________________
શુદ ૧૪]
રાજકોટ–ચાતુર્માસ
[ ૪૪૫
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૪ મંગળવાર
પ્રાર્થના પ્રણમ્ વાસુપૂજ્ય જિનનાયક, સદા સહાયક તૂ મેરે; વિષમ વાટ ઘાટ ભયથાનક, પરમાશ્રય સરનો તેરે.
–વિનયચંદ્ર કુંભટ ચોવીશી શ્રી વાસુપૂજ્ય ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
જે પરમાત્માની પ્રાર્થના સાચા અંતઃકરણથી કરે છે. પરમાત્માની પ્રાર્થના ઉપર જે દઢ વિશ્વાસ રાખે છે અને જે સકળ સંસારને પ્રાર્થનામય જ જુએ છે તેની ભાવના કેવી હેવી જોઈએ ! એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે.
આ પ્રાર્થનામાં કહ્યું છે કે, પ્રાથની ભાવના એવી હોવી જોઈએ કે, આખો સંસાર પિતાને અનુકૂળ રહે કે પ્રતિકૂલ રહે; અથવા સંસારનાં બધાં પદાર્થો સુખદાયી હોય કે દુઃખદાયી હોય, પણ તેણે તે એમ સમજવું જોઈએ કે એ બધાં પદાર્થો પિતાને પરમાત્માની તરફ ધકેલે છે, અને સાથે સાથે પ્રભુમય જીવન વ્યતીત કરવાની શિક્ષા આપે છે.
ભક્ત લેકે કહે છે કે, અમને કોઈ એ પ્રશ્ન કરે છે, પરમાત્માને પ્રાપ્ત કરવાને સરલ માર્ગ કયે છે ? તે અમે ઉત્તરમાં એ જ જણાવીશું કે, પરમાત્માને પ્રાપ્ત કરવાને સરલ માર્ગ પરમાત્માની પ્રાર્થના જ છે. અનન્ય ભાવે પરમાત્માની પ્રાર્થના કે ભક્તિ કરવાથી પરમાત્માને ભેટે થઈ શકે છે. કેઈ કહે કે, એ તો બધું ઠીક પણ પરમાત્માની પ્રાર્થના કઈ રીતિએ કરવી જોઈએ ? એ તે બતાવો. પરમાત્માની પ્રાર્થના કરવા માટે તેની રીતિ પણુ જાણવી જોઈએ. આને માટે ભકતો કહે છે કે પરમાત્માની પૂર્ણ રીતે પ્રાર્થના કરનારાઓ પોતાનું ચરિત્ર પાછળ મૂકી ગયા છે, અને તેઓ કહી ગયા છે કે, જે માગે અમે ચાલ્યા છીએ તે માગે તમે પણ ચાલ્યા આ તે અમે જે સ્થિતિને પ્રાપ્ત કરી છે તે સ્થિતિને તમે પણ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કે –
ખલ દલ પ્રબલ દુષ્ટ અતિ દારુણ, જે ચોતરફ કરે ઘેર;
તદપિ કૃપા તુમ્હારી પ્રભુજી, અરિય ન હોય પ્રકટે ચેરો. ભક્તો કહે છે કે, “હે ! પ્રભ! મને દુષ્ટો દલ-બલથી ચારે તરફ ઘેરી લે અને તલવારથી મારા શરીરનાં ટૂકડે ટૂકડાં પણ કરી નાંખવા ચાહે છતાં પણ મારી ભાવના એ જ રહે કે, આ દુષ્ટ લેકે નથી પણ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરાવનાર છે. મારી આવી ભાવના રહે અને એ ભાવનામાં કોઈ પ્રકારની શિથિલતા ન રહે તો તે દુષ્ટો પણ મારા માટે ભક્ષકને બદલે રક્ષક બની જશે. એટલા માટે હે ! પ્રભો ! હું એવી ભાવના કરું છું કે, મારી પ્રાર્થના એવી આદર્શ હોવી જોઈએ કે, ભલે મને શત્રુઓ મારવા પણ આવે છતાં મને તે તે વખતે જરાપણ ક્રોધ ન આવે અને શત્રુ પ્રત્યે પણ મિત્રતા રહે.”