SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ પિતાએ દીક્ષાની આજ્ઞા આપી. સમુદ્રપાલે દીક્ષા લઈને ત્યાગમાર્ગમાં અપ્રમત બની અપૂર્વ સાધના કરી પિતાનું કાર્ય પૂરું કર્યું. સંસારના કાર્યો કદી પૂરા થતા નથી. આદરેલા અધૂરા રહી જાય છે ને જીવડે ચાલ્યા જાય છે. જ્યારે આત્માનું કાર્ય માનવ ધારે તે પૂરું કરી શકે છે. સિદ્ધગતિને પ્રાપ્ત કર્યા પછી એને સુખ માટે કઈ પ્રયત્ન કરે પડતું નથી. આજે એકવીસમું અધ્યયન પૂરું થયું. હવે આપણે મૂળ અધિકાર બાવીસમું અધ્યયન ચાલુ થશે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૩ અષાડ વદ ૧૦ ને શનીવાર તા. ૨૯-૭-૭૮ અનંત ઉપકારી, પતતપાવન, અને અધમ ઉદ્ધારક એવા સર્વજ્ઞ ભગવંતે વિશ્વના વિલાસી જીવડીઓના કલ્યાણ માટે વાત્સલ્યના વહેણ વહાવી દ્વાદશાંગી સૂત્રની રજુઆત કરી છે. તેમાં ભગવાનની અંતિમ વાણુ ઉત્તરાધ્યયન સૂત્ર છે. તેમાં અનેક ભાવ રને ભરેલા છે પણ એ રોને કોણુ પિછાણી શકે છે ને કેણ લઈ શકે? જેને આત્માની પિછાણ થઈ હોય તે પિછાણી શકે છે તેને લેવાની જિજ્ઞાસા જાગે તે લઈ શકે છે. દરિયામાં અનેક રને રહેલા છે. તેથી રત્નાકર કહેવામાં આવે છે. એ દરિયા કિનારે તમે ફરવા જશે તે દરિયાના મેજા જોશો. ખાર જશે તે તે દરિયામાં મીઠું જશે, માછીમાર જશે તે તેની દષ્ટિ માછલા ઉપર જશે અને ઝવેરી જશે તે વિચાર કરશે કે દરિયામાં રને ભરેલા છે. એ રતને કયાંથી મળે? રત્નાકરમાં મરક બનીને ડૂબકી લગાવે તે જ રત્નો મળે છે. જેને રત્ન મેળવવાની તમન્ના જાગે છે એ તે રત્ન મેળવે જ છૂટકો કરે છે, તેમ આ ભગવાનની વાણું રૂપી સિદ્ધાંત સાગરમાં મૂલ્યવાન રત્ન સમાયેલા છે. તેને મેળવવા માટે આપણે તેના ઉપર શ્રદ્ધા કરવી પડશે. તેનું એક ચિતે વાંચન, મનને કરવું પડશે. બત્રીશ સૂત્રમાં ઉત્તરાધ્યયન સૂત્ર સમસ્ત પ્રવચનેને સાર છે. આ ઉત્તરાર્થયને સૂત્રના ૩૬ અધ્યયનને છે. સંપૂર્ણ ઉત્તરાધ્યયન સુત્રને ક્રમશ વાંચીને તેને ભાવ સમજાવવા માટે તે ઘણે સમય જોઈએ. આપણી પાસે તે સમય ઘણે એ છે છે. છતાં ઉત્તરાધ્યયન સૂત્રના એકવીસમાં અધ્યયન સુધી ટૂંકમાં દષ્ટિ કરી ગયા. કારણ કે આપણું શક્તિ તે નાનકડી ગાગર ઉપાડવા જેટલી છે તે પછી સાગરને કેવી રીતે ઉપાડી શકીએ? પણ આચાર્ય ભગવંતેએ ભગવાનની વાણીરૂપ સાગરને આ ઉત્તરાધ્યયન સૂત્રરૂપી ગાગરમાં ભરી દીધું છે, અને એ રીતે આપણા જેવા અલ્પ શક્તિવાળા છ જિનાગમને સંક્ષેપમાં સમજી શકે એ હિતકારી પ્રયત્ન કર્યો છે, પણ એને સમજવાનું ઉપદાન કારણ તો આપણે આત્મા છે. શસ તે નિમિત્ત કારેણ છે. જેમ કે પુસ્તકનું વાંચન બધા કરે છે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy