SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ ૮] રાજકેટ–ચાતુર્માસ | [ ૪૧૯ કરી તેઓ બીમાર પુત્રને છોડી બીરારમાં ગયા. એવું પણ સાંભળ્યું છે કે, તેઓ પોતાના કેસરી” પત્રમાં સમ્પાદકીય લેખ લખી રહ્યા હતા. તેમણે અડધો અગ્રલેખ લખ્યો હશે તે વખતે જ એક માણસ આવ્યા અને તેમને કહ્યું કે, ભાઈ સાહેબ મરી ગયા. પિતાના યુવાન પુત્રના મૃત્યુ સમાચાર સાંભળીને હૃદય અને હાથ કાંપી ઊઠે એ સ્વાભાવિક હતું, પણ તિલક એ દુઃખદ સમાચાર સાંભળીને પણ ધીર-ગંભીર બેસી રહ્યા અને ધીમેથી તે માણસને કહ્યું કે, તમે વ્યવસ્થા કરે. હું હમણું આવું છું. આ પ્રમાણે કહી તે માણસને રવાના કર્યો અને પિતે અપૂર્ણ અગ્રલેખને પૂર્ણ કર્યો. જો કે તે અગ્રલેખ પિતાના યુવાન પુત્રના મૃત્યુ સમાચાર સાંભળ્યા બાદ પૂરો કરવામાં આવ્યો હતો છતાં તેમના એ અગ્રલેખમાં આદિથી અંત સુધીના કઈ પણ ભાગમાં કોઈ પ્રકારનું અંતર જણાતું ન હતું. - તિલકે રુદન ન કર્યું એ તેમની દઢતા હતી. પણ જો તેઓ રુદન કરત તેઓ પિતાના પુત્રને પાછા લાવી શકત ! જે નહિ તે તમે લેકે પણ એ નિશ્ચય કશે કે, અમે પ્રથાના રૂપે રુદન નહિ કરીએ તે શું તે કાંઈ ખરાબ છે ? કઈ પ્રશસે કેઈ નિન્દ, શેઠ શૂલી પર જાય; લાખે નર રહે દેખ તમાશા, શેઠ ને મન ઘબરાય છે ધન ૧૦૭ તે સાગારી અનશન વત લી. પા૫ અઠારહ ત્યાગ જીવ ખમાયે શાન્તિ ભાવસે, ષ ન કિસમે રાગ. . ધન ૧૦૪ મહા ગીશ્વર ધરે ધ્યાન ર્યો, જિન મુદ્રાકો ધાર; ધ્યાન ધર નવકાર મંત્રકા, ઓર ન કોઈ વિદ્યા છે થનક ૧૦૫ , આ જો કે ઈતિહાસ નથી, તેમ ઈતિહાસના તત્વથી આ વિરુદ્ધ પણ નથી. સંસારમાં પ્રાયઃ એવું જોવામાં આવે છે કેકોઈ પણ કામમાં બધા લેકે સહમત થતા નથી. કેઈ અમુક કામની પ્રશંસા કરે છે, તે કઈ અમુક કામની નિંદા કરે છે. જો કે કાપવાદને ભય રાખવો એ ઠીક છે, પણ સાથે સાથે લેકપ્રવાહમાં પણ વહી જવું એ ઠીક નથી. લોકપ્રવાહમાં વહી જનાર વ્યક્તિ આત્માને નિશ્ચલ રાખી શકતી નથી. સુદર્શનની કેટલાક લેકે એવી નિંદા કરતા હતા કે, આ કેવો મૂર્ણ છે કે તે મરવાના સમયે પણ બેલ નથી અને સાચી વાત પ્રકટ કરતો નથી. આ જ પ્રમાણે કેટલાક લેકે શેઠાણીની પણ નિંદા કરતા હતા કે, આ સ્ત્રી કેવી મૂર્ણ છે કે તે પિતાના પતિને પણ સમજાવતી નથી, અને પતિ શૂળીએ ચડવા જાય છે છતાં તેમનું અંતિમદર્શન કરવા માટે પણ બહાર નીકળતી નથી અને ધર્મધ્યાનને ઢોંગ કરી બેસી ગઈ છે. કેટલાક લેકે અઘટિત ટીકા પણ કરતા હતા. તેઓ કહેતા હતા કે, “આ શેઠ પૌષધને ટૅગ કરી બેઠા હતા. અમે તેને કહ્યું કે, ચાલે આપણે મેળામાં જઈએ, ત્યારે તેણે અમને જવાબ આપ્યો કે, કર્મબંધના કારણભૂત મેળામાં કોણ જાય ! તે મેળામાં તે ન આવ્યો, પણ રાણીના મહેલમાં ગયો. આવા ધર્મગી માણસ કરતાં તે અમે લેકે સારા કે ભલે અમે ધર્મધ્યાન ન કરીએ, કે સાધુ પાસે ન જઈએ, પણ એના જેવો દુરાચાર તે સેવતા નથી. જોકે કહેતા હતા કે શેઠ-શેઠાણી વચ્ચે બહુ પ્રેમ છે પણ તેમને કેવો પ્રેમ હતો તે તે આજે જણાઈ ગયું. શેઠાણું પોતાના પતિને મળવા કે તેનાં મુખદર્શન માટે ઘરમાંથી પણ ન નીકળી.”
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy