SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા મુવાણ છે. બધાને જોયા પણ શંખકુમારને ન જોયા એટલે પ્રજાજને ઉદાસ બની ગયા. શંખકુમારને ન જોયા એટલે નગરજનેમાં વાતે થવા લાગી કે કુમાર લડાઈમાં મરાયા છે. આ વાતની મતિપ્રભને ખબર પડી એટલે તેમણે બધી વાત કહી તેથી સૌને આનદ થયે. જિતારી રાજાને પણ દૂત દ્વારા સમાચાર મોકલી દીધા કે શંખકુમાર પતે જ યશોમતીને લઈને તમારી પાસે આવે છે. રાજાને આ સમાચાર મળતાં આનંદને પાર ન રહ્યો, કારણ કે જ્યારથી વિદ્યાધર યશોમતીને હરણ કરીને લઈ ગયે ત્યારથી રાજા ચારે તરફ તપાસ કરાતા હતા, પણ આજ દિન સુધી પત્તો લાગ્યું ન હતું. તેમાં આવા સમાચાર મળે પછી આનંદની સીમા રહે! શંખકુમારનું યશોમતી તેમજ બીજી કન્યાઓ સાથે થયેલ લગ્ન - આ તરફ મણિશેખર વિદ્યાધર શંખકુમાર અને યશોમતીને લઈને કનકપુરમાં આવ્યે તે ખૂબ સુંદર રીતે તેમનું ભવ્ય સ્વાગત કર્યું ને તેમની ખૂબ મહેમાનગતિ કરી. શંખકુમારનું તેજ અને પરાક્રમ જોઈને મણિશેખર તેમજ બીજા ઘણાં વિદ્યારેએ પિતાની પુત્રીઓને શંખકુમાર સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે શંખકુમારે કહ્યું હું પહેલાં યશોમતી સાથે લગ્ન કર્યા પછી બીજી કન્યા સાથે પરણીશ. થડા દિવસ• કનકપુરમાં કાઈને શંખકુમારે મણિશેખર પાસે જવાની રજા માંગી, તેથી અનિચછાએ જવાની રજા આપી પણ હું તમારી સાથે જ આવું છું એમ કહીને મણિશેખર તેની પુત્રી લઇને શંખકુમાર સાથે ચંપાનગરી આવ્યા તેમજ બીજા વિદ્યારે પણ પિતાની કન્યાઓને લઈને ત્યાં ગયા. જિતારી રાજાને સમાચાર મળતાં આનંદને પાર ન રહ્યો ને ખૂબ આનંદપૂર્વક ધામધૂમથી શંખકુમારનું સ્વાગત કરીને નગરમાં પ્રવેશ કરાવ્યું અને સુંદર મહેલમાં ઉતારે આપ્યો, અને જ્યોતિષીને બેલાવીને લગ્ન માટે મુહુર્ત જેવડાવ્યું. શુભ મુહુર્તે ખૂબ ધામધૂમથી શંખકુમાર સાથે યશોમતીના લગ્ન કરાવ્યા, ત્યારબાદ બીજા વિદ્યાધરએ શંખકુમાર સાથે પિતાની કન્યાઓને પરણાવી. થોડા દિવસ ત્યાં શેકાઈને શંખકુમાર યશોમતી તેમજ બીજી પત્નીઓ સહિત હસ્તિનાપુર આવ્યા. રાજાએ પુત્રનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. શંખકુમાર માતા પિતાના ચરણમાં પડયા, એટલે પિતા પુત્રને ભેટી પડયા ને માતાએ શંખકુમારના ઓવારણા લીધા. બધી પુત્રવધૂઓ પણ સાસુના ચરણમાં પહ એટલે સાસુજીએ આશીર્વાદ આપ્યા. શ્રીષેણ રાજા અને શ્રીમતી રાણી પુત્ર અને પુત્રવધૂઓના મુખડા જોઈને ખુશ થયા. શંખકુમાર મતિપ્રભને મળે ને બધી વાત કરી આ સાંભળીને નગરજને શંખકુમારની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. શંખકુમારને યશેયર અને ગુણધર નામે બે નાના ભાઈઓ હતા. કે અમે હવે અપરાજિત કુમારના ભાવમાં પણ બને સાથે હતા. એમને પણ સાત ભવથી સંબંધ શા આવે છે. ત્રીવેણ રાજાએ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy