SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૨૧૫ ત્રણ ભાગ નહિ તે છેવટે પા ભાગ પણ આપશે કે નહિ ? નિત્યની પાછળ પ જિંદગી પણ જે નહિ આપે તે પછી શું થશે? જિંદગી એમાં પૂરી કરશે તે પણ તમારી સાથે કંઈ નહિ આવે. ધન સાથે નહિ આવે, તન પાછળ રહી જાવે, પાપ પુણ્ય આવશે સાથમાં પાપ તણે હું બધું ભારે, મત પછી માથે રહેનારો. જમાં જન્મે ત્યાં થાય અકા, ઉંડા દુખમાં ડુબાવેધન સાથે 13 અનિત્ય તન અને ધનની પાછળ આખી જિંદગી હોમી દેશે તે પણ અંતે બધું છોડીને મરવાનું છે. એ તે ખબર છે ને ? સાથે એક તલભાર પણ આવવાનું નથી એ વાતને પૂરે ખ્યાલ છે ને ? મરીને કયાં જવાનું છે એની ખબર છે? અનિત્યની સાધનામાં જે જિંદગી પૂરી કરીને મરે છે તેની ગતિ સારી થતી નથી. એ તે ખબર છે ને? આવું તે તમે ઘણી વાર સાંભળ્યું છે. હવે એક વાત તમે સમજી લો કે જેને મૂકીને એક દિવસ ખાલી હાથે જવાનું છે એની પાછળ તન, મન, ધન અને જિંદગીને કિંમતી સમય ગુમાવી દેવાને અને જે પુણ્યરૂપી ધન, સારા સંસ્કાર અને ધર્મ સાથે આવનાર છે એની પાછળ મેં કેટલે સમય ખરો ? હમણાં જ ગીતની કડીમાં કહ્યું ને કે તન અને ધન તે અહીં જ રહી જશે ને એને માટે કરેલા પાપ મારી સાથે આવશે. દેવાનુપ્રિયે ! આવું સમજ્યા પછી નિત્ય વસ્તુ કોને કહેવાય અને અનિત્ય વસ્તુ કોને કહેવાય તે જાણવું પડશે. આત્મા અને આત્માને ધર્મ નિત્ય છે અને આત્માથી પર જે તન, ધન, વસ્ત્રો, ખાનપાન વિગેરે જે જે પદાર્થો છે તે બધા અનિત્ય છે. નિત્ય એવા આત્માને નિત્યની સાથે જ દસ્તી કરાવી દેશે. ચેતનને જડની સ્તી કરવી ન શોભે. જે જડ પિતે સ્તંડ વગરનું છે, જેનામાં નેહને છાંટે નથી, જે આપણા આત્માની લેશ પણ ચિંતા કરતું નથી પણ એને રાગ આત્માને સેંકડે ચિંતાએ કરાવે છે. અનેક લો અને ઉપાધિઓ ઉભા કરે છે, અનેક પાપ કરાવે છે અને મરણ બાદ તમાં ફેંકી દઈ કર્મ સરકાર પાસે કેરડાના માર ખવડાવે છે, જન્મ-મરણની ઘાણીમાં પલાવે છે, કારમી ભૂખ-તરસ, ટાઢ અને તાપના કષ્ટ અપાવે છે ને સાચા સુખથી વંચિત રાખે છે. એવા જડ અને અનિત્યની પ્રીતિ શા માટે કરવી જોઈએ ! બેલે, હવે તમને સમજાય છે ને કે અનિત્ય-જડને રાગ છેડવા જેવો છે. જે વિષના સંગે ચઢીને આત્મા દુર્ગુણી બન્ય, દુરાચારી અને પાપી બને તેને સંગ શા માટે કરવું જોઈએ? સંગ કરે તે વીતરાગ દેવને કરે, સદ્દગુરૂઓને કરે, શાને કરે અને કલ્યાણમિત્ર એવા સાધર્મિક બંધને કરે. જે આત્માને પાપના ભારી; હળવે બનાવે, પવિત્ર બનાવે એને કરે ને એની સાથે ગાઢ પ્રીતિ, બાંધે. ભવાઈ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy