________________
૬૬૦].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
મારનારને પણ ક્ષમા આપ,” આ પ્રમાણે વિચાર કરી કામદેવ સ્થિર રહ્યો. આ જ પ્રમાણે તમે પણ સ્થિર રહે તે કદાપિ હાનિ નહિ થાય પણ ગજસુકુમાર મુનિની માફક લાભ જ થશે. એટલા માટે સિંહવૃત્તિવાળા બને અને શ્વાનવૃત્તિને ત્યાગ કરે.
તમને હાથે કે પગે ફેલ્લે થાય છે તે તે કેમ થાય છે? કદાચ તમે કહો કે રેગને કારણે થાય છે તે રાગ કેમ થાય છે? આત્માની ભૂલ વિના રોગ પેદા થઈ શક નથી. આવી દશામાં રગને અપરાધ માનવાને બદલે પિતાના આત્માને જ અપરાધ કેમ માનવામાં ન આવે ?
જેને શક્કરની (મીઠી પેશાબની) બિમારી હોય છે તેને મીઠાશવાળી ચીજ હાનિ કરે છે. મને પણ એ બિમારી થઈ હતી પણ તેને ખ્યાલ ન હતા. મને સાધુઓ મીઠાઈ ખાવાનું કહેતા તે હું ખાઈ લેતા. પરિણામે મને એક ફોલ્લે થયો. મારા સાધુઓએ એ ફલ્લાને ફેડી નાંખ્યો પણ તે મટે નહિં. હું જેમ જેમ મીઠી ચીજો ખાતે તેમ તેમ રોગ પણું વધતા જતા હતા. એક વેંકટરે મને કહ્યું કે, ફલ્લાનું ઑપરેશન કરવાથી તમારું લોહી બહુ ઓછું થઈ ગયું છે એટલા માટે તમે “તર” (માલદાર) ચીજો ખાધા કરે. મેં કહ્યું કે તર ચીજ વળી શું? ડૉકટરે ઉત્તર આપ્યો કે, જલેબી, કલાકંદ (મારવાડી મીઠાઈ) બાસુંદી વગેરે ચીજો ખાધા કરે. આવી બલીઝ ચીજે બહુ ખાઈ શકાતી ન હતી પણ થાડી થોડી હું ખાતે રહેતું હતું અને રેગ વધતો જતો હતો. આખરે જ્યારે એમ માલુમ પડ્યું કે, આ તે શક્કરની (મીઠી પેશાબની) બિમારી છે ત્યારે મીઠાશવાળી ચીજો જ ખાવાનું બંધ કરી દીધું. પછી તે કેવળ પાતળી છાશ જ પીવાની હતી, પણ પહેલાં જે રેગ વધવા પામે તેમાં કેની ભૂલ હતી? મારી જ ભૂલને કારણે રેગ વધવા પામ્યો હતો. આ જ પ્રમાણે જ્ઞાનીજનો કહે છે કે, આત્માની ભૂલથી જ સંકટો માથે પડે છે. જે પ્રમાણે રોગો પેદા ન થાય તે માટે કુપચ્ચને ત્યાગ કરે આવશ્યક છે, તે પ્રમાણે સંકટ પેદા ન થાય તે માટે ખરાબ કામને ત્યાગ કરવો આવશ્યક છે. જ્ઞાનીઓના બતાવેલા માર્ગે ચાલશો અને આત્માના ડોકટર તમે પોતે બનશે તે તમે સિંહવૃત્તિને કેળવી શકશે અને પરિણામે કલ્યાણ સાધી શકશે.
- રાજા ઉપાસક હતું અને મુનિ ઉપાસ્ય હતા. ઉપાસક અને ઉપાસ્ય બન્નેને શાસ્ત્રકારોએ સિંહ કહ્યા છે. વાસ્તવમાં સિંહની સેવા સિહ જ કરી શકે છે. બીજે કઈ કરી શકતા નથી.
જે શ્વાન હશે તે તે સિંહને જોતાં જ ડરી જઈ ભાગી જશે. જુનેરમાં મેં જોયું હતું કે, શિકારી લેકે એક વાઘને પાંજરામાં પૂરી લાવ્યા હતા. તેઓ દુકાને દુકાને વાઘને બતાવી પૈસા માંગતા હતા. એ વાઘને જોઈ કુતરાઓ ભસતા હતા. મેં વિચાર્યું કે, આ વાઘ પાંજરામાં પુરાએલો છે એટલે જ આ કુતરાઓ એને ભસી રહ્યા છે, નહિ તે કુતરાઓની શું તાકાત છે કે તેની પાસે પણ આવે !
સિંહની સેવા સિંહ જ કરી શકે છે. જેનામાં સિંહવૃત્તિ નથી તે સિંહની સેવા કરી શકતો નથી. આ જ પ્રમાણે નિગ્રન્થની સેવા પણ તે જ કરી શકે છે કે જેનામાં સિંહના જે સ્વભાવ છે. જે સંસારની ભાવનામાં રોપઓ રહે છે તે શિયાળ અનગારરૂપી સિંહની સેવા કરી શકતું નથી. જે સંસારની ભાવનામાં રોપઓ રહે છે અને એને જ માટે ગુરુ-ગુરુ કહ્યા કરે છે તે નિગ્રન્થની સેવા કેવી રીતે કરી શકે ? કદાચિત એવા શિયાળ–લેકે અમારા સેવક બનતા પણ હોય તે પણ અમારે તે એમ વિચારવું જોઈએ કે, અમે આ શિયાળ-લે કેની સાથે ક્યાંય શિયાળ બની ન જઈએ ?