SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યત્વ પરાક્રમ—૩૯ મા મેલ [ ૧૩૩ કર્યાં છે તે સાધુએ શું દુઃખી છે? સાધુએ આ સુખસાધતેની સહાયતા લેતા નથી, અને જેએ સાચા સાધુએ છે અને જેએ એમ માને છે કે ભગવાને અમારી સ્વતંત્રતાની રક્ષા માટે જ અમને આવાં સાધતેની સહાયતા ન લેવાની આજ્ઞા આપી છે, તે સાધુઓ પેાતાને સૌથી વિશેષ સુખી માને છે. કદાચિત્ કાઈ સાધુના હૃદયમાં એવી ધારણા હેાય કે, આજકાલ ચમત્કારને નમસ્કાર કરવામાં આવે છે. એટલા માટે અમારી પાસે પણ કાઈ પ્રકારની લબ્ધિ હોય તે સારું કે જે દ્વારા અમે પણ લબ્ધિના ઉપયેગ વડે ચમત્કાર બતાવી શકીએ. આ પ્રમાણે વિચાર કરનાર સાધુએએ એ વાતને ખ્યાલ રાખવેા જોઇએ કે, જ્યારે ભગવાને અમને ખીજાની સહાયતા લેવાની પણ મના કરી છે. તે। પછી અમે લબ્ધિને ઉપયેાગ કરી ચમત્કાર બતાવી પણ કેમ શક઼ીએ ? સાધુએએ તેા લબ્ધિના ઉપયેણ ચમત્કાર કરવામાં ન કરવા જોઇએ એટલું જ નહિ પણ બીજાની કાઇની સહાયતા પણ લેવી ન જોઈ એ. મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, એક માણસે ખીજા માણસને કહ્યું કે, મને લબ્ધિ પ્રાપ્ત થઈ છે અને તે દ્વારા હું ચમત્કાર બતાવી શકું છું, ત્યારે બીજા માણસે કહ્યું કે તમને કેવી લબ્ધિ પ્રાપ્ત થઈ છે તેને ચમત્કાર બતાવા તે। કાંઇક ખબર પડે. પેલા માણસે રસ્તા ઉપર ચાલતા એક મર્દોન્મત્ત હાથીને યેાગશક્તિ દ્વારા જડવત્ બનાવી દીધા. આ દૃશ્ય જોઈ તે બીજો માણસ આશ્ચર્યચકિત થઇ ગયા. ખીજા માણસે આ આશ્ચર્ય કથા ત્રીજા માણસને કહી. ત્રીજા માણસે બીજા માણસને પૂછ્યુ કે તમે એવા શા ચમત્કાર જોયા તે તા કહેા. ત્યારે બીજા માણસે પહેલા માણસનું નામ લઇને કહ્યું કે, તેણે “ યાગશક્તિ દ્વારા રસ્તા વચ્ચે ચાલતા મદાન્મત્ત હાથીને પણ જડવત્ બનાવી દીધા. આ સાંભળી ત્રીજા માણસે કહ્યું કે, એમાં આટલું બધું આશ્રય કરવા જેવું શું છે? એ કામ તેા એક દવાથી પણ થઇ શકે છે. જો યોગીએ યાગ સાધીને પણ આવા ચમત્કાર બતાવ્યેા તે। પછી યાગસાધનાનું ફળ શું મળ્યું ? હાથીને જડવત્ બનાવી દે એમાં કાંઇ યાગના ચમત્કાર નથી. એ કામ તે। દવાથી પણ થઈ શકે છે. હાથીને જડ જેવા બનાવી દેવાની દવા તે। મારી પાસે પણ છે. તમે આ દવા લઈ જાઓ અને ક્રાઇ માન્મત્ત હાથીની પૂછ ઉપર ઘેાડી દવા લગાડી જુએ અને પછી એ દવાની શી અસર થાય છે તે જુઓ. બીજા માણસે હાથી ઉપર તે દવાને પ્રયાગ કરી જોયે અને તેને ખાત્રી થઈ કે, હાથીને જડવત્ બનાવી દેવાની ક્રિયા તે દવા દ્વારા પણ થઈ શકે છે. ત્રીજા માણસે ખીજા માણસને કહ્યું કે, દવાના પ્રયાગથી મદ્દોન્મત્ત હાથી પણ જડવત્ બનાવી શકાય છે એ વાતની તમને ખાત્રી થઈને ? જો આ જ કામ યાગસાધના કરીને કરવામાં આવે તે પછી તેમાં યેાગની સિદ્ધિ શી રહી ? સાચો યાગ તા તે જ છે કે, મનને એકાગ્ર કરી કાબુમાં રાખવું. જો મન કાજીમાં ન રહે તે તે સાચા યાગ નથી. જે પેાતાના મનને એકાગ્ર કરી કાબુમાં રાખે છે તેવા યેગીને માટે જગતમાં એવું એક પણ કામ નથી કે જે તેને માટે અશકય હોય, તેમજ એવી એક ...પણ વસ્તુ નથી કે જે તેના આધીનમાં ન હેાય ! સાચે યાગી તેજ છે કે જે સાધનેાની સહાયતાને ત્યાગ કરી દે છે. સાધુએએ સંસારને એટલા જ માટે ત્યાગ કર્યો છે કે તેઓ સંસારની સહાયતાનેા ત્યાગ કરી સ્વતન્ત્ર બને. મનને એકાગ્ર બનાવવા માટે તથા ત્રિવિધ તાપથી આત્માને બચાવવા માટે બીજાની સહાયતાને ત્યાગ કરવા આવશ્યક છે,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy