SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ k શારદા સુવાસ ખારે છે શું ખને છે શું? આ છેકરા ભૂખ ગુણીયલ અને વિનયવંત છે. પેાતાના માટે માતાપિતાને આટલી બધી મહેનત કરતા જોઈને તેના મનમાં થતું કે હું આ મારા માતા પિતાના ઋણમાંથી કયારે મુક્ત થઈશ ? એમના ઉપકારના બદલે કયારે વાળીશ ? આ મા બાપ ઘણી વખત અડધા ભૂખ્યા રહેતા પણ દીકરાને પેટ ભરીને ખવડાવતા. દીકરાની જરૂરિયાતમાં કંઈ પણ ખામી ન રહે તે માટે અને માણસ કાયાના કેડિયા જલાવી પોતાના જીવનનું તેલ સીંચી રહ્યા હતા. ગજા ઉપરાંત મજુરી કરવાથી મને જણા વગર ઘડપણે ઘરડા જેવા છની ગયા હતા. એક તે કડકડતી ગરીબાઈ એટલે લૂખા સૂકા ભાજન ખાવાના અને કામ ઘણુ' કરવાનું, એટલે ઘરડા જ દેખાય ને ? “ પુત્રના દિલાસાથી આંસુધી છલકાતી મા-બાપની આંખા ” :- મા— માપનું શરીર જોઈને છેકરાની આંખમાં આંસુ આવી જતા. મારી પાછળ મારા મા-બાપે તા જાત ધોઇ નાંખી. તેમનુ શરીર કેવુ થઈ ગયું છે! ઘણી વાર તે કહેતા. બા-બાપુજી! હુ' ભણી રહીશ એટલે તમને ખિલકુલ કામ નહિ કરવા દઉં... હાં....ત્યારે મા-માપની આંખમાં હર્ષના આંસુ આવી જતાં. ગામડામાં અભ્યાસ પૂરો થયે એટલે મા-બાપે વિચાર કર્યા કે વધુ મજુરી કરીશું. પણ દીકરાને મુંબઈ જેવા મેટા શહેરમાં ભણવા મૂકીએ. દીકરા વધુ ડાંશિયાર થાય તેમાં આપણી શે।ભા છે ને ? પુત્રને આગળ ભણાવવા માટા શહેરમાં માકલ્યા. જેટલુ ભણતર વધે એટલેા ખર્ચ પણ વધુ થાય ને? એને પૈસા વધારે મેાકલવા પડે. આ મા–માપે પેાતાના એકના એક પુત્રની ઉન્નતિ માટે પેાતાનું સર્વસ્વ ફના કરી દીધું. માતા-પેાતાની પાસે જે દાગીના હતા ગીરવે મૂકીને પુત્રને પૈસા મેકલે છે. એથી વધુ જરૂર પડે તેા કેાઈની પાસેથી વ્યાજે પૈસા લાવીને પણ પુત્રની જ્ઞાનજ્યેાતિના દીવડાને જલતા રખાવતી. પુત્ર પણ માતાપિતા ને સહાનુભૂતિ દર્શાવતા, લાગણીથી છલકાતા પત્ર લખતા, અને કયારેક રજાના દિવસેામાં માતા પિતાની ખબર લઈ જતે, સય જતાં દીકરાના અભ્યાસ પૂરા થયા એટલે તે કોલેજમાં પ્રેસર બન્યા, જે દિવસે દીકરો પ્રેફેસર અન્યા તે દિવસે માતાપિતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પાના પુરૂષાર્થ ની વેલે પાંગરેલા પુષ્પા નિહાળીને કયા માતાપિતાને આનંă ન થાય ? د. “ દીકરાને પરણાવવા ગીરવે મૂકેલા ઘર ૧ :– દીકરો હે ંશિયાર છે, દેખાવમાં પણ સારા છે અને સારી નાકરી મળી એટલે સારા ઘરની કન્યાઓના કહેણ આવવા લાગ્યા. મા-બાપને દીકરાને પરણાવવાના ખૂબ કોડ હેાય છે. સારા ઘરની કન્યાઓના કહેણ આવે છે પણ એને પરણાવવાના ખર્ચ કરવા જેટલા પૈસા નથી. જે ક ંઈ હતું તે ભણાવવામાં ખચી નાંખ્યુ હતુ. અંતે અને માણુસે વિચાર કર્યાં કે હવે તા દીકરા નાકરી પર ચઢી ગયે છે એટલે પગાર આવશે, તેથી ચિંતા નથી. આપણું ઘર અને જમીન ગીરવે મૂકીને દીકરાને પરણાવવી દઇએ, પછી પુત્રના પગારમાંથી એછા ખર્ચે નભાવીને જે પૈસા બચશે તે ભેગા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy