SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ નથી આવ્યું ? વહેલો કે મેડો ઘેર જાય તે કઈ પૂછતું ન હતું કે તમે જમ્યા કે નથી જમ્યા? અરે, છોકરાઓ પણ બાપને ભાવ પૂછતા ન હતા. ઘરમાં કે ગામમાં કયાંય હરખાનું માન ન હતું. આ તમારે સંસાર કે રવાથી છે ! જે હરખે પિસા કમાતે હેત તે એને જોઈને પત્ની અને પુત્ર બધા હરખાઈ જાત, અને ભૂખ્યા તરસ્યાની સંભાળ લેત પણ પૈસા નથી એટલે કે ઈ પૂછતું નથી. રંક અને રાજા ઉપર સમાન દૃષ્ટિ રાખતા મુનિ ” – એક વખત શહેરમાં જ્ઞાની, ધ્યાની ત્યાગી અને તપસ્વી એવા ચાર પવિત્ર સંતે ચાતુર્માસ પધાર્યા. મહાન જ્ઞાની ગુરૂ ચાતુર્માસ પધાર્યા એટલે આખા સંઘમાં આનંદ આનંદ છવાઈ ગયે. ભાવિક શ્રાવક શ્રાવિકાઓ ગુરૂવની અમૃતવાણીને લાભ લેવા લાગ્યા, ધનથી ફકીર અને દિલથી અમીર હરખાને પણ આ મહારાજનો ગાઢ પરિચય થયો. દિવસે પેટ પૂજા કરવા માટે મહેનત કરવા જાય અને રાત્રે ઉપાશ્રયમાં સાધુ મહારાજની પાસે સૂઈ રહેતું. રાત્રે ઉપાશ્રયમાં સૂવાથી તે સાધુની બનતી સેવા કરવાથી સાધુ હરખાના જીવનસાથી બની ગયા. ઘરમાં તે હરખાને કે પ્રેમથી બેલાવનારું ન હતું પણ અહીં સંતે તે તેને પ્રેમથી બેલાવે છે. સાધુ તે સ્નેહનું સરેવર છે, અને સમતાની સરિતા છે. જે કોઈ સરેવરના કિનારે. જાય તે તરસ્ય ન રહે. સરોવર તે કઈપણ જાતના ભેદભાવ રાખ્યા વિના બધાને ઠંડું પાણી પીવડાવે છે અને નદી જે પ્રદેશમાંથી વહે છે તે પ્રદેશને હરિયાળો બનાવે છે તેમ જે કઈ સંત સરોવર પાસે આવે છે તેને સંત મધુરી વાણીનું પાન કરાવે છે, અને આત્માને શાંતિ ને શીતળતા આપે છે. આજે ઉનાળાના દિવસે માં લોકો શીતળતાને સ્વાદ લેવા માટે કેન્ડીંક હાઉસમાં જઈને ફેન્ટા, કેક કેલા, લેમન, શેરડીનો રસ, વિગેરે ઠંડા પીણા પીવે છે પણ એ ઠંડા પણ તમને શીતળતા નડિ આપે. ઘડીભર શીતળતા આપશે પછી તે હતા તેવા ને તેવા થઈ જશે, પણ સંતે તમને વીતરાગ વાણીના ફેન્ટા અને કેકાકેલા પીવડાવે છે તેનું પ્રેમથી શ્રદ્ધાપૂર્વક પાન કરશે તે બાહ્ય અને આમિક એ બંને પ્રકારની શીતળતા પામી શકશે. આ હરખે સંતની સાથે ગૌચરમાં ઘર બતાવવા જાય, બીજી પિતાનાથી બને , તે સેવા કરે ને રાત્રે સૂઈ રહે. એટલે સંતને ખૂબ પરિચય થઈ ગયે. નેહાળ મૂર્તિ સમાન સંત હરખાને સમજાવતા કે ભાઈ ! આ સંસાર તે શેકનું કેન્દ્રસ્થાન છે. એ શેકના ગાઢ વાદળ વિખેરનાર તથા દુઃખ અને આપત્તિમાં વૈર્ય આપનાર, કઈ હોય તે તે ધર્મ છે. માનવ માત્ર જેને જોઈને નમી પડે છે એવા ધનની પાછળ સંસારી, છે દોટ લગાવી રહ્યા છે. અગ્નિ બાળે પણ ખરો ને હુફ પણ આપે, પણ બળવું કે, હુંફ મેળવવી તે તે આપણું ઉપર અવલંબે છે, અગ્નિ પર નહિ. ધન મારે છે ને ધન, તારે પણ છે પણ તરવું કે મરવું તે ધન પર નહિ પણ મન ઉપર અવલંબે છે. મન જે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy