SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ 1 [ ૫૦૯ પણ બહુ સુંદર હતા. તે બાદશાહીને પૈસે વાપરત ન હો પણ કુરાન વગેરે પુસ્તકો લખી તે વેચતા હતા અને તેમાંથી પિતાનું ગુજરાન ચલાવતા હતા. એકવાર તેણે પિતાની લખેલી કુરાને શરીફ, ત્યાં આવેલા એક મૌલવીને બતાવી. તે મૌલવીએ કહ્યું કે, અહીં અનુસ્વાર હોવું જોઈએ. આ ભૂલ છે. નાસિરુદ્દીને મૌલવીએ બતાવેલ અનુસ્વાર ઉમેરી દીધો. પણ જ્યારે તે મૌલવી ચાલ્યો ગયો ત્યારે તેણે તે અનુસ્વાર કાઢી નાંખે. તેના સરદાએ બાદશાહને પૂછ્યું કે, આપે એમ શા માટે કર્યું ? જે તે બેઠું હતું તે તેને સ્વીકાર કેમ કર્યો. અને જો સાચું હતું તે પહેલાં શા માટે ઉમેર્યું? બાદશાહે કહ્યું કે, જો કે તે ભૂલ ન હતી પણ મૌલવીએ ભૂલ બતાવી એટલે મેં ઉમેર્યું. જે હું એમ ન કરત તે તેના ચિત્તને દુઃખ થાત. તે બહુ દુરથી ચાલીને આવ્યો હતો. જે હું તેની વાત ન માનત તે પછી મને મારી ભૂલ કોણ બતાવત? હું તેને ઉપકાર માનું છું કે તેણે મને ભૂલ બતાવી. જે હું તેની વાત માનત નહિ તે પછી કઈ મને શિક્ષા જ આપત નહિ અને એ કારણે હું અપરાધી થઈ જાત. મતલબ કે, આવા સમયે બાદશાહ પણ પિતાને અવાસ્તવિક શિક્ષા આપનાર ઉપર નારાજ ન થયો પણ તેને ઉપકાર માન્યો. તે જે મુનિ છે તેઓ જે પિતાને શિક્ષા આપનાર ઉપર નારાજ થાય તે સમજવું કે, એ “ચત અછત અ:”ની ગણનામાં છે. પણ જો નારાજ ન થાય અને પોતાની સત્ય હકીક્ત શાંતિપૂર્વક કહી સમજાવે તે સમજવું કે તે માર્ગ ઉપર છે. જે પ્રતિજ્ઞા જે રૂપમાં લીધી હોય તે જ રૂપમાં એ પ્રતિજ્ઞાને અન્ન સમય સુધી પાળવી એ જ વીરેને માર્ગ છે. આથી વિરુદ્ધ જે ગેટાળો ચલાવે છે તે પતિત છે. અનાથી મુનિના કથનાનુસાર વિષયલાલસાને પિષવા માટે ધર્મની સહાયતા લેવી એ જીવનની આશા રાખી વિષનું પાન કરવા બરાબર છે. એટલા માટે મુનિઓએ અનાથી મુનિને આ ઉપદેશ સાંભળી પિતાના આત્મા વિષે વિચાર કરવો જોઈએ કે, “હું ઉર્ધ્વગામી થવા ચાહું છું પણ જા હું અધોગામી થવાનાં કાર્યો કરું તે ઉર્ધ્વગામી કેમ થઈ શકું? એટલા માટે હે ! પ્રભો! મારાથી એવાં કામો ન થાઓ કે જેથી મારો આત્મા અધોગામી બને.” આ તે સાધુની વાત થઈ. પણ તમે કે તમારા વિષે પણ જુઓ કે, તમે લે સાધુની સેવા કરવા માટે દૂર દૂરથી આવ્યા છે પણ તમારામાં જે સાધુની સેવા, વિષયલાલસાને પોષવાની ભાવનાએ કરવામાં આવી તે તમારું કામ પણ વિપરીત થશે. તમારામાં વિષયની લાલસા ન હોવી જોઈએ, પણ વિષયલાલસાને જીતવા માટે તમારી સાધુની સેવા હેવી જોઈએ. આ પ્રકારની ભાવના રાંખીને સાધુની સેવા કરવાથી જ તમે કલ્યાણ સાધી શકે છે. આથી વિરુદ્ધ જે એમ કહેવામાં આવે કે, “અમે તે સાધુઓની પાસે એટલા માટે આવીએ છીએ કે અમને તેઓ ચમત્કાર બતાવે. સાધુઓની પાસે ચમત્કાર તે હે જ જોઈએ. જે સાધુ હોવા છતાં તેમનામાં ચમત્કાર નથી કે તે તેમણે ઘર એમ જ છોડ્યું છે; કારણ કે ચમત્કારને જ નમસ્કાર થાય છે.” - સાંસારિક લોકોમાં આ પ્રકારની ભાવના પણ હોય છે પણ સાધુએ શું એવી ભાવના રાખવી જોઈએ ?
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy