________________
ચાતુમાસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૩૮ મા ખાલ
| ૧૨૭
ભાવાર્થ એ છે કે, જેમને વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શની પર્યાયેા હાતી નથી તે સિદ્ધ છે. આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે, વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શતા સંબંધ શરીરની સાથે જ છે. અશરીરી થયા બાદ વર્ણાદિના સંબંધ રહેતા નથી.
અત્રે કાઇ એવા પ્રશ્ન કરી શકે કે, જો સિદ્ધાત્માને વર્ણ આદિ કાંઈ નથી તો તે કેવા છે ? આ પ્રશ્નકર્તાને આપણે સામેા પ્રશ્ન કરવા જોઈએ કે, જે વસ્તુમાં વર્ણ, ગંધ, રસ તથા સ્પર્શ આદિ હાતાં નથી તે વસ્તુ કેવી હાય છે? આ પ્રશ્નના ઉત્તર જે હેાય તે જ સિદ્ધાત્મા કેવા હોય છે તે પ્રશ્નના' ઉત્તર સમજવા જોઇએ.
ઉદયપુરમાં એક વકીલ સાથે મારે વાર્તાલાપ થયે। હતા. વકીલ આત્માને પ્રત્યક્ષ ખતાવવાનું કહેતા હતા. મેં તેમને કહ્યું કે, તમે અંગ્રેજી ભણેલા છે તે તેમણે કહ્યું કે, હા, હું અંગ્રેજી ભણેલા છું. ત્યારે મેં તેમને કહ્યું કે, તમે તમારા મસ્તિષ્કમાંથી અંગ્રેજી કાઢીને મને બતાવેા કે તે કેવી છે? વકીલ નિરુત્તર રહ્યા. ત્યારે મેં તેમને કહ્યું કે, જ્યારે તમે તમારા મસ્તિષ્કમાંથી અંગ્રેજી કાઢીને બતાવી શકતા નથી તેા પછી અરૂપી આત્માને કેવી રીતે બતાવી શકાય ? આત્મા માટે શાસ્ત્રમાં કહ્યું છે કેઃ
तक्का जत्थ न विज्जइ मई तत्थ न गाहिया ।
અર્થાત્—આત્માની સિદ્ધિ માટે તર્કો કામમાં આવતાં નથી, તેમ બુદ્ધિ પણ ત્યાં સુધી પહોંચતી નથી. આત્મા બુદ્ધિગમ્ય નહાવાને કારણે જ તેને નૈતિ નેતિ કહેવામાં આવે છે. જે પૂર્ણ વસ્તુ છે તેનું વર્ણન થઇ શકતું જ નથી. અત્યારે આત્માનું જે વર્ણન મળે છે તે પણ અપૂર્ણ છે. જે પ્રમાણે તિજોરી તે માટી હોય છે અને તેની ચાવી નાનકડી હાય છે, પરંતુ આ નાનીશી ચાવીથી તિજોરીને ખાલી શકાય છે અને તેમાં રહેલા માલ પણ લઈ શકાય છે; આ જ પ્રમાણે શાસ્ત્રમાં આત્મારૂપી તિજોરીની ચાવી રૂપે જે થાડુંક વન મળે છે તે વન રૂપી ચાવી દ્વારા પેાતાના આત્મારૂપી તિજોરીને ખેાલા તે આત્મા કેવા છે તથા તેમાં કેવી કેવી શક્તિએ રહેલી છે તે જણાઇ આવશે.
કહેવાના આશય એ છે કે, શરીર પરવસ્તુ છે. અને એ જ કારણે તેના પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. શરીર અને આત્મા ભિન્ન ભિન્ન છે. આ ભેદજ્ઞાન જો તમને પેદા થઇ જાય તે તમે પણુ રાજા પરદેશીની માફક તમારૂં કલ્યાણ કરી શકેા. પરદેશી રાજા પણુ આત્માનું સ્વરૂપ જાણુતા ન હતા અને તે કારણે જ તે શરીરને જ આત્મા માની બેઠે હતા અને શરીર-સુખને જ વાસ્તવિક સુખ માનતા હતા. આ વિપરીત માન્યતાને કારણે તે ઉન્માર્ગે ચડી ગયા હતા. પરંતુ ચિત્તપ્રધાન પરદેશી રાજાના માદક બન્યા અને તેને સન્માર્ગે ચડાવ્યેા. રાજા પરદેશી જ્યારે સન્માર્ગે ચડથી, અથવા તેને આત્મા અને શરીર ભિન્ન છે એવું ભેદજ્ઞાન પ્રગટભુ, ત્યારે તેણે નરકને પણુ સ્વર્ગ બનાવી લીધું. મિથ્યાભિમાનને કારણે સંસારસાગરમાં અનેક જીવા ગાથાં ખાય છે. પરંતુ જ્યારે ધર્મનૌકાને આશ્રય મળે છે ત્યારે ધર્મનૌકાની સહાયથી પતિત આત્મા પણ સંસાર સાગરને પણ પાર કરી જાય છે. પરદેશી રાજા પણ સંસાર સાગરમાં ગેાથાં ખાતેા હતેા, પરંતુ જ્યારે ભગવાન કશીકુમારે ધર્મનૌકા બતાવી અને રાજાએ ધર્મનૌકાના આશ્રય લીધે, તે તે અધર્મી કહેવાતા રાજા પણ ધર્મનૌકાના નાવિક બની સંસારસાગરને તરવા સમર્થ થયા. તમે પણ સંસાર–