SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ [બીજા ભાદરવા અને વચનમાં વૈરાગ્ય રાખીએ છીએ પણ અમારા મનને તે પાપનું ઘર બનાવી રાખ્યું છે. ઉપરથી તે અમે વૈરાગ્યની વાતેા કરીએ છીએ અને વૈરાગ્યને વેશ પણ ધારણ કર્યાં છે, પણુ અમારું મન તે વિકારાથી જ ભરેલું છે. અમને વૈરાગ્યને કે આપને વિશ્વાસ તા કેવળ લેાકાને બહાર બતાવવા પૂરતા છે. બાકી મારું મન પાપવિકારાથી ભરેલું છે. આજ અમારા દોષ છે. ” અહીં એક પ્રશ્ન થાય છે કે, આવી અવસ્થામાં શું કરવું ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ કહે છે કે, એ ભૂલને દૂર કરવાના પ્રયત્ન કરવા. ભૂલ કેમ દૂર થાય એમ કેવળ ચિંતા કરવાથી કાંઈ કામ ચાલતું નથી. ભૂલને દૂર કરવાના પ્રયત્ન કરવાથી જ ભૂલ દૂર થાય છે. પાપને પાપ સમજવું એ કાંઈ ઓછું નથી. પાપને પાપ માની, તે પાપને દૂર કરવાના પ્રયત્ન કરવા એ કાંઈ ઓછી વાત નથી. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ— ' मायी मिच्छादिठ्ठी अमायी सम्मदिठ्ठी' જે બાહર તા ખીજાં બતાવે છે અને હૃદયમાં ખીજાં રાખે છે, અર્થાત્ જે ઉપરથી તા પાપને દબાવી રાખે છે અને અંદરથી છળકપટ કરે છે તે મિથ્યાદષ્ટિ છે; અને જે સરળતાપૂર્ણાંક પાપને પાપ માને છે, પાપને દબાવી રાખતા નથી પણ તેને દૂર કરવાના પ્રયત્ન કરે છે તે સમદષ્ટિ છે. આના એવા અર્થ નથી કે વ્યવહારને જ બંધ કરી દેવામાં આવે ! સંસારના લેકાતે વ્યવહારની પણ જરૂર રહે છે, પણ વ્યવહાર સાધવાની સાથે આત્મશેાધન અને પરમાત્માના શરણે જઈ કામ ક્રોધાદિને જીતવાના ઉપાય કરવા જોઇએ. એમ ન થવું જોઇએ કે, વચન અને વેશમાં તે વૈરાગ્ય રહે અને મન પાપનું ધર બની જાય! આમ કરવું એ જ મિથ્યાદષ્ટિપણું છે. એમ કાઈ એ વિચારવું ન જોઈએ કે, વચન અને વેશદ્રારા તે હું વ્યવહાર સાચું છું તેા પછી મન ભલેને ગમે તેવું રહેં ! મનને કાણુ જોવા આવે છે ? આ પ્રમાણે મનને મલિન રાખનારે એટલું તા સમજવું જોઈએ કે, મનને પાતાનું મન તા જાણે જ છે.પોતાના મનની સાક્ષી પોતાનું મન જ આપે છે. આ સિવાય પરમાત્મા તે બધું જાણે છે કે નહિ ? જો મન મિલન અને પાપનું ધર રહ્યું તે પછી ભગવાનના સેવક કેમ બની શકાય ? એટલા માટે ભકતે વિચારવું જોઈ એ કે, ભગવાન અજિતનાથના સેવક છું, તા મારા પ્રભુ પણ સર્વાંત હાવાથી મારા મનની વાત પણ જાણે છે. એટલા માટે હું મારા મનને પાપનું ઘર બનાવીશ નહિ અને પરમાત્મા પાસે કાઇ. વાતને છુપાવીશ નહિ. હે ! પ્રભુ ! હું તે આપને જે કામ પસંદ પડે તેવાં જ કામેા કરીશ; ખીજાં કામેા નહિ કરું ! ” ¢ આ પ્રમાણે વિચાર કરી, જો પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તેા કામ ક્રોધાદિ ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત થઈ શકે. એટલા માટે પરમાત્માની પ્રાર્થનાને હિર્મુખી ન અનાવતાં અન્તર્મુખી બનાવવી જોઈએ. અનાથી મુનિના અધિકાર—૪૦ અનાથી મુનિ પરમાત્માની અન્તર્મુખી પ્રાર્થના કરે છે. અનાથી મુનિએ રાજા શ્રેણિકને જે કાંઈ કહ્યુ કેવળ રાજા શ્રેણિકને માટે જ નહિ પણ સકળ સંસારને માટે કહ્યું છે. એટલા માટે તેમના આપેલા ઉપદેશને ખરાખર સમજો તે ભગવાન અજિતનાથની પ્રાર્થના અને અનાથી મુનિના ઉપદેશમાં જરાપણ અંતર જણાશે નહિ.
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy