________________
૪૭૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
જેવું છે, એટલા માટે ઉપવાસ કરવામાં શું પડયું છે ? આજ પ્રમાણે વ્રત–નિયમેાને માટે પણ એમ કહે છે કે વ્રત-નિયમમાં શું પડયું છે? પણ જો તપ-નિયમમાં કાંઈ નથી તેા તેએમાં શું પડયું છે? આ પ્રમાણે તેઓ તપ-નિયમેામાં કષ્ટ સહેવાનું હેાવાને કારણે તેને ન માને છે, પણ પોતાના મહિમા વધારવા માટે માથું મુંડાવે છે અને સાધુવેશ ધારણ કરે છે. . શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેઃ—
सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स | उच्छोलणापहोअस्स दुल्लहा सुगई तारिसगस्स ||
ભગવાને કહ્યું છે કે, હે ! શિષ્યા! જે નામ તેા સાધુનું ધારણ કરે છે, માથું મુંડાવે છે અને આ સાધુવેશદ્વારા ખાનપાન સારું મળશે એમ ધારી સાધુવેશ ધારણ કરે છે તેવા સાધુઓને માટે સુગતિ દુ`ભ છે. કાઈ એમ કહે કે, સત્વે નવા પરમાદમિયા। અર્થાત્—સંસારના બધાં જીવા સુખશાતા ચાહે છે તેા પછી જો સાધુ સુખશાતાની ઇચ્છા કરે તે તેમની ટીકા શા માટે કરવામાં આવે? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, જો તે સાધુ સંયમનું ખરાખર પાલન કરે તેાં તેને અપૂર્વ સુખરાાતાની પ્રાપ્તિ થશે. શાસ્ત્રમાં કહ્યું છે કે, એક મહિનાનેા દીક્ષિત સાધુ, વ્યન્તર દેવતાનું સુખ ઉલ્લંઘી જાય છે અને એક વર્ષના દીક્ષિત તથા સંયમનું પાલન કરનાર સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનનું સુખ ઉલ્લધી જાય છે. આમ હાવા છતાં પણ જે સાધુ એ સુખને ભૂલી જાય છે અને સંસારની સુખશાતામાં પડી જાય છે તે પોતાની જ હાનિ કરે છે.
કાઈ ડાક્ટરે દર્દીને દવા આપી કહ્યું કે, અમુક દિવસ સુધી આ દવાનું સેવન કરવું, અને અમુક અમુક ચીજોની ચરી પાળવી. જો ડૉકટરની સલાહાનુસાર દર્દી નિયમિત વાનું સેવન કરે અને ખાનપાનની ચરી પાળે તે તેના રાગ પણુ ચાલ્યો જાય છે અને તે સ્વસ્થ થઈ બધી ચીજો ખાવાને યેાગ્ય બની જાય છે. પણ જો તે દી દવાનું ખરાખર સેવન ન કરે અને ખાનપાનની ચરી ન પાળે તે ડૉકટર તેને માટે શું કહેશે ? તે એમ જ કહેશે કે, આ રાણીએ મારી દવાની અવહેલના કરી. આ જ પ્રમાણે મહાત્મા લકા કહે છે કે, “ હે ! મુનિએ ! તમે સંયમનું બરાબર સેવન કરા અને કષ્ટાને સહેા તા તમને સારું સુખ મળશે, પણ જો સંયમનું બરાબર પાલન નહિ કરો તા ડૉકટરની દવાની માફક સંયમને પણ વ્યથ ગુમાવવા જેવું થશે. આ જ કારણે મહાત્મા કહે છે કે, “જે સુખશાતાના ગવેષી છે અર્થાત્ સુખશીલ બનીને જે હાથ પગ ધાવામાં મશગૂલ રહે છે અને સંયમનું પાલન કરતા નથી તે ધર્મારૂપી દવાને વ્ય' ગુમાવે છે. હે! સાધુએ ! તમને કાઈ એ જબરજસ્તીથી સાધુ તાવ્યા નથી. ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને તમે સાધુપણું ધારણ કર્યું છે માટે સાધુતાનું ખરાખર પાલન કરી તમારું અને જગતનું કલ્યાણ કરા. સંયમના પાલનમાં જ તમારું અને જગતનું કલ્યાણ રહેલું છે. ''
સુદર્શન ચરિત્ર—૫૧
રાજા વગેરે બધાએ સુદર્શનને એમ કહ્યું કે, આપ ઘેર પધારા. સુન સિહાસન ઉપરથી નીચે ઊતરવા લાગ્યા. પણ જનતા સુદર્શનને કહેવા લાગી કે, આપ સિંહાસન ઉપર