________________
વદ ૧૧] રાજકોટ–ચાતુર્માસ
[ ૪૯૭ પ્રિય લાગતા હતા તે મને કેવા પ્રિય લાગવા જોઈએ! સિદ્ધાન્તમાં કહ્યું છે કે, પશુઓ ઉપર કરુણા કરી અને તેમને છોડાવી ભગવાન લગ્નના તારણેથી પાછા ફરી ગયા. તેમણે વાર્ષિક દાન આપી દીક્ષા અંગીકાર કરી. જ્યારે આ સમાચાર સતી સજીમતિએ સાંભળ્યા તે વખતનું વર્ણન કરતાં ગણધરેએ કહ્યું છે કે, રાજમતિએ જ્યારે એમ સાંભળ્યું કે, ભગવાને દીક્ષા લઈ લીધી છે ત્યારે તે નિરાહાસ–નિરાનન્દ થઈ ગઈ, શેકને કારણે મૂછિત થઈ ગઈ અને તેનું ચિત્ત ચિન્તાથી ચંચલિત થઈ ગયું.
સિદ્ધાન્તમાં કહેલી આ વાતનું વિશદ વર્ણન કરવામાં આવે અને તેની સાથે ભક્તોની ભાવનાને પણ સુમેળ મેળવવામાં આવે તે તે ઘણો જ આનંદ આવે પણ વિસ્તૃત વર્ણન કરવાને માટે સમયની આવશ્યક્તા રહે છે એટલા માટે એ વિષયને વધારે ન વિસ્તારતાં તેને સંક્ષેપ કરવામાં આવે છે.
રાજીમતિ શોકને કારણે મૂછિત થઈ ગઈ અને નિરાહાસ તથા નિરાનંદ થઈ ગઈ એમ સિદ્ધાન્તમાં શા માટે કહેવામાં આવ્યું? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સિદ્ધાન્તમાં ઉપર પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તેને ઉદ્દેશ એવો જણાય છે કે, જ્યાંસુધી સંસારથી ધૃણ ન થાય તથા સંસારથી મમત્વ ન ઉતરે ત્યાંસુધી વૈરાગ્ય આવતું નથી. વૈરાગ્ય ત્યારે જ થાય છે કે જ્યારે સંસારથી મમત્વ ઓછું થાય છે અને એ કારણે વૈરાગ્ય થવાનું એક કારણ મૂષ્ઠિત થવું એ પણ છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે, ભગવાનને જ્યારે વિવાહ જ કરે ન હતું તે પછી તેરણકાર સુધી શા માટે ગયા ? તેઓ ત્રણ જ્ઞાનના સ્વામી હતા છતાં શું તેઓ એટલું પણ જાણતા ન હતા ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તેમને રાજીમતિની સાથે પૂર્વભવને સંબંધ હતે. એટલા માટે ભગવાન, રાજમતિને એ બતાવતા માટે આવ્યા હતા કે, આ સંસારને સંબંધ તુચ્છ છે. જ્યાં સુધી રાજીમતિ આ વાત સમજી શકી ન હતી ત્યાં સુધી તેને વિષદ્વારા જ આનંદ મળતા હતા પણ જ્યારે ભગવાને દીક્ષા લઈ લીધી એવું તેણીએ સાંભળ્યું ત્યારે વિષયોમાં આનંદ માનવાનું ચાલ્યું ગયું અને તે શોકથી મૂછિત થઈ ગઈ.
રાજીમતિને મૂછ કેમ આવી ? સાધારણ રીતે સંસારમાં મૂછને અર્થ જુદો જ કરવામાં આવે છે પણ રાજીમતિને જે મૂછ આવી હતી તે જુદા જ પ્રકારની હતી. આ જ ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણીસમા અધ્યયનમાં મૃગાપુત્રનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, મૃગાપુત્ર મહેલના ઝરૂખામાં બેઠેલ હતા. તે સમયે તેમણે એક મુનિને જોયા. મુનિને જોતાં જ મૃગાપુત્રને મૂછ આવી ગઈ. મૃગાપુત્રને તે વખતે જે મૂછ આવી તે જ મૂછને કારણે તેમને જાતિસ્મૃતિનું જ્ઞાન પેદા થયું.
આજે પણ જોવામાં આવે છે કે, મેમેરીઝમવાળે, કોઈ વ્યક્તિને જ્યારે શક્તિવિશેષથી મૂછિત કરી દે છે ત્યારે જ તે સૂષ્ઠિત વ્યક્તિ તેના પ્રશ્નોને ઉત્તર આપે છે. જે તેને મૂચ્છિત કરવામાં ન આવે તો તે વ્યક્તિ ઉત્તર આપી શકે નહિ. આ જ વાત મૃગાપુત્રના ચરિત્રથી પણ પ્રકટ થાય છે કે તેમને મૂછ આવી અને મૂછ આવવાને કારણે તેમને જાતિરસ્કૃતિનું જ્ઞાન થયું. આ પ્રમાણે અવસ્થાના પરિવર્તન માટે ઈન્દ્રિયની નિસ્તબ્ધતા આવશ્યક છે. જ્યારે ઇન્દ્રિય કાર્યથી નિવૃત્ત થઈ જાય છે તે વખતે તેની શક્તિઓ કેન્દ્રિત થઈ જાય છે.
૧૮