________________
૬૮૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
એવું સાંભળવામાં આવ્યું છે કે, હિંદના નવા વાયસરેય લા` લિનલિથગોએ પણ કલકત્તાના કત્લખાનામાંથી આઠ ગાયા અને ભેશેાને છેડાવીને દીલ્હીની પાંજરાપેાળમાં મેાકલી આપેલ છે. આ વાત ૨૪મી નવેમ્બર ૧૯૩૬ના ટાઈમ્સ ઓફ ઈન્ડીયા Times of Indiaમાં છૂપાએલ છે. વાયસરાયે તે જીવાને છેડાવ્યા એ કાંઈ મેાટી વાત નથી, પણ ભારતનું જે પશુધન આજે કપાઈ—લૂંટાઈ રહ્યું હતું તેને બચાવવા સરકારી સત્તાનું પણ ધ્યાન ગયું છે એ માટી વાત છે. જ્યાં આ પ્રમાણે પશુધન દરરાજ લૂંટાતું હેાય, જ્યાં આ પ્રકારની અનીતિ ચાલતી હેાય ત્યાં કલ્યાણની આશા શી રીતે રાખી શકાય ?
જે રાજસત્તા પશુધનને કાપવામાં લૂંટવામાં સહાયતા દેતી હતી, તે રાજસત્તા પશુધનને જ્યારે બચાવવાના પક્ષમાં આવી છે ત્યારે જો તમારા તરફથી કાંઈક વિશેષ પ્રયત્ન કરવામાં આવે તે શું પશુઓને આ રીતે થતા નાશ બંધ થઈ ન શકે?
... મુંબઈના વાંદરા અને કુરલાના કસાઈખાનામાં થતાં પશુવધથી મારા હૃદયમાં જે આધાત પહોંચ્યા હતા અને આ બાબત મુંબઈ-ધાટકાપરમાં મેં વ્યાખ્યાનમાં જનતાની સમક્ષ કસાઈખાનામાં કત્લ થતાં જીવાની અરેરાટીનું જે ચિત્ર રજુ કરી જીવયા માટે પ્રયત્ન કર્યા હતા, તેના પરિણામે શ્રોતાઓ ઉપર તેની સારી અસર પડી હતી અને ઘાટકાપર જીવયા સસ્થા સ્થાપી તેઓએ જીવાને યથાશક્તિ બચાવવાના સક્રિય પ્રયાસ પણ કર્યા હતા. તેઓ મુંબઈના કતલખાનામાં કપાતાં બધાં જીવાને તે કેમ બચાવી શકે ? પણ હા, તેઓએ શકિત પ્રમાણે જીવાને બચાવવાના પ્રયત્ન કર્યાં હતા અને હજી કરી રહ્યા છે.
જ્યારે હૃદયમાં સદ્ભાવના જાગે છે ત્યારે નાનું સરખું કામ પણ મેટુ રૂપ ધારણ કરી લે છે. આવા સમયમાં કે જ્યારે જીવાને બચાવવામાં વાયસરાયની સહાયતા મળી શકે તેમ છે ત્યારે જો વિશેષ સક્રિય પ્રયત્ન કરવામાં આવે તે ઘણા જીવાની રક્ષા થઈ શકે એમ છે. એટલા માટે આ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે. જે લેાકેામાં આ પ્રકારના પ્રયત્ન કરવાની શક્તિ છે તેઓએ આ વિષે પ્રયત્ન કરવા જોઈ એ અને જેએામાં આવી શક્તિ નથી તેઓએ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરવી જોઈએ કેઃ—
ધર્મ જિનેશ્વર મુઝ હિવડે ખસેા, પ્યારા પ્રાણ સમાન; કમહૂં ન મિસરું હ। ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન
હે ! પ્રભુ ! જો તમારું તેજ મારા હૃદયમાં આવી જાય તે હું અનંત શક્તિશાળી બની જાઉં અને મારી બધી સાંસારિક ભાવના પણ શાન્ત થઈ જાય.
જો કે ચૌમાસી પ્રતિક્રમણ કરતાં મેં બધા જીવાને ખમાવ્યા છે પણ મારા ખાસ સંબંધ તમારી સાથે છે. ઉપદેશનું કામ ઘણું ખારીક છે અને ઇચ્છા ન હોવા છતાં પણુ એવી કાઈ વાત કહી દેવામાં આવી હેાય કે જેથી આ ચાતુર્માસ કચવાયું હાય કે દુઃખ થયું હોય, તે હું બધાં સાધુ–સાધ્વી, ખમાવું છું અને બધાનું કલ્યાણ થાએ એ જ ચાહું છું.
સમાપ્ત
દરમ્યાન તમારું કેાઈનું મન શ્રાવક-શ્રાવિકા બધાંને ફરી