SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સુદી ૧ ] રાજકોટ–ચાતુર્માસ .. [૫૨૧ બચ્યા છો અને હવે આપ દીક્ષા લે છો? રાજા કહેવા લાગ્યું કે, હવે આપને કેને. ભય છે કે આપ સંયમ લે છે? જો કે તમારી ઉપર કલંક ચડાવનારને માટે તમે તે અભય વચન માંગ્યું, છતાં તે તે પિતાના મેળે જ મરી ગઈ. એટલા માટે હવે આપને શે ભય છે !. આ૫ આનંદથી રહે અને કેને તમારી છાયામાં રાખો. એટલા માટે તમે અહીં જ રહે અને સંયમને ધારણ ન કરે અને પહેલાંની માફક ઘરમાં રહીને જ ધર્મધ્યાન કરે. : ", ( આ પ્રમાણે રાજા અને પ્રજા સુદર્શનને સંયમ ને ધારણ કરવા માટે વિનવવા લાગ્યા પણ સુદર્શન વૈરાગ્ય ઉપર દઢ હતે. એટલે તે કહેવા લાગ્યો કે, તમે લેકે આ શરીરને મોટું માનો છો કે ધર્મને?” બધા લોકેએ ઉત્તર આપ્યો કે, “ધર્મને મેંટો માનીએ છીએ” સુદર્શને કહ્યું કે, ‘ત્યારે હું દીક્ષા લઉ એથી શું ધર્મની કાંઈ હાનિ થશે! હું દીક્ષા લઈશ તે એથી કાંઈ તમને નુકશાન થવાનું નથી તે પછી તમે લેકે કાયર કેમ બની રહ્યા છો ? તમારે તે મને વધારે સહાયતા કરવી જોઈએ.' ' : - રાજા કે પ્રજામાંથી કેઈ કાંઈ સુદર્શનના કનના ઉત્તરમાં બોલ્યું નહિ. બધા સુદર્શનને જયકાર બોલી કહેવા લાગ્યા કે, “આપ જે માર્ગે જઈ રહ્યા છે તે જ માગે જવાથી શૂળનું સિંહાસન થયું છે. જ્યારે તમને શૂળીએ લઈ જતા હતા ત્યારે કે તમારી નિંદા કરતા હતા પણ જે ધર્મના પ્રતાપથી આપ બચ્યા છે તે જ ધર્મની સેવા કરવા માટે આપ જઈ રહ્યા છો, એટલા માટે અમે તમને રોકી શક્તા નથી.” = . રાજાએ ધૂમધામથી દીક્ષા મહોત્સવ ઊજવ્યો અને શેઠે સંયમને સ્વીકાર કર્યો. ; - હવે સુદર્શન શેઠ મુનિ થઈને વિચારવા લાગ્યા. આ મુનિ અવસ્થામાં તેમની પાછી કેવી કસોટી કરવામાં આવે છે અને તે કસોટીમાંથી તેઓ કેવી રીતે સફળ થાય છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે... ... . . ' વ્યાખ્યાન: સંવત ૧૯૯૨. આસો સુદી ૧ શુક્રવાર : પ્રાર્થના શ્રી જિન અજિત મને જ્યકારી, તું દેવનક દેવજી, .. “જિંતશત્રુ” રાજા ને “વિજ્યા” રાણકે, આતમજાતે ત્વમેવજી; " શ્રી જિન અજિત નમે જયેકારી. ૧ -વિનયચંદજી કુંભટ વીશી . . . ; અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પ્રાર્થના કરનારના મનમાં કેવી ઉત્કૃષ્ટ અને અનન્ય ભાવના હોવી જોઈએ એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. અનન્યનો અર્થ કેવળ એક જ, બીજે નહિ એવો થાય છે. કેવલ પરમાત્માની જ ભક્તિ કરે, બીજાની ભક્તિ ન કરે એ અનન્ય ભક્તિ કહેવાય છે. આ પ્રકારની અનન્યતા” ત્યારે જ આવે છે કે જ્યારે બધા પદાર્થોને તપાસતાં તપાસતાં છોડવામાં
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy