંસની બહેન દેવકી મટી થઈ. તેને લગ્નને સ્વયંવર ર. દરેક
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy