SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ t શાાવાય લાગવું જોઈએ ને ? કારણ કે આાજની થતી પ્રવૃત્તિઓમાં ધનની પાછળ ધમ, સ્વાથ પાછળ સંત, વૈભવ પાછળ વાત્સલ્ય અને વિશ્વાસ પાછળ વીતરાગને ભૂલી જવાય છે. શ્રીમત કે સત્તાધારીની જેટલી ખુશામતની પડી છે એટલી ભગવાન, સંત કે ધર્મની પડી છે? હાલની થતી કાર્યવાહી આત્મધર્મ કેળવવા અને પાપાચરણુથી બચવા માટે થાય છે કે માન, માભા અને ધન મેળવવા થાય છે? તે જરા અંતરથી તપાસો. ભારતનું ગૌરવ ધૂનના સ ંગ્રહ કે આધુનિક વિલાસના સાધનેાના સર્જનથી નથી પરંતુ અહિઁંસા, સયમ અને તપની સાધનાથી છે. તેનાથી અશાંતિની આગ એલવાઇને શાંતિનું સર્જન થાય છે. હરખચંદ્ર શેઠના મેહાંધકાર નષ્ટ થયેા. ધનની મમતા એછી થઈ ગઈ એટલે ધનના સપચાગ દુ:ખીની સેવામાં કરવા લાગ્યા. હવે આ હરખચંદ શેઠ કેવા દિલાવર ખની ગયા તેમના જીવનના એક પ્રસંગ છે. એક ગામમાં રવચંદ નામના એક શેઠના વડ્ડાણુ પરદેશ ગયેલા, એને આવવાની મુદ્દત થઈ ગઈ હતી. ઉપર પોંદર દિવસ વીતી ગયા છતાં વહાણુ આવ્યા નહિ એટલે શેઠની ઉંઘ હરામ થઈ ગઈ હતી. વહેપારનું કામકાજ કરતાં પણ પળે પળે એમને એ વિચાર આવતાં કે માશ વહાણુનુ શુ થયું હશે ? ચાંચીયાઓએ લૂંટી લીધા હશે! કે દરિયામાં ડૂબી ગયા હશે ? કે કઈ દગા રમાયા હશે ? આવા વિચારોમાં રવચંદ શેઠ માંડ દિવસે વીતાવતા હતા. રવચંદ શેઠના વડાણુ માન્યા નથી તે વાતની ખજારમાં ખબર પડી ગઈ હતી. જગતમાં ઇર્ષ્યાળુ માનવીઓ ઘણા ડાય છે. રવચંદ શેઠના એક ઈર્ષ્યાળુ માણસને તેમને બેઆબરૂ કરવાની તક મળી. એક માણસની સારી રકમ આ રવચંદ શેઠને ઘેર વ્યાજે મૂકેલી હતી. તેમની પાસે જઈને ઇર્ષ્યાળુએ કહ્યું-ભાઈ! તમે કંઈ સાંભળ્યું ? ના ભાઈ! શું કંઈ નવીન વાત લાવ્યેા છે ? ‘હા’. તમારી થાપણુ રવચંદ શેઠને ત્યાં છે તે આજે ને આજે તમે ઉપાડી લેા. શેઠ દેવાળુ કાઢવાની તૈયારીમાં છે. થાપણદારે કહ્યું-એ મને જ નહિ. ઇર્ષ્યાળુએ કહ્યું-તમારી વાત સાચી છે. એ શેઠ એવા નથી પણ વાત એમ બની છે કે કરોડ રૂપિયાના માલ સહિત એમના વહાણુ દરિયામાં ડૂબી ગયા છે એટલે એ દેવાળુ કાઢશે ખરા. આ સાંભળીને થાપણદારના પેટમાં તેા તેલ રેડાઈ ગયુ. તે તરત જ રવચંદ શેઠ પાસે આન્યા ને કહ્યુ -શેઠ! મને મારા લાખ રૂપિયા અત્યારે જોઇએ છે. રવચંદ શેઠે કહ્યું-ભાઈ! અધી થાપણુ લઈ જઈને શું કરીશ ? તા હે મારે ખીજે ઠેકાણે વ્યાજે મૂકવી છે. એ જમાનાની પેઢીએ ના કહી શકતી હું. એ જમાનાના લાખ રૂપિયા એટલે અત્યારના પચાસ લાખ જેવા હતા. વડાણુ આવ્યા નથી મૈં લાખ રૂપિયા કેવી રીતે આપવા ! ખૂબ વિચાર કર્યાં, એ સમયે અમદાવાદમાં હરખચંદ શેઠના નામની ભૂખ પ્રશંસા થતી હતી, કારણ કે સૂતના ઉપદેશથી હરખચંદ શેઠનુ' જીવન પલ્ટાઇ ગયુ હતું. તે ધનના સત્કાર્યોંમાં સપયાગ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy