SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકેટ ચાતુર્માસઃ અન્તિમ વ્યાખ્યાનઃ સંવત્ ૧૯૯૩ કારતક વદી ૧ રવિવાર પ્રાર્થના - ધરમ જિનેશ્વર મુખ હિરડે વસે, ચારા પ્રાણ સમાન. ' કબહુ ન વિસરું હે ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન. ધરમ૦ ના –વિનયચંદ્રજી ભટ વીશી શ્રી ધર્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - રાજકોટમાં પાંચ મહિનાથી અધિક કાળ સુધી રહી મેં જે શ્રી સંઘને સાદું ભોજન આપ્યું છે તે પ્રાર્થના સિવાય બીજું કાંઈ નથી. પ્રાર્થને એક સાદી વસ્તુ છે. પ્રાર્થનામાં મોટી મોટી કલ્પનાઓની આવશ્યક્તા નથી, એટલા માટે ગરીબના ભજનની માફક પ્રાર્થના બધાને માટે સુલભ અને લાભદાયી છે. મેં એક વખતે કહ્યું છે કે મોટા મોટા માણસો ભલે સો સો રૂપિયાને એક એક ભજનને કેળીયો ખાતા હોય, પણ એવા ભોજનના કાળીયા લેવાથી કાંઈ બધાનો નિર્વાહ થતું નથી. બધાને એવું ભોજન મળી નથી શકતું, પણ સાદું ભેજન જ એવું છે કે જેના આધારે આખું જગત નભી રહ્યું છે. આ જ પ્રમાણે આત્મકલ્યાણ કરવા માટે ભલે ગહન તને વિચાર કરવામાં આવે, પણ ગહન તો વિચાર કરો બધા લોકો માટે સંભવિત નથી; પરંતુ બધાના આત્મકલ્યાણનો સરલ ઉપાય તો માત્ર પરમાત્માની પ્રાર્થના જ છે. એટલા માટે મને અનેક વર્ષોથી પરમાત્માની પ્રાર્થના કરવાની લગની લાગી છે અને તેથી કેઈને પરમાત્માની પ્રાર્થના ગમે કે ન ગમે તો પણ હું પ્રાર્થના કરું છું અને તે વિષે થોડુંક બેલું પણ છું. હું તે એમ જ માનું છું કે, મને પ્રાર્થના ગમે છે તે બધાને તે ગમતી જ હશે. આજનો ચાતુર્માસને અંતિમ દિવસ પણ પરમાત્માની પ્રાર્થના કરવામાં જ વીતાવું છું. પ્રાર્થનાના ક્રમાનુસાર આજે ભગવાન ધર્મનાથની પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં પણ ગહન તત્ત્વનો વિચાર કરવામાં આવ્યો છે. તેમાં પરમાત્માની પાસે “હે! પ્રભુ! મારા હૃદયમાં આવી વસે ” એવી માગણી કરવામાં આવી છે. આ માંગણી ઉપલક દૃષ્ટિએ બહુ જ સામાન્ય જણાય છે પણ ઊંડો વિચાર કરતાં આ માગણમાં ઘણું રહસ્ય રહેલું છે. એ રહસ્ય શું છે ? એ વાત આજે તમને સંભળાવું છું. તેને તમે ભૂલી જશે નહિ. હું પ્રાર્થના વિષે જે કાંઈ કહી રહ્યો છું તે મારું નથી પણ પૂર્વ મહાત્માઓનું કહેલું છે. ભક્ત તુકારામના શબ્દોમાં કહું તે “હું જે કાંઈ કહી રહ્યો છું તે બધું પૂર્વ સંત પુરુષોનું ઉચ્છિષ્ટ છે.” હું પામર એ વિષે શું કહી શકું! પણ એ સંતપુરુષો અને મહાપુરુષની ઉચ્છિષ્ટ વાણી જ તમને બધાને સંભળાવું છું. તમારા બધાના કલ્યાણ માટે મહાપુરુષોની અમર વાણી તમને સંભળાવું તે મારું કહેવું પ્રમાણ છે, પણ જે એ વાણી સંભળાવતાં હું અભિમાન કરું તો તે પ્રમાણ નથી; તેમ તે મારા પિતાના માટે પણ હાનિકર છે.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy