SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વદી ૨] રાજકોટ–ચાતુર્માસ [ પ૭૭ નથી. સંસારમાં જેને અમંગલ કે અશાન્તિ કહેવામાં આવે છે તેને પણ ભગવાનને ભત શાન્તિ અને મંગલરૂપ બનાવી લે છે. અનાથી મનિને અધિકાર–૬૪ અનાથી મુનિ પણ આ જ વાત કહે છે. તેઓ કહે છે કે, હું પોતે જ શાન્તિને પામ્યો ન હતો એટલે ભાઈ, બહેન, માતાપિતા વગેરે કેઈને પણ શાન્તિ આપી શકે ન હતા. મને શાંતિ ન મળવાનું કારણ એ જ હતું કે, મને રેગ બીજો હતે અને ઉપાય બીજો કરવામાં આવતા હતા. - તમે શરીરના છો કે શરીર તમારું છે? જો તમે એમ માનતા છે કે, અમે શરીરના નથી અને શરીર અમારું નથી તે તે ઠીક જ છે પણ જો એમ માનતા છે કે, અમે શરીરના નથી પણ શરીર અમારું છે તે પણ ઘણુંખરું કામ થઈ જાય. એ દશામાં એમ થવું ન જોઈએ કે શરીર રેગી હેવાથી પિતાને રોગી માને અને શરીર સ્વસ્થ રહેવાથી પિતાને સ્વસ્થ માને. જો શરીર રેગી હોવાથી પિતાને રેગી અને શરીર સ્વસ્થ થવાથી પિતાને સ્વસ્થ માનવામાં આવે તે તમે શરીરના થયા કે શરીર તમારું થયું? અનાથી મુનિ કહે છે કે, જ્યાં સુધી હું શરીરને પિતાનું માની રહ્યો હતો ત્યાં સુધી હું દુઃખ ભગવતે રહ્યો; પણ જ્યારે હું શરીર અને આત્માને પૃથફ માનવા લાગ્યો અને હું શરીર નથી પણ શરીર મારું છે એમ સમજવા લાગ્યો ત્યારે શરીરના રોગે ચાલ્યાં ગયા. જે તમે શરીરને આધીન થઈ જશે તે ઘણું દુઃખ પામશે પણ જે શરીરને પિતાને આધીન કરી લેશે તે એ દિશામાં તમારું ખાવું, પીવું, દેખવું, સાંભળવું વગેરે જુદા જ પ્રકારનું થઈ જશે અને ત્યારે દુઃખ પણ નહિ થાય; તથા ઇન્દ્રિયને વશ થઈ આજે જે ન ખાવા યોગ્ય ખાવામાં આવે છે, ન જેવા યોગ્ય જોવામાં આવે છે અને ન સાંભળવા મેં સાંભળવામાં આવે છે તે ખાવામાં, જવામાં કે સાંભળવામાં આવશે નહિ. જેમકે, સિનેમાં–નાટક જેવા કે સાંભળવા યોગ્ય નથી. સીનેમા–નાટકને જોનાર ઘરને કે ઘાટ રહેતા નથી. સીને માની નટી જેવી તેની સ્ત્રી હોતી નથી એટલે સીનેમા જોયા બાદ ઘરની સ્ત્રી તેને રાક્ષસી જેવી લાગે છે અને સીનેમાની નહી તેને મળતી નથી એટલા માટે તે એકેય બાજુને રહે નથી. આ પ્રમાણે શરીરને આધીન બની જવાથી તે ન જોવા ગ્યને પણ જોવાનું બને છે, પણ જે શરીર પિતાને આધીન હોય તે એમ થતું નથી. - અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન ! જે સાધુ થઈને પણ શરીરને ગુલામ બની જાય છે તે અનાથ જ છે, તે કુશીલ છે. હે! રાજન ! તું એ કુશીલેને માર્ગ છેડી દઈ મહાનિગ્રંથેના માર્ગે ચાલ. તું એમ ન સમજ કે, “ મને જે શિક્ષા આપવામાં આવી છે તે સાધુઓને માટે જ હિતકારી છે. તું આ શિક્ષાને પોતાના હિત માટે પણ માન અને કુશીલોને માર્ગ છોડી દે તો તેમાં તારું કલ્યાણ રહેલું છે.” કેઈ કુશલેને તે છોડી દે પણ તેમને માર્ગ છોડે નહિ તે એથી કાંઈ લાભ થતા નથી. લાભ તે ત્યારે થાય કે જ્યારે કુશીલને માર્ગ છોડી દેવામાં આવે. જે વસ્તુ જે કામ માટે મળી છે તે વસ્તુને વિપરીત કામમાં ઉપયોગ કરે એ ખુશીનો માર્ગ છે. અને જે એમ કરે છે તે કુશીલ છે, જેમકે કપડાં લજજા ઢાંકવા માટે પહેરવામાં આવે છે પણ જે
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy