SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ સુવાસ “ મિક સર્વે કરવા અને ડાં નથિ છે જો કષાયના શ્રેષાંશને પહેલે મંત્ર કાબૂમાં લઈ શકે છે અને રાગાંશને કાબૂમાં લેવા માટે બીજ મંત્ર સમર્થ છે. હું સર્વ જીને ક્ષમા આપું છું અને હું એકલું છું, મારું કંઈ નથી. આ બે મંત્રોમાં મહાન રહયે અને ચમત્કાર ભરેલા છે. એ રહસ્યના પડદા પાછળ ડેકિયું કરવાની જરૂર છે.. ખામેમિ સવે જીવા” આ મંત્રથી કોલ અને માન કેવી રીતે કાબૂમાં આવી શકે છે એ જાણતાં પહેલા વૈર વિરોધને ઉત્પન્ન કરનારા તો કેવું છે તે જાણી લેવું પડશે. આપણું હૈયામાં રહેલે ક્રોધ વેર વિરોધ કરાવે છે ને એમાંથી શત્રુઓ સર્જાય છે. શત્રુતાને ઉત્પન્ન કરવામાં મૂળ કારણ ક્રોધ છે અને વૈરની ઢીલી પડતી પકડને મજબૂત રાખવાનું કામ માન કરે છે. આ તો મારા ને તમારા દરેકના અનુભવની વાત છે. ક્રોધ આવે ત્યારે માણસ ગમે તેમ બેલી નાંખે છે પણ ક્રોધને આવેશ શાંત થાય ત્યારે ઘણીવાર હૈયામાં પશ્ચાતાપ થાય છે. “ખામેમિ સવ્વ જવાનો કરાર કરવા મન પોકાર પણ કરે છે, છતાં હૈયામાં રહેલે માનને પહાડ નમવા દેતું નથી. “ખામેમિ સવ્વ જીવા” એ અઘરું સૂત્ર છે. એમાં માન ઉપર માર માર પડે છે. હું સર્વ જીને ક્ષમા આપું છું. આ ઇકરારમાં ક્રૂધની સાથે માનને પણ કાબૂમાં લેવું પડે છે. ક્રોધ અને માન કાબુમાં આવે પછી જ ક્ષમા માંગવા જેવી નમ્રતા આવે છે. ક્ષમા આપવી સહેલ છે, કારણ કે એમાં એટલું ગૌરવ હણાતું નથી. માનને રાખીને પણ ક્ષમા આપવાનું કાર્ય થઈ શકે છે, જ્યારે ક્ષમા માંગવામાં તે ક્રોધ અને માન બંનેને દબાવવા પડે છે. બંધુઓ! ખામેમિ સવે જીવા” આ મંત્ર જે સિદ્ધ થઈ જાય તે પછી આપણે કષાયની છાવણી પર બરાબર છાપ મારી શકીએ. આ મંત્રને સિદ્ધ કરવાની સાધના કરવી હોય તે ક્રોધના પ્રસંગમાં પિતાની જાતને વધુ દોષિત તરીકે જોવાને દષ્ટિકોણ અપનાવ પડશે, ત્યારે વિચાર કરે કે મારા પાપકર્મને ઉદય છે કે મને જોઈને સામામાં છૂપાયેલે ક્રોધ ભડભડ કરતે બહાર ભભૂકી ઉઠે છે. આગ તે ભલે લાકડામાં છુપાયેલી હોય પણ દીવાસળીથી એ આગને પ્રગટાવનાર જેમ વધુ દેષિત છે એમ જ્ઞાની વ્યક્તિઓ પિતાને જોઈને કઈ ગુસ્સે થાય તે એમ વિચાર કરે છે કે એમાં દોષ મારા કર્મને છે. માટે મારે વધુ સાવધાન રહેવાની જરૂર છે. હું જ ગુનેગાર છું. આવું ચિંતન જે કેડે પડી જાય તે પછી “ખામેમિ સવે જીવા”ને મંત્ર સિદ્ધ થઈ જતાં વાર ન લાગે. “ખામેમિ સવે જીવા” એ મંત્ર દ્વારા ઠેષ ઉપર વિજય મેળવીને પછી એવું નથિ એ કેઈ” આ મંત્ર દ્વારા રાગ ઉપર વિજય કેવી રીતે મેળવે તે વિચારીએ. માયા અને લેભ આ કષાય ને રાગાંશ છે. રાગને જન્મ હું કેઈને છું અને કંઈ મારું છે આ ભ્રમણામાંથી થાય છે. હું એકલે છું. આ સત્યની સામે આંખ આડા કાન કરીને પિતાનું બીજું કઈ છે એમ માન્યું એટલે પછી બીજાને પિતાને કરવાને મેહ,
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy