SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ સુવાણ આવ્યા હતા? તે કહે છે હું ગામના પાદરે તળાવમાં સ્નાન કરીને આવ્યું એટલે ખેસને સકલવા માટે માથે ઓઢી લીધું હતું. રામસુંદરની વાત સાંભળીને તમને હસવું આવ્યું ને? આનું નામ ભણ્યા ઘણું પણ ગણ્યા નહિ. માટે સમજણપૂર્વકનું જ્ઞાન મેળવે. આપણા આત્માએ જે સમજણપૂર્વકનું જ્ઞાન મેળવ્યું હશે તે જરૂર સંસારની આસક્તિ ઓછી થશે ને અવિરતિમાંથી વિરતીમાં આવવાનું મન થશે. આપણે શંખકુમારની વાત ચાલી રહી છે. શંખકુમાર કેવા પ્રતાપી ને પરોપકારી છે એ તમે સાંભળી ગયા ને? પિતાના ગુણેથી દુશમનને પણ દોસ્ત બનાવી દીધું. એ મણિશેખર વિદ્યાધર શંખકુમારને કહે છે, હે મિત્ર ! મારા રાજ્યમાં આવ્યા વિના હું તમને નહિં જવા દઉં. શંખકુમારે કહ્યું–મારી છાવણીમાં બધા મારી રાહ જોતા હશે. આ યશોમતીની ધાવમાતા પણ એના વિશે ગૂરી રહી હશે. આમ વાત કરતા હતાં ત્યાં શંખકુમારના માણસે એને શોધતાં શોધતાં ત્યાં આવ્યા એટલે મણિશેખરે કહ્યું–શંખકુમાર ! તો ચિંતા ન કરશે. હું બે વિદ્યારે દ્વારા છાવણીમાં સંદેશ મોકલાવી દઉં છું. મણિ શખરે બે વિદ્યાધરને જવાની આજ્ઞા આપી એટલે શંખકુમારે કહ્યું કે ત્યાં મતિપ્રભ નામે મારા મિત્ર અને પ્રધાનપુત્ર છે તેને મારે સદેશ દેજે કે પલ્લીપતિ સમરકેતુને લઈને સેના સહિત તમે હસ્તિનાપુર પહોંચી જાવ અને મારા તંબુમાં યશોમતીની ધાવમાતા છે એને અહીં તમારી સાથે લેતા આવજો. આ સંદેશ લઈને બે વિદ્યાધરે ગયા. શંખકુમારના સમાચાર જાણવા અધીરી બનેલી સેના - યશામતિ શંખકુમારનું બળ, બુદ્ધિ અને રૂપ જોઈને આશ્ચર્ય પામતી મનમાં વિચારવા લાગી કે પેલા સેદાગરે જેવી શંખકુમારની પ્રશંસા કરી હતી તેવા જ છે. આવા પ્રભાવશાળી પતિને પ્રાપ્ત કરીને હું ભાગ્યશાળી બનીશ. આ સમયે મણિશેખરે ત્યાં ઉભેલી યશોમતીને કહ્યુંયોજાતી ! તું આજથી મારી બહેન છે. મેં તારા ઉપર કુદષ્ટિ કરીને તને હેરાન કરી છે તે મારા અપરાધને તું માફ કરજે. તું અહીં આવ. હું મારી જાતે જ તારો હાથ શીખકુમારના હાથમાં સોંપું. એમ કહીને શંખકુમાર અને યશોમતીને હસ્તમેળાપ કરાવ્યા. આ તરફ સમાચાર આપવા માટે મેકલેલા વિદ્યાધરે શંખકુમારની છાવણીમાં પહોંચ્યા, ત્યારે એમની સેને તે ચિંતામાં પડી હતી કે શંખકુમાર હજુ કેમ ન આવ્યા? એ ક્યાં ગયા હશે? એમનું શું થયું હશે? ત્યાં જ આ બે વિદ્યારે ત્યાં પહોંચી ગયા ને મતિમલને બધા સમાચાર આપ્યા, તેથી મતિપ્રભ ખુશ થયા અને યશોમતીની ધાવમાતાને વિવારે સાથે મોકલી આપી, અને પોતે સૈન્ય અને સમરકેતુને લઈને હસ્તિનાપુર પહોંચ્યું, " સંકુરને નહિ જોતાં પ્રજામાં વ્યાપેલી ઉદાસીનતા - હસ્તિનાપુરમાં ખબર છે કે કુમાર વિજ્યાંકા વગાડીને આવ્યા છે તેથી નગરીની પ્રજા તેમનું સ્વાગત કરવા ઉમટી. મતિપ્રભ છે, આખું સૈન્ય છે અને સમરકેતુને કેદી બનાવીને લાવ્યા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy