________________
શુદ ૮] રાજકોટ–ચાતુર્માસ
[૪૧૭ કામ પણ ચાલી શકતું નથી. આ જ પ્રમાણે સાધુપણું લેનારાઓમાં પણ કેટલાકે ખોટા પણ હોય છે, પણ સંસારનું કામ સાધુઓ વિના ચાલી પણ શકતું નથી. એટલા માટે એમ કહી શકાય નહિ કે, સાધુ થવું એ ખરાબ જ છે. હાં, જે લેકે સાધુપણું લઈને પણ તેનું પાલન કરતા નથી તેમને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ સાધુપણું જ ખરાબ છે એમ માની બેસવું એ ભૂલ છે. તમે લેકે જે દિવસે આ સુધારની તરફ ધ્યાન આપશો, ધર્મને હૃદયથી માનશે અને ધર્મને માટે આત્મ-બલિદાન આપવા પણ તૈયાર રહેશે તે દિવસે સંસારને સુધાર થયા વિના રહેશે જ નહિ
અનાથી મુનિ કહે છે કે, હવે હું બીજી અનાથતા બતાવું છું. આ બીજી અનાથતા કેવા પ્રકારની છે એ બતાવતાં અનાથી મુનિ કહે છે કે –
जो पव्वइत्ताणं महव्वयाइं. सम्मं च नो फासयई पमाया।
अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिन्दई बंधणं से ॥३९॥ “હે! રાજન! જે નિન્યધર્મને પામી કાયરતાથી તેનું પાલન કરતા નથી તે કર્મબંધના મૂલ કારણને છેદી શકતો નથી. સાધુપણાને સ્વીકાર કરવાથી આત્મા તે ભવે કે પરંપરાએ મેક્ષને પ્રાપ્ત થાય છે; પણ જે કઈ સાધુપણામાં કાયર બની જાય છે તે કર્મબંધના મૂલ કારણને છેદી શકતું નથી. કારણ કે તેણે વેશ તે ધારણ કર્યો છે અને મહા તેને પણ સ્વીકાર કર્યો છે પણ તે પ્રમાદવશાત કે રસમૃદ્ધ થવાને કારણે મહાવ્રતનું પાલન કરતા ન હોવાથી કર્મબંધના મૂલ કારણને છેદી શકતા નથી. સાધુપણું લઈને પણ કર્મબંધના મૂલને ન છેદવાનું કારણ પ્રમાદ છે. જે પિતાના હૃદયમાં પ્રમાદ ન હોય તે ભલે કોઈ સ્વાર્થી તેને મહાવ્રતનું પાલન કરવાની ના પાડે છતાં તે મહાવ્રતનું પાલન કરવું છોડી શકતો નથી.
મહાવ્રત વિષે વિસ્તારથી કહેવું જોઈએ પણ અત્યારે સમય ન હોવાને કારણે સંક્ષેપમાં જ કહું છું. મહા લઘુની અપેક્ષાએ છે. જો લઘુ ન હોય તે મહા પણ હોઈ શકે નહિ. લઘુની અપેક્ષાએ મહા અને મહાની અપેક્ષાએ લઘુ કેવી રીતે છે એ વિષે મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, એક બાદશાહ બજારમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે છોકરાઓને રમતાં
જોયા. એ છોકરાઓમાં વજીરને એક છોકરે હતું. બાદશાહે વિચાર્યું કે, વજીરને છોકરે કોણ છે અને તે કે બુદ્ધિમાન છે એ વાતની ગુણપરીક્ષાદ્વારા નિર્ણય કરવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરી બાદશાહે પિતાની લાકડી વડે જમીન ઉપર એક લીંટી દેરી અને છોકરાઓને કહ્યું કે આ લીંટીને તોળ્યા કે બગાડ્યા વિના નાની બનાવી આપે. બધા છોકરાઓ એક બીજા સામું જોવા લાગ્યા પણ બાદશાહના પ્રશ્નને કોઈ ઉકેલ કરી શક્યું નહિ, પણ વજીરના છોકરાએ કહ્યું કે, તમે તમારી લાકડી આપ તે હું હમણાં જ આ લીંટીને તેડ્યા કે બગાડયા વિના નાની બનાવી આપું. બાદશાહે તેને લાકડી આપી. વછરના છોકરાએ લાકડી વડે પેલી લીંટીની સામે જ બીજી એક લાંબી લીંટી દેરી, જે પેલી લીંટી કરતાં લાંબી હતી. પછી તેણે બાદશાહને કહ્યું કે, હવે જુઓ આપની લીટી નાની છે. જો તમે આ ન માનતા હે તે કેઈને પૂછી જુઓ કે આપે દેરેલી લીટી નાની છે કે નહિ ? બાદશાહે પૂછયું કે, “ તું