SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શુદી ૭] રાજકેટ-ચાતુર્માસ [ ૬૪૫ છે. આ પ્રમાણે જે અનુમાનથી એમ માનવામાં ન આવે તે મટી ગડબડ ઊભી થઈ જાય ! અનુમાન અને પ્રત્યક્ષ એ બન્નેય એક જ રથના બે ચક્રોની સમાન છે. રથ એક ચકથી ચાલી શકતા નથી પરંતુ તેને માટે બને ચક્રોનું હોવું આવશ્યક છે. આ જ પ્રમાણે વસ્તુને નિર્ણય પણ કેવલ પ્રત્યક્ષથી જ થઈ શકતા નથી પરંતુ તેને માટે પરોક્ષ પ્રમાણની સહાયતા લેવી પણ આવશ્યક છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એ બન્ને પ્રકારના જ્ઞાન દ્વારા જ વસ્તુનું સ્વરૂપ જાણી શકાય છે. જો કેપ્રત્યક્ષ પ્રમાણની માફક પક્ષને પણ પ્રમાણ માનવું આવશ્યક છે પરંતુ આત્માને તે પ્રત્યક્ષ જોઈને પણ ભૂલી રહ્યા છે. પિતાને આત્મા પિતાને માટે તે પ્રત્યક્ષ જ છે અને આ આત્મા પ્રત્યક્ષને આધારે બીજાના આત્માને અનુમાન દ્વારા જાણી શકે છે. જેમકે એમ કહેવામાં આવે છે કે, “મેં તે ચીજ આંખથી જોઈ.” આ કથનમાં જોનાર તે કઈ બીજે જ જણાય છે. આંખ તે કરણ અર્થાત્ સાધન છે. જોનાર તે કઈ બીજો જ છે અને તે બીજે જ આત્મા છે. આ પ્રમાણે પિતાને આત્મા તે પ્રત્યક્ષ જ છે છતાં તેને ભૂલી જવામાં આવે છે. આ ઉપરથી કઈ એમ કહે કે, અમે તે આત્માને આંખદ્વારા પ્રત્યક્ષ જેવા ચાહીએ છીએ એમ કહેનારાઓને હું એક વાત સંભળાવવા ચાહું છું. ઉદયપુરમાં એક વકીલે પણ મને એ જ પ્રશ્ન પૂછયો હતો કે, આત્મા કયાં છે! તે મને આંખદ્વારા પ્રત્યક્ષ બતાવે. ત્યારે મેં એના પ્રશ્નનો ઉત્તર આપ્યો કે, તમે અંગ્રેજી તે ભણ્યા છો ને ? વકીલે કહ્યું કે, હા, ત્યારે મેં પૂછ્યું કે તે અંગ્રેજી ક્યાં છે તે મને પ્રત્યક્ષ બતાવો. વકીલ હસી પડયા અને કહેવા લાગ્યા કે, અંગ્રેજીને કેવી રીતે બહાર કાઢી બતાવી શકાય ? મેં જવાબ આપ્યો કે, જ્યારે અંગ્રેજીને બહાર કાઢી બતાવી શકાતી નથી તે જે અંગ્રેજી ભણતરનો સ્વામી છે તેને કેમ બતાવી શકાય ? - વકીલને જેમ અંગ્રેજી ભણતર વિષે કહ્યું તે જ પ્રમાણે પિતપતાની શિક્ષા અને પિતપિતાના વિચાર પ્રમાણે એવો નિશ્ચય કરે કે, આત્મા છે અને તેનું અસ્તિત્વ છે. જે આત્માનું અસ્તિત્વ માનવામાં ન આવે તે આગળ જતાં કદાચ પશ્ચાત્તાપ કરવો પડશે અને તે વખતે રાજા શ્રેણિકની માફક પિતાને અપરાધ સ્વીકારવો પડશે. રાજા કહે છે કે, હે મુનિ! આપે મને આત્માનું ભાન કરાવ્યું છે અને સનાથ-અનાથનો ભેદ સમજાવ્યો છે, એટલા માટે જગતના નાથ તે તમે જ છે. - અનાથી મુનિને ઉપદેશ સાંભળ્યા બાદ રાજાને હૃદયપલટે કેવી રીતે થયું તેને કાંઈ ઇતિહાસ નથી; પણ તેને ઈતિહાસ તે આપણે પોતે જ છીએ. જ્યારે આપણે આ ઉપદેશ ઉપરથી સંસારની ચીજોને માટે એમ સમજવા લાગીશું કે, એ ચીજો આપણને અનાથ બનાવે છે, તે વખતે આપણને માલુમ પડશે કે, રાજા શ્રેણિકનું હૃદય મુનિને ઉપદેશ સાંભળી કેવી રીતે પલાઈ ગયું હશે ? તમે પણ મુનિના ઉપદેશને હૃદયમાં ઉતારે ત્યારે જ તમને રાજાના હૃદયપલટાની વાત સમજમાં આવી શકશે, અન્યથા નહિ. એટલા માટે મુનિના ઉપદેશ ઉપર વિચાર કરી પિતાના હદયમાં તે ઉપદેશ ઉતારવો જોઈએ. રાજા શ્રેણિક વીર હતો, એટલા જ માટે મુનિને ઉપદેશ સાંભળી તેને જે વિચારો આવ્યા તે વિચારોને તે ચિનગારી રૂપે બહાર પ્રગટ કરે છે તે વિચારેને દબાવી રાખતે
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy