________________
શુદ ૧૪]
રાજકોટ–ચાતુર્માસ
[ ૫૧
મતલબ કે, સંસારની કોઈ પણ વસ્તુ તરફ મત્વભાવ ન રાખો અને અનન્યભાવે પરમાત્માની પ્રાર્થના કરી પરમાત્માને ભેટે કરવાં એ જે વાત પ્રાર્થનામાં કહેવામાં આવી છે. સુદર્શન ચરિત્રથી એ વાત વિશેષ સ્પષ્ટ થશે. " સુદર્શન ચરિત્ર–૪૯
દેવે તેને ચામર ઢળતાં જ્યકાર બેલતા હતા. સુદર્શન તે વખતે ત્રિપતિ હોય તેમ સિંહાસન ઉપર બેઠા હતા. તે વખતે શેઠ લેકેને કહી શકતો હતો કે, મારી દઢતા અને રાણીની ચાલાકીનું પરિણામ જુઓ ! પણ જે તે એમ કહે છે તે તેની અપૂર્ણતા જ પ્રગટ થાત. તે સિંહાસન ઉપર જાણે પોતે પિસામાં બેઠા હોય તેમ બેસી રહ્યો. સુદર્શન તે પિતાની ભાવનામાં જ દઢ રહ્યો. આ જ પ્રમાણે તમે પણ ભાવનામાં દઢ રહેકારણ કે, બધાં કાર્યોની સફળતાનું મૂળ કારણ ભાવના જ છે.
ધન ધન હૈ યે શેઠ સુદર્શન, શીલવંત સિરતાજ ધિક્ ધિક્ હૈ અભયા રાણીકે, નિપટ ગમાઈ લાજ. છે ધન ૧૧૦ છે. જગજન મુખ મેં કીતિ, ગઈ રાયકે પાસ;
દધિવાહન નૃપ આયા દૌડકે, ધર મનમેં હુલાસ. ધન ૧૧૧ છે શેઠને તે પ્રભુમય બનવાને સ્વભાવ હતે. એટલા માટે તે તે કાંઈ બોલ્યો નહિ પણ જનતા બેલ્યા વિના ક્યાં રહી શકે એમ હતી ! એટલા માટે જનતા કહેવા લાગી કે, જોયું! શુળીનું પણ સિંહાસન બની ગયું. હવે તે તમારે ભ્રમ મચ્યો કે નહિ ? જે લેકો એમ કહેતા હતા કે આ ધર્માત્મા શેઠને શૂળીએ શું ચડાવે છે, ધમને શળીએ ચડાવો છે તે લોકો શુળીને સિંહાસન થએલું જોઈ બહુ જ પ્રસન્ન થયા અને સુદર્શનને ધન્યવાદ આપવા લાગ્યા. કોઈ એમ કહેતા હતા કે રાણુ કેવી નિર્લજજ છે કે જેણે પોતાની લાજ ગુમાવી શેઠના માથે કલંક ચડાવ્યું પરંતુ સત્ય શું કોઈ દિવસ છૂ૫ રહી શકે છે ? અમે પણ કહેતા હતા કે, આ શેઠ કે મૂઢ છે કે તે એક પણ શબ્દ પિતાને મોઢે બેલ નથી; પણ આખરે પાપને ક્ષય અને સત્યને જય જ થયો.
દુનિયામાં બધા લોકોની પ્રકૃતિ એક સરખી હોતી નથી. વસ્તુ તે એક હોય છે પણ તે વસ્તુ પિતાની પ્રકૃતિની અનુસાર ભિન્ન ભિન્ન રૂપમાં જોવામાં આવે છે. સૂર્ય પ્રકાશ તે સમાન આપે છે પણ કાચને રંગ જેવો હોય છે, તે પ્રકાશ પણ તે જ બની જાય છે આ જ પ્રમાણે સુદર્શનની ઘટનાને લોકો ભિન્ન ભિન્ન રૂપ આપવા લાગ્યા.
સુદર્શનને જે જય જયકાર થઈ રહ્યો હતો તે સુદર્શનને જયકાર ન હતો પણ તેની શુદ્ધ ભાવનાને જયકાર હતા. ભાવના કે પવિત્રતા સૂક્ષ્મરૂપમાં જોઈ શકાતી નથી પરંતુ જ્યારે તે સ્થૂલરૂપ ધારણ કરે છે ત્યારે જ બધાના જોવામાં આવે છે. સૂક્ષ્મ વસ્તુને બધા લેકે જોઈ શકતા નથી પણ જ્યારે તે સ્થૂલ રૂપમાં આવે છે ત્યારે જે તે જોવામાં આવે છે.' આ કથનાનુસાર સુદર્શનની ભાવનાને તે બધા લેકે જોઈ શક્યા ન હતા પરંતુ જ્યારે થળીનું સિંહાસન થએલું જોયું ત્યારે લેકે જેવા લાગ્યા અને જયજયકાર કરવા લાગ્યા. બધા લેકે એમ કહેવા લાગ્યા કે, શેઠના હૃદયમાં જરાપણ ખરાબ ભાવના ન હતી. શનીનું સિંહાસન બનવાથી આપણને નિશ્ચય થઈ ગયું કે, શેઠની ભાવના કેટલી શુદ્ધ હતી.