________________
૫૯૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ
ધર્મધ્યાન કાંઈ કરે છે કે નહિ?” સીધીજીએ ઉત્તર આપે કે, “મહારાજ ! પહેલાનાં ભવમાં ખૂબ ધર્મધ્યાન કરી આવ્યા છીએ એટલે જ આ ભવમાં જાગીર મળી છે, ઊંચું કુળ મળ્યું છે અને સારા ઘરની સ્ત્રી પણ મળી છે. તેથી અત્યારે તે આગળના ભાવમાં ધર્મધ્યાન કરેલું છે તેને ઉપભોગ કરીએ છીએ. એટલે હમણું ધર્મધ્યાન કરવાની શી જરૂર છે” ત્યારે રઘુનાથજી મહારાજે કહ્યું કે, “એ તે ઠીક છે કે તમે પહેલાં ધર્મધ્યાન કર્યું છે એનું ફલ અત્યારે મળી રહ્યું છે અને તે બધા જોઈ રહ્યા છે પણ જે હવે ધર્મકરણી ન કરી અને મરીને કુતરા થયા તે આ મકાનમાં આવવા દેશે?” સીંઘીજીએ જવાબ આપ્યો કે, “ના, એ દિશામાં તે આવવા નહિ દે.” ત્યારે રઘુનાથજી મહારાજે કહ્યું કે“અમે એટલા જ માટે ધર્મધ્યાન કરવાનું કહીએ છીએ. પહેલાં ધર્મધ્યાન કર્યું એનું ફળ તે અત્યારે જોગવી રહ્યા છે, પરંતુ ભવિષ્ય માટે પણ કાંઈક સારી કરણી કરે. આ મનુષ્યજન્મ મળ્યો છે છતાં ધર્મધ્યાન ન કર્યું તે શું પછી કૂતરા કે બિલાડીના ભાવમાં ધર્મધ્યાન થઈ શકશે?”
આ જ વાત તમે તમારા વિષે પણ સમજે. જે આ મનુષ્યજન્મ પામીને પણ આત્માનું કલ્યાણ ન કર્યું તે પછી ક્યારે કરશે ! એટલા માટે આ મનુષ્યશરીરદ્વારા આત્માનું કલ્યાણ કરે. અનાથી મુનિને અધિકાર–૬૬ - અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે કે, “હે ! રાજન ! કુશીલેને માર્ગ છોડી મહાનિસ્ર ના માર્ગે ચાલ.”
જે કે રાજા શ્રેણિક સાધુ થતું ન હતું પણ તે મુક્તિ અભિલાષી તે હવે જ. આત્માને મુક્તિધામમાં પહોંચ્યા વિના શાન્તિ મળી શક્તિ નથી; એટલા માટે બધાએ મુક્તિની જ અભિલાષા રાખવી જોઈએ. કદાચિત આ ભવમાં જ તમે મુક્ત થઈ ન શકે તે પણ જે મુક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ચાલુ રહે અને મુક્તિ તરફ જ ગતિ કરવામાં આવે તે મુક્તિ આ ભવમાં નહિ તે અન્યભવમાં મળશે જ. બલિક મુક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ચાલુ રાખવાથી મુક્તિને પ્રાપ્ત કરી એમ જ કહેવાશે. શાસ્ત્રમાં કહ્યું છે કે –રમાણે િવમળે ? અર્થાત–જે કાર્યને પ્રારંભ કરવામાં આવ્યું છે તે કાર્યને પૂરું થએલું સમજે અને જેણે ચાલવા માંડયું છે તેને પહોંચેલે સમજે.
માને કે, એક માણસ મુંબઈ ગયું છે અને બીજે માણસ મુંબઈ જવા માટે રવાના થયો છે. જે પહેલે ગયો છે તે તે મુંબઈ પહોંચી ગયો છે પણ બીજો માણસ જે હજી ઘરમાંથી નીકળ્યો જ છે તેને માટે મુંબઈ હજી દૂર છે છતાં કોઈ એ બન્ને કયાં ગયા એમ પૂછે તે એ બન્નેને માટે એમ જ કહેવાશે કે તેઓ મુંબઈ ગયા છે. અર્થાત જે જ્યાં જવા માટે નીકળ્યો તે તરફ પ્રસ્થાન કરનારને માટે એમ જ કહેવામાં આવશે કે તે યથાસ્થાને પગ મૂકી રહ્યો છે. આ જ પ્રમાણે એક માણસ મુંબઈથી રાજકોટ આવવા માટે નીકળે છે. હજી તે મુંબઈમાં જ છે છતાં તાત્વિક દૃષ્ટિએ તે તેને માટે તે રાજકેટ જ સમીપ કહેવાશે.
શુકલપક્ષની બીજને દિવસે પ્રકાશ ઓછો થાય છે અને કૃષ્ણપક્ષની બીજને દિવસે પ્રકાશ વધારે થાય છે છતાં એકને શુક્લપક્ષ અને બીજાને કૃષ્ણપક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે, એકમાં પ્રકાશની વૃદ્ધિ થઈ રહી છે અને તે પ્રકાશની સન્મુખ છે અને બીજામાં પ્રકાશ