SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શારદા સુવાસ જીવે સાચી શાંતિ મેળવી શકે છે. બાકી તે આ સંસારમાં કયાંય શાંતિ નથી. અત્યારે આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસ ચાલે છે. ધર્મારાધના કરવાને પવિત્ર એક દિવસ તે વીતી ગયે ને આજે બીજો દિવસ આવી ગયે. આ પર્વાધિરાજની આરાધના શ્રેયકારી છે, મંગલકારી છે ને કલ્યાણકારી છે. જેની આરાધનાના બળે ક્રોધ શમી જાય, માન નમી જાય, માયા ભમી જાય અને લેભ થંભી જાય. જ્ઞાનને ભાનુ જીવનમાં ઝળહળી ઉઠે અને નક્કર સત્ય સમજાઈ જાય તે જીવ અવશ્ય શાંતિને પ્રાપ્ત કરી શકે. તમે આ દિવસમાં ઘર છોડીને વહેલા ઉપાશ્રયમાં આવીને બેસી જાય છે તે અહીં તમને કેટલી શાંતિ લાગે છે? બેલે, તમારા ઘર કરતાં તમને અહીં શાંતિ લાગે છે ને? કેમ જવાબ નથી આપતા? હું તમારા મનની વાત સમજી ગઈ તમારા મનમાં એમ હશે કે અમે જે એમ કહીએ કે અહીં શાંતિ લાગે છે તે મહાસતીજી એમ કહેશે કે અહીં શાંતિ લાગતી હોય તે સાધુ બની જાવ (હસાહસ) કેમ બરાબર છે ને? તમે મારી વાત માને કે ન માને પણ એક દિવસ સંસારને ત્યાગ કર્યા વિના તમને શાંતિ મળવાની નથી. સંતે તમને સાચી શાંતિને રાહ બતાવી ભાન ભૂલેલાને ઠેકાણે લાવનાર છે. અહીં એક પ્રસંગ યાદ આવે છે. એક મોટા શહેરમાં હરખાભાઈ નામે એક શ્રાવક રહેતા હતા. નામ તે એમનું હરખચંદ હતું પણ એમની પાસે તમને હરખાવનારી ચીજ ન હતી. તમને હરખાવનારી ચીજ કઈ? એ તે તમે સમજી ગયા ને? (શ્રોતામાંથી અવાજ:- ધન) જુએ, એ કેવું જલ્દી બેલ્યા આ જગ્યાએ નવતત્વના નામ પૂછયા હોત તે જલદી ન આવડત પણ ધન જલદી યાદ આવી ગયું. ધન તમને હરખાવનારી ને લેભાવનારી ચીજ છે. આ હરખાભાઈ પાસે એ ન હતું. એટલે નાણાં વિનાના હરખચંદને સૈ હરખેહર કહીને બોલાવતા હતા, પણ જે એની પાસે ધન હેત તે સૌ હરખચંદ શેઠ કહીને બેલાવત. તમે કહે છે ને કે “નાણું વગરને નાથીયે ને નાણે નાથાલાલ.” આ બધું તમારું કામ છે , અમારું નહિ. અમે સાધુ તે શ્રીમંતને પણ નાથાલાલભાઈ કહીને બોલાવીએ ને ગરીબને પણ નાથાલાલભાઈ કહીને બેલાવીએ. સાધુને શ્રીમંત અને ? ગરીબના ભેદભાવ ન હોય. આ સંસારમાં તે ધનના જ મત છે ને? હરખાની પાસે ધન ન હતું એટલે એને ભાવ પૂછનાર કેઈ ન હતું. એને સંસાર સહરાના રણ જે નિરસ હતે. આવા નિરસ સંસારમાં ધર્મની આરાધના એને આશ્વાસન રૂપ બનતી હતી. ધર્મની આરાધના જીવંત રાખવા હરખે ગામમાં આવતા જતાં સાધુ સોંની ખૂબ સેવા કરતે, સંતપ્ત સંસારમાં સાધુની શીતળ છાંયડીહરખાના જીવનને સંતેષી અને સુખી બનાવતી હતી. હરખે આખે. દિવસ સાધુ સેવામાં રોકાય તો પણ કઈ એની ચિંતા કરનાર ન હતું કે ઘેર જમવા કેમ , , ' =
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy