SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ શારદા સુવાસ મુસલમાન કહે છે તું આ શું બેલે છે? જૈન ધર્મ જે દુનિયામાં કઈ ધિર્મ નથી. એ ધર્મ કેઈને દુઃખી કરતું નથી. એ તે મારા પાપકર્મને ઉદય છે. બસ, મને આ શેઠના પૈસા આપવાની ચિંતા છે, ત્યારે મુસલમાનની પત્ની કહે છે હું કહું તેમ કરે. એ શેઠને ઘેર જાવ ને કહે કે કાલે સંવત્સરી છે એટલે કતલખાના બંધ રહેશે. પરમ દિવસે માંસ બહુ મેંઘુ મળશે તે શેઠ ! મારી પાસે પૈસા નથી તે હું ૨૫ બકરા ખરીદ કરું એટલા પૈસા મને વ્યાજે આપે. હું એ પૈસામાંથી બકરા ખરીદીશ અને માંસ વેચીને પૈસા કમાઈશ ને તમને તમારા આ પૈસા અને પેલા ૫૦૦) રૂ. બધા વ્યાજસહિત ચૂક્ત કરી દઈશ, ત્યારે આ મુસલમાન કહે છે તું આ શું બેલી? એક કીડી મરે ત્યાં પણ મારે જીવ દુભાય છે તે આ બકરાને મારવા પૈસા લેવા જાઉં? મારાથી પૈસા નહિ અપાય તે ઝેર ખાઈને મરી જઈશ પણ એ કામ મારાથી નહિ થાય. પત્ની કહે છે કે હું પણ તમારા જેવી જ છું. મારે એક પણ જીવને મારે નથી પણ શેઠની પરીક્ષા કરું શું થાય છે? તેમ વિચારી બાઈ શેઠના ઘેર ગઈ બધી વાત કરી. શેઠ કહે શું વ્યાજ આપીશ ? ના ટકે. શેઠ કહે ભલે. બાઈ કહે અરેરે તમારા પૈસા ભરવા આવા પાપ કરવા પડશે. જે શેઠ તમે ખમી જાવ તે અમારે આ પાપ કરવા નથી. આ બધી વાત શેઠાણીએ સાંભળી, તે તરત બેલી હે શેઠ! તમને ધિક્કાર છે કે તમે આવા પાપ કરવા ઉધ્યા છે ! તમને કઈ દિવસ ધર્મ કરવાનું તે મન થતું નથી ને આવા પાપ કરવા ઉઠયા છે! આવા કસાઈ જેવા પતિના ઘરમાં રહીને જીવવું તેના કરતાં મરવું બહેતર છે. શેઠે કહ્યું-હું એનું વ્યાજ નહીં લઉં પછી તે તમે રાજી છે ને ? શેઠાણીએ કહ્યું–નાથ ! જે તમારે એ મુસલમાન ભાઈને પૈસા વ્યાજ સહિત આજે માફ કરવા હોય તે મારે જીવવું છે, નહિતર તમારી સામે ઝેર પીને પ્રાણ ત્યાગીશ. આજે તે સંવત્સરીને ઉપવાસ છે. કાલે ઝેરથી જ પારણું કરીશ. આ શેઠાણું તે હઠ લઈને બેઠા. હવે લેભી શેઠને પાંચ રૂપિયાને મોહ છોડે જ છૂટકે થયે. મુસલમાનને કહ્યું, જા ભાઈ આજે તું મારા કરજમાંથી મુક્ત થાય છે. બંધુઓ! શેઠાણીની પવિત્ર પ્રેરણાથી મુસલમાનને શેઠે કરજમાંથી મુક્ત કર્યો તેમ આપણે પણ આપણી સુમતિ નામની શેઠાણીની પવિત્ર પ્રેરણાથી ચેતનદેવને વૈરઝેર ભૂલાવીને આપણે કર્મના કરજમાંથી મુક્ત થવાનું છે. આ જ સંવત્સરી પર્વની મહત્તા છે. કષાયનું શમન અને આત્માનું દમન કરી દુષ્ટ વૃત્તિઓ ઉપર વિજય મેળવવાને છે. આપણા પરમપિતા મહાવીર પ્રભુએ આપણું કલ્યાણ માટે ઉપદેશ આપે છે કે સંગ્રામમાં એક માણસ હજાર સુભટોને જીતે એના કરતાં જે પિતાની જાત સાથે જીવનસંગ્રામ ખેડા પિતાના આત્મા ઉપર વિજય મેળવે એ ખરેખર પરાક્રમી છે, સાચે વીર છે. હજારોને જીતવા સહેલ છે પણ પિતાના આત્મા પર પિતાની દુષ્ટ વૃત્તિઓ ભર્યા મન
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy