________________
પ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
- [ આ વગેરેની સહાયતાથી બનાવે છે એટલા માટે જે કુંભારમાં નમ્રતા હશે તે તે એમ જ કહેશે કે, ઘડો બનાવવામાં, ચાકદંડ વગેરે સહાયભૂત છે. જે તે ન હોય તે હું કાંઈ કરી શકું નહિ . તમે લખે છે પણ કલમ ખડીયાની સહાયતાથીલખે છે, અને એ કારણે લેકે લેખકની એટલી પશંસા કરતા નથી જેટલી પ્રશંસા કલમની કરે છે અને અમુક માણસની કલમે આવી છે એમ પ્રશંસા કરવામાં આવે છે. તમે લેકે પણ કલમને ઉપકાર, માને છે અને એ કારણે તમે કલમને ઠોકર મારતા નથી પણ તેની પૂજા કરે છે. છે કે આ પ્રમાણે જ્યારે ચાક-દંડ કે કલમ જેવી વસ્તુઓને પણ ઉપકાર માનવામાં આવે છે તે પછી પરમાત્માનો ઉપકાર કેમ ન હોય ? જો કે આ શરીરનો કર્તા આત્મા છે પરંતુ જે પરમાત્મા નિમિત્તરૂપે સહાયક ન હોય તે આત્મા આ શરીર બનાવી શકે નહિ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, “જીવ જ્યારે શુદ્ધિને પામે છે ત્યારે જ તે મનુષ્યજન્મને પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે જીવને મનુષ્યજન્મ પ્રાપ્ત થવાનું કારણ શુદ્ધિ છે અને શુદ્ધિનું કારણ પરમાત્મા છે. પરમાતમાની ભક્તિથી જ શુદ્ધિ થાય છે અને શુદ્ધિથી જ મનુષ્યજન્મ મળે છે. આ પ્રમાણે આ મનુષ્યજન્મની પ્રાપ્તિ થવામાં પરમાત્માને પણ ઉપકાર છે અને એ જ કારણે પરમાત્માનાં ગુણગાન કરતાં ભક્તજનો કહે છે કે –
સાધન ધામ વિવિધ દુર્લભ, તન મેહિ કૃપા કરી દીને પ્રભુ તુમ બહુત અનુગ્રહ કી. કેટિન મુખ કહિ જાત, ન પ્રભુકે એક એક ઉપકાર તદપિ. તાથ માંગ હૃ. કછુ. ઔર હુ દીજે. પરમ ઉદાર, પ્રભુ વિષયવારિ મન મીન ભિન્ન, નહીં હેત કબહું પલ એક
તાતે વિપત્તિ સહ અતિ નાના, જનમત જેનિ અનેક. પ્રભુત્ર: ? : જે પ્રમાણે કુંભાર ચાની સહાયતાથી ઘડો બનાવી શકે છે, લેખક કલમઠારા લખી શિકે છે તથા ક્ષત્રિય તલવાર દ્વારા વિજય પ્રાપ્ત કરી શકે છે, અને એ કારણે કુંભાર ચાકનાં, લેખક કલમનાં તથા ક્ષત્રિય તલવારનાં ગુણગાન કરે છે, તે જ પ્રમાણે ભકત પરમાત્માનાં ગુણગાન કરે છે અને કહે છે કે, “ હે ! પ્રભો ! આપે સાધનાનું ધામ અને દેવતાઓને પણ દુર્લભ એવું આ મનુષ્ય શરીર મને આપ્યું છે એ તમે મને ઘણું આપ્યું છે.” જે ભિખારી હેય છે. તેઓ તે બહુ મળ્યું હોવા છતાં એમ જ કહે છે કે, “મને કાંઈ આપ્યું નહિ પણ સંતોષી માણસ તે થેડાને પણ ઘણું માને છે.” એટલા માટે હું એમ માનું છું કે, આપે મને આ શરીર આપી. મારી ઉપર ઘણે ઉપકાર કર્યો છે. આપના એ ઉપકારનું વર્ણન અને આપના ગુણોનું કીર્તન, કરડે જીભ હેય તે, ૫શું કરી શકું નહિ. આ જીભ પણ તમે જ આપેલી છે; એટલા માટે તમે આપેલી આ જીભદ્વારા તમારાં ગુણગાન સમાપ્ત કેમ થઈ શકે, અને મેં તસારાં ગુણગાન કર્યા એ હું કેવી રીતે સમજી શકું ? જે કે, તમે મને આ મનુષ્ય શરીર એપી ઘણું ઓપ્યું છે પણ તમે ઉદાર છે એટલે તમારી પાસે થોડું વધારે માંગું છું. તમારી પાસે હું એટલું જ વધારે ચાહું છું કે, જે પ્રમાણે માછલી પાણીમાં તલ્લીન રહે છે, તેમ મારું મન પણ વિષમાં તલ્લીન રહે છે. માછલી પાણીમાંથી બહાર નીકળવામાં દુઃખ માને છે તે જ પ્રમાણે મારું મન પણું વિષમાંથી બહાર નીકળવામાં દુઃખે માને છે. મારું મન