SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ . [૪૩૫ નીકળતી નથી. લોકો કહે છે કે, શેઠ-શેઠાણી વચ્ચે બહુ પ્રેમ છે, તે એ પ્રેમ માં ગયે ? કે આવા મૃત્યુ સમયે પણ પતિને મળવા તે બહાર નીકળતી નથી. - સુદર્શનની આસપાસ લેકે એવી રીતે ઘેરાઈ ગયા હતા કે જાણે સરઘસ બની ગયું ન હોય! થોડીવાર તે સુભટોએ સુદર્શનને તેના મકાન પાસે ઊભા રાખ્યા, પણ જ્યારે શેઠે પિતાના મકાન તરફ દૃષ્ટિ પણ ન કરી અને શેઠાણી પણ બહાર ન નીકળી ત્યારે સુભટએ વિચાર્યું કે, અહીં નકામા ઊભા રહેવું ઠીક નથી. એમ કહી તેઓ સુદર્શનને લઈ સૂળી પાસે આવ્યા. શૂળીને જોઈ લેકે ડરવા લાગ્યા પણ સુદર્શન તે ત્યાં પણ પ્રસન્ન જ રહ્યો. થોડીવાર બાદ મારો આત્મા પરમાત્માને મળશે એ વિચારથી તેનાં રેમેરમ વિકસિત થતાં હતાં. , સુદર્શનને પ્રસન્ન થતા જોઈ કેટલાક લોકો કહેવા લાગ્યા કે, “હે ! પ્રભુ ! અમે એમ કહેતા હતા કે, “તું” ક્યાં છે? પણ આજે અમને “તું” આ સુદર્શનમાં સાક્ષાત દેખાઈ રહ્યો છે ! અમે વિચારતા હતા કે, આ સુદર્શન ભક્ત છે છતાં તેની રક્ષા કેમ થતી નથી ! પણ અમને એ તે અત્યારે જણાયું કે, આ બધું અમારી ભાવના દઢ કરવા માટે જ થઈ રહ્યું છે અને એટલા જ માટે આવા સમયે પણ સુદર્શન, પરમાત્મા પાસે મારી રક્ષા થાય એમ ચાહત નથી. આ સુદર્શન તે આવા સંકટના સમયે પણ ભક્તિનું ફલ ચાહત નથી, પણ અમે તે નાનાં નાનાં કામમાં પણ ફલની આશા રાખીએ છીએ. અને જ્યારે અમારી ફલાશા ફળતી નથી ત્યારે અમે એમ કહેવા લાગીએ છીએ કે પરમાત્માની ભક્તિમાં શું પડ્યું છે! આટલી ભક્તિ કરી છતાં અમને તેનું કાંઈ ફલ મળ્યું નહિ પણ આજે અમે જાણ્યું કે, ભક્તિ કેવી હોય છે. : કેસે દેખું નાહિં રિ, કામ લોલુપ ભ્રમત મન, પ્રભુ ભક્તિ પરિહરી તેરિ. કૈસે બહુત પ્રીતિ પુજાઈવે, પર પૂજિલે પર રિ, દેત સિખ સિખે ન માનત, મૂઢતા અબે મોરિ. કેસેટ કિયે સહિત સનેહ જે, અદ્ય હદય રાખે ચેરિ સંગવશ કિયે શુષ્ક સુના, સકલ લેક નિહારિ. કેસેટ કરે જે કુછ ધરે સચિ, પચિ સુકૃત શીલ બટેરિ પૈઠી ઉર બરબસ દયાનિધિ, દંભ લેત અજેરિ. કેસેટ ભક્ત કહે છે કે “ હે ! પ્રભો! હવે મને જણાયું કે, હું તને અપયશ કેવી રીતે આપી શકું ! હું અત્યાર સુધી કહેતા હતા કે, હું આટલાં બધાં ધર્મકર્મો કરું છું, છતાં પણ મારું કામ પાર પડતું નથી. આ પ્રમાણે કહી હું તને ઉપાલંભ આપતા હતા, પણ સુદર્શન ધર્માત્મા, શૂળી ઉપર ચડાવવામાં આવે છે છતાં પણ તે તને અપયશ આપતો નથી’ એ જોઈ મને હર્ષ થાય છે, અને હું પરમાત્માને કે અપયશ આપું છું તેને મને વિચાર આવે છે. હું કેવાં કામો કરું છું અને પરમાત્માને કે અપયશ આપું છું એ વિષે જ્યારે હું મારા પિતાના તરફ નજર કરું છું ત્યારે મારી ભૂલ મને જણાઈ આવે છે. મારું કામલોલુપ મન અહીંતહીં ભટકે છે. હું એને સ્થિર રાખી શકતું નથી. એવી અવસ્થામાં ક્યાં તે હું અને
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy