SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા મેઘકમારના ચરિત્રમાં વિરા નરિસતા વગેરેના ઉલ્લેખદ્વારા લગ્નપદ્ધતિની જે વિધિ બતાવવામાં આવી છે તે વિધિ બતાવીને શું સાધુ લગ્નપદ્ધતિમાં સુધાર ન કરી શકે ? લગ્નપદ્ધતિની જ માફક ગર્ભક્રિયાના વિષે પણ સુધાર કરી શકાય છે. એ વિષે પણ કોઈનું ચરિત્ર સામે રજુ કરી બતાવી શકાય છે પણ સાધુએ એ વાત કહેતાં એટલું ધ્યાન રાખવું જોઈએ છે. મારે તે મારા સંયમની રક્ષા કરવાની છે એટલા માટે મારી ભાષામાં કોઈ પ્રકારનું દૂષણ ન આવે તેને મારે ખ્યાલ રાખવો જોઈએ. હું સંસારના પ્રવાહમાં તણાઈન જાઉં પણ સંસારની પાર ચાલ્યો જાઉં એનું મારે સતત ધ્યાન રાખવાનું છે. કહેવાનો આશય એ છે કે, શાસ્ત્ર સાધુને બેલતાં અટકાવતાં નથી પરંતુ વિવેકથી બલવાનું કહે છે. ત્રીજી એષણસમિતિ છે. સાધુઓએ આ સમિતિના પાલન કરવામાં પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. એષણસમિતિમાં તે જેવું મળે તેવું લઈ લેવાનું હોય છે. જેઓએ કેવળ ભક્તિ કરાવવા માટે જ માથું મુંડાવ્યું છે, તેમની વાત તે જુદી છે; પરંતુ જેઓને સાધુતાનું પાલન કરવું છે તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાને એષણું સંબંધી જે નિયમ બતાવ્યાં છે તે કાંઈ નકામાં નથી. આત્મા સુખને ઇચ્છુક છે એટલા માટે તે હમેશાં સુખ જ શોધે છે; પરંતુ સુખની ઇચછાને ત્યાગ કરી, સાધુઓએ એ ધ્યાન રાખવું જોઈએ કે, ક્યાંય અમે સાધુતાથી ચુત થઈ ન જઈએ. શાસ્ત્ર એમ તે બહુ ગહન છે, પણ સાથે સાથે તે એવી સરલ અને લાભપ્રદ વાતે સરળતાથી સમજાવે છે કે, જેથી સાધારણ માણસ પણ સમજી શકે છે. જેમ માતા પિતાના બાળકને સમજાવે છે તેમ શાસ્ત્ર પ્રત્યેક વાત સમજાવે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स । उच्छोलणापहोअस्स दुल्लहा सुगई तारिसगस्स ॥ આ ગાથામાં એમ કહ્યું છે કે, જે કઈ શ્રમણ “આમાં સુખ મળે, – અહીં મુખ મળે,” એમ સુખની પાછળ જ પડ્યો રહે છે, અને એ માટે એવી પિલીશી કરે છે કે, જેથી લેકેની ભક્તિ પણ ઓછી ન થાય અને સુખને માર્ગ પણું ખુલ્લું રહે. આવો સખનો ગવેષી કહેવા લાગે છે કે, “એષણાસમિતિનું નામ લેવાથી તે ભક્તિ ઓછી થઈ જશે એટલા માટે જે મળે તે નિર્મમત્વ થઈ લઈ લેવું.” ભગવાન કહે છે કે, “આવો શ્રમણ મારા ધર્મની અવહેલના કરનાર છે અને પિતાના સુખને માર્ગ ખોલે છે, પરંતુ આ શ્રમણ આ લેકમાં પણ સુંદર પરિણામ લાવી શકતું નથી અને પરલોકમાં પણ સુંદર પરિણામ પામી શક્તા નથી.” - જેમને આત્મા પિતાના વશમાં નથી અને જે રસમૃદ્ધ છે તે એષણસમિતિને અપલાપ-વિરોધ કરે છે. પરંતુ ઉચિત તે એ છે કે, જે પોતાનાથી એષણસમિતિનું પાલન થતું ન હોય તો એમ કહી દેવું કે, મારી એ અપૂર્ણતા છે કે હું એષણસમિતિનું બરાબર પાલન કરી શકતા નથી. આમ કહેવાથી તેની જ અપૂર્ણતા જણાશે પણ સિદ્ધાન્તનું તે પ્રતિપાદન થશે. પરંતુ જે પિતાની અપૂર્ણતા છુપાવી રાખે છે અને એષણે પાખંડ છે એમ કહે છે તે નિર્ણન્ય પ્રવચનની અવલેહના કરે છે. આવા શ્રમણને માટે સદ્દગતિ મળવી દુર્લભ છે.
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy