SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [કારતક છે કે, જે ચીજદ્વારા સાધારણ રીતે બધાનું પોષણ થતું હોય તે જ ચીજ મધુર છે, અને એવી મધર ચીજની પ્રાપ્તિ માટે જ પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ. માંથી ચીજને મધુર માની તેની પ્રાપ્તિ માટે પરમાત્માની પ્રાર્થના કરવી એ તે સંસારને વધારે મુશ્કેલીમાં ઉતારવા જેવું છે. જેમકે, કોઈ માણસ મહાન ઋદ્ધિને મધુર માની, તેની પ્રાપ્તિ માટે તે પરમાત્માની પ્રાર્થના કરે છે, પરંતુ તે મહાન ઋદ્ધિ મધુર નથી, કારણ કે તે મહાન ઋદ્ધિની પ્રાપ્તિમાં અનેક જણાને દબાવવું પડશે. અનેક જણની દ્ધિ છીનવી લેવાથી જ મહાન ઋદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે અને એમ કરવા જતાં અનેક જણને કષ્ટમાં ઉતારવા પડે છે. એટલા માટે મેંઘી ચીજ મધુર નથી અને એવી ચીજની પ્રાપ્તિ માટે પરમાત્માની પ્રાર્થના પણ કરવી ન જોઈએ. આ સિવાય જે વસ્તુમાં જે ગુણ છે તે ગુણ જ મધુરતા છે. જેમકે કોઈ માણસ પાણી પાસેથી ગરમીની આશા રાખે તે પાણી ગરમી ક્યાંથી આપી શકે? પાણીને ગુણ તે શીતળતા આપવાનો છે. જે પ્રમાણે પાણીને ગુણ શીતળતા છે તે જ પ્રમાણે ભગવાનને ગુણ વીતરાગતા છે. એટલા માટે પરમાત્માની પાસે કઈ વસ્તુની આશા કરવી જોઈએ એને વિચાર કરો. આને માટે આ જ પ્રાર્થનામાં કહ્યું છે કે – જબલગ આવાગમન ન છૂટે, તબલગ યહ અરદાસજી; સંપત્તિ સહિત જ્ઞાન સમક્તિ ગુણ, પાઉં દઢ વિશ્વાસ જી. | હે ! પ્રભો ! બીજા લેકે બીજી કઈ આશા તો કદાચ પૂરી પણ કરી શકે પરંતુ હું જે તારી પાસેથી આશા કરું છે તે આશા બીજા લેકે પૂરી કરી શકે એમ નથી. જે આશા બીજા લેકે પૂરી કરી શકે એમ નથી તે આશા તું પૂરી કર. મારામાં એ ગુણ પ્રગટાવકે જેથી મારામાં જ્ઞાન-દર્શન આદિ ગુણ ટકી શકે ! મને એવા ગુણની પ્રાપ્તિ થાય એ જ મારી આંતરિક આશા છે. આ પ્રકારની આશાએ પરમાત્માની પ્રાર્થના કરવાથી ભલે પ્રાથને મેક્ષની પ્રાપ્તિ વહેલી થાય કે મોડી થાય, પણ જે સંસારમાં રહેવું પડે તે તે જરૂર શાન્તિ અને આનંદપૂર્વક જ રહેશે. હવે આપણે એ જોઈએ કે, સમ્યજ્ઞાન અને સમ્યફ શ્રદ્ધા શું છે? આ વિષે હું એટલું જ કહું છું કે, વીતરાગની પ્રાર્થના કરવાથી જે જ્ઞાનપ્રાપ્તિ થશે તે જ્ઞાન સમ્યફ જ હશે અને જે શ્રદ્ધા હશે તે સમ્યક્ શ્રદ્ધા જ હશે. કોઈ સારા પૅટરે આપેલી દવા સારી જ માનવામાં આવે છે, ખરાબ માનવામાં આવતી નથી. તે જ પ્રમાણે વીતરાગ ભગવાનદ્વારા મળેલું જ્ઞાન પણ સમ્યફ જ હશે; અને જે વસ્તુની પ્રાપ્તિ થશે તે પણું કલ્યાણકારી અને સમ્યફ જ હશે. આ કથા હું જ્ઞાનને નિષેધ કરતે નથી પણ જ્ઞાનને પ્રાપ્ત કરીને પણ પરમાત્માની પાસે મધુર આશા જ રાખવી જોઈએ. તમને આ અવસર અપૂર્વ મળે છે સાથે નિમિત્ત પણ સારું મળ્યું છે. જો તમે આ અપૂર્વ અવસરને ગુમાવી દીધે તે પછી પશ્ચાત્તાપ જ થશે. તમારે આત્મા જે ઉપાદાન છે તે તે હંમેશાં રહેશે પણ નિમિત્ત મળ્યા વિના ઉપાદાન પણ એમ જ રહી જાય છે. આપણને અત્યારે વીતરાગ ભગવાનનું નિમિત્ત મળ્યું છે; એટલા માટે આ અવસરને લાભ લઈ આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. તમારી પાસે પાણી હોય અને છીપનું મુખ પણ ખુલેલું હોય તે વખતે કઈ માણસ તમને એમ કહે કે, આવા
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy